Gujaratiઓ માટે ગૌરવના સમાચાર, સ્વચ્છતા સર્વેક્ષણમાં Suratએ મેળવ્યો પ્રથમ ક્રમાંક


  • Published By :
  • Published Date : 2024-01-11 13:09:00

દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં અનેક લોકો જોડાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેર સ્વચ્છ બને તો દેશ સ્વચ્છ બને તે આપણે જાણીએ છીએ, અનેક લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા છે. સ્વચ્છતામાં ગુજરાતના સુરતે એક મુકામ હાંસલ કર્યો છે. સુરતે સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગર પાલિકામાં ખુશીનો માહોલ છે. પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો હતો. 


ઈન્દોર ઉપરાંત સુરતને પણ સ્વચ્છતામાં મળ્યું પ્રથમ સ્થાન

આપણે ત્યાં કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા.. સ્વચ્છતા જળવાય માટે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. જાહેર સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી. સ્વચ્છતાને લઈ લોકો જાગૃત થાય તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ વર્ષે સ્વચ્છતાના ક્રમમાં ઈન્દોરની સાથે સાથે સુરતે પણ સ્થાન પ્રથમ સ્થાન મેળવ્યું છે. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2023 માં બે શહેરો એટલે કે ઈન્દોર તેમજ સુરતને સંયુક્ત રીતે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. તે ઉપરાંત મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢને સ્થાન મળ્યું છે.         



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.