વિચરતી જાતિના લોકોએ ભાજપનો ખેસ રોડ પર ફેંકી વિરોધ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 18:14:54

ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે ભાજપના વિચરતી અને વિમુક્ત જાતિના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. વિચરતી જાતિના લોકોએ પોતાની માગ માટે ભાજપનો ખેસ રોડ પર ઉતારી ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિચરતી જાતિના લોકોએ પોતાનો ખેસ ઉતારી રોડ પર ખેસનો ઢગલો કર્યો હતો. 


ભાજપે અમને ખેસ ઉતારવા માટે મજબૂર કર્યાઃ વિચરતી જાતિ 

અખિલ ભારતીય આદિ મહાસંઘે કમલમ ખાતે પોતાનો કેસરિયો ખેસ ઉતારી વિરોધ નોંધાવ્યો હતો. મહાસંઘના પ્રમુખ રુપસંઘભાઈનું કહેવું છે કે ભાજપે તેમની માગણી ન સ્વીકારી  વિચરતી જાતિના લોકો સાથે અન્યાય કર્યો છે. ભાજપે 2017માં વિચરતી જાતિના લોકોની માગણી સ્વીકારવાનો વાયદો કર્યો હતો પરંતુ હજુ સુધી કોઈ માગ નહીં સ્વીકારતા વિરોધ નોંઘાવ્યો હતો. 


કઈ માગણીના કારણે વિરોધ નોંધાવ્યો?

વિચરતી અને વિમુક્ત જાતિને અન્ય રાજ્યોમાં એસસી અને એસટી કેટેગરીમાં સમાવેશ કરાયો છે. ગુજરાતમાં તેમને અન્ય પછાત વર્ગ એટલે કે બક્ષીપંચમાં ગણવામાં આવે છે. અખિલ ભારતીય આદિ મહાસંઘની માગણી છે કે ઓબીસીમાં ગણવા છતાં પણ તેમના સમાજને હજુ સુધી લાભ મળ્યો નથી. અખિલ ભારતીય આદિ મહાસંઘની માગણી છે કે ઓબીસીમાંથી 11 ટકા તેમને આરક્ષણ આપવામાં આવે. ગત 20 વર્ષથી તમામ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ તેમની માગણી સ્વિકારવામાં નથી આવી. 


વિચરતી અને વિમુક્ત જાતિના લોકોની ગુજરાત સરકારને ચીમકી 

અખિલ ભારતીય આદિ મહાસંઘના પ્રમુખ રૂપસંઘે જણાવ્યું હતું કે બે દિવસની અંદર સમાજના વડીલો સાથે મળીને વિચરતી અને વિમુક્ત જાતિ નિર્ણય લેશે. જ્યાં સુધી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કેસરિયો ખેસ ધારણ નહીં કરીએ.  












થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .