વિચરતી જાતિના લોકોએ ભાજપનો ખેસ રોડ પર ફેંકી વિરોધ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 18:14:54

ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે ભાજપના વિચરતી અને વિમુક્ત જાતિના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. વિચરતી જાતિના લોકોએ પોતાની માગ માટે ભાજપનો ખેસ રોડ પર ઉતારી ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિચરતી જાતિના લોકોએ પોતાનો ખેસ ઉતારી રોડ પર ખેસનો ઢગલો કર્યો હતો. 


ભાજપે અમને ખેસ ઉતારવા માટે મજબૂર કર્યાઃ વિચરતી જાતિ 

અખિલ ભારતીય આદિ મહાસંઘે કમલમ ખાતે પોતાનો કેસરિયો ખેસ ઉતારી વિરોધ નોંધાવ્યો હતો. મહાસંઘના પ્રમુખ રુપસંઘભાઈનું કહેવું છે કે ભાજપે તેમની માગણી ન સ્વીકારી  વિચરતી જાતિના લોકો સાથે અન્યાય કર્યો છે. ભાજપે 2017માં વિચરતી જાતિના લોકોની માગણી સ્વીકારવાનો વાયદો કર્યો હતો પરંતુ હજુ સુધી કોઈ માગ નહીં સ્વીકારતા વિરોધ નોંઘાવ્યો હતો. 


કઈ માગણીના કારણે વિરોધ નોંધાવ્યો?

વિચરતી અને વિમુક્ત જાતિને અન્ય રાજ્યોમાં એસસી અને એસટી કેટેગરીમાં સમાવેશ કરાયો છે. ગુજરાતમાં તેમને અન્ય પછાત વર્ગ એટલે કે બક્ષીપંચમાં ગણવામાં આવે છે. અખિલ ભારતીય આદિ મહાસંઘની માગણી છે કે ઓબીસીમાં ગણવા છતાં પણ તેમના સમાજને હજુ સુધી લાભ મળ્યો નથી. અખિલ ભારતીય આદિ મહાસંઘની માગણી છે કે ઓબીસીમાંથી 11 ટકા તેમને આરક્ષણ આપવામાં આવે. ગત 20 વર્ષથી તમામ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ તેમની માગણી સ્વિકારવામાં નથી આવી. 


વિચરતી અને વિમુક્ત જાતિના લોકોની ગુજરાત સરકારને ચીમકી 

અખિલ ભારતીય આદિ મહાસંઘના પ્રમુખ રૂપસંઘે જણાવ્યું હતું કે બે દિવસની અંદર સમાજના વડીલો સાથે મળીને વિચરતી અને વિમુક્ત જાતિ નિર્ણય લેશે. જ્યાં સુધી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કેસરિયો ખેસ ધારણ નહીં કરીએ.  












ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .