PM મોદી CM હતા ત્યારે કેમ આંદોલનનો ગ્રાફ ઓછો હતો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 15:26:09

આજે અનેક લોકો-સંઘો-કર્મચારીઓએ પાટનગરને ચારેય બાજુથી ઘેરી લીધુ છે. આ આંદોલન ચૂંટણી પહેલા ઉઠતા સામાન્ય આંદોલન જેવું નથી. નેતાઓ સરકારી ભાષા બોલે છે પણ કર્મચારીઓની ભીડને એ મંજૂર નથી. કર્મચારીઓની આ ભીડ સંજોગોવસાત પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે જ ભેગી થઈ છે. આ લોકો કોઈ સંજોગોમાં ઝૂકવા તૈયાર નથી. જૂના સચિવાલયને ઘેરતા આ કર્મચારીઓને હવે સરકાર કેવી રીતે સમજાવાશે તે સવાલ છે. તમામની માગ સ્વીકારવા પાંચ મંત્રીઓની સમિતિ બનાવી છે.  


આજે ગાંધીનગરમાં આંદોલનકારીઓની જાજમ પથરાઈ

આ આંદોલનની તીવ્રતા માજી સૈનિકોના જવાનો અને ખેડૂતો વધારી રહ્યા છે, છેલ્લાં 22 દિવસથી ઉપર આકાશ અને નીચે ધરતીને રાખીને બેસેલા ખેડૂતો હોય કે અધિકાર માટે પોતાના સાથીને ખોયા પછી પણ સંઘર્ષ કરવાનું ના ભૂલેલા માજી સૈનિકો, એમના આંદોલનની આગ ગાંધીનગરને દઝાડી રહી છે. હાલ ગુજરાતમાં પોલીસ, માજી સૈનિકો, આરોગ્ય કર્મીઓ, કિસાન મહાસંઘ, શૈક્ષિક મહાસંઘ, એસટી કર્મીઓ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.

 

સરકારી કર્મીની આશા નિરાશામાં ફેરવાઈ?

જમાવટે વરિષ્ઠ પત્રકાર બિનિતા પરીખ જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે વિકાસના કાર્યો વધારે માત્રામાં થતા હતા. તે સમયમાં આસપાસ વિકાસ લોકોને દેખાતો હતો. રોડ-જોબ-સહિતના અનેક કામ મળતા હતા અને લોકો ખુશ હતા. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના હોદ્દા હેઠળ જે કામગીરીઓ થઈ રહી હતી તેણે લોકોના મનમાં એક આશા જગાવી હતી. ત્યારે પણ સરકારી કર્મચારીઓની માગણીઓ હતી પરંતુ આશાના કારણે એમને એવું લાગી રહ્યું હતું કે મારું નહીં તો કોઈનું કામ તો થઈ રહ્યું છે. વિકાસ કામના કારણે અનેક લોકોને રોજગારી મળી રહી હતી. સ્ટાન્ડર્ન્ડ ઓફ લિવિંગ ઉંચું જતું હોવાના કારણે આંદોલનનો ગ્રાફ ઓછો હતો એવું કહી શકાય. એવું ના હતું કે આંદોલન બિલકુલ થતાં જ ન હતા. તે સમયમાં પણ આંદોલન થતાં જ હતા અને ઉગ્રતાથી થતાં હતા પરંતુ તેના આંકડા ઓછા હતા. બહુ ઓછા વર્ગો આંદોલનો કરી રહ્યા હતા. સમયાંતરે સરકારી કર્મચારીઓને અનુભવ થવા લાગ્યો હતો કે અમેં હવે વેપારી ગુજરાતી પ્રજાથી પાછળ જતા જઈએ છીએ. હવે સરકારી કર્મચારીઓને લાગે છે કે અમેં બહુ સમય આપ્યો અમારા કારણે મોદી મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી બન્યા છે. સરકારી કર્મચારીઓ સાથે રાજકીય રમત રમાઈ ગઈ હોય તેવું તેઓ અનુભવવા લાગ્યા છે માટે આંદોલનોનો વધી ગયા છે. એવું લાગે છે કે સરકારી કર્મચારીઓને લાગે છે કે તે આશા નિરાશામાં ફેરવાઈ ગઈ છે અને કર્મચારીઓની માગણી વધતા આંદોલનોની તીવ્રતા વધી ગઈ છે. 

 

આંદોલનના સિક્કાની બીજી બાજુ 

જમાવટ મીડિયાએ જ્યારે રાજકીય વિશ્લેષક જપન પાઠક સાથે વાત કરી ત્યાર તેમણે સિક્કાની બીજી બાજુની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માગ સ્વીકારાય તેના પછી શું થાય તેના વિશે પણ વિચારવું જોઈએ. કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે. આંદોલન વધી ગયા છે તે ઠીક છે. તેઓ પોતાની જગ્યાએ સાચા હોઈ શકે પરંતુ આંદોલનકારીઓનો પગાર વધશે ત્યારે પગાર કોણ ચૂકવશે? જનતાને જ ચૂકવવો પડશે. તમામના પગાર વધારાના ખર્ચા જનતાના ખિસ્સામાંથી જ લેવામાં આવતા હોય છે. ટૂંક સમયમાં આચાર સંહિતા લાગુ પડી જશે અને સરકાર યોજનાઓ લાગુ કરવાનું બંધ કરી દેશે. પરંતુ માગણીઓ સ્વિકારાશે તેનું ગણિત સમજવું પડે. ગુજરાતની 6 કરોડથી વધુ જનતામાં અંદાજે સાડા પાંચ લાખ અથવા તેનાથી વધુ સરકારી બાબુઓ કે કર્મચારીઓ હશે. સરકારનું વાર્ષિક બજેટ છે તેમાંથી કેટલા ટકા સરકારી કર્મચારીઓના પગારમાં જાય છે તેનું ગણિત ગણવું પડે. આંકડો મળશે તે વધારે હોઈ શકે. તે આંકડાના પગારમાં વધારો થશે તો લોકોને તેને પગાર ચૂકવવો પડતો હોય છે. આંદોલનો તેની જગ્યા પર યોગ્ય હોય છે. તમામ મતદારોની લાગણી અને માગણી હોય છે પરંતુ સમાચારને રાજકીય રીતે જોતા સમયે તમામ એંગલથી વિચારવા અનિવાર્ય છે. 


જો આ સરકારની સામે ફરિયાદથી ઉભા થયેલા આક્રોશિત લોકોના આંદોલન હશે તો એની આગને હવે સંવાદ સિવાય નહીં રોકી શકાય, કમનસીબે સરકાર સંવાદમાં જ કાચી પડી રહી છે. સરકાર તમામનો વિરોધ ડામવા માટે પોલીસ અને રેપીડ એક્શન ફોર્સની મદદ લઈ રહ્યા છે. ટૂંક સમયમાં આચાર સંહિતા લાગુ થઈ જશે. આચાર સંહિતા લાગુ થાય તેની પહેલા કર્મચારીઓ પોતાની પૂરી તાકત લગાવીને સરકારને નમાવવાના પ્રયાસો કરી રહી છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે