Gujaratiઓ માટે ગૌરવના સમાચાર, સ્વચ્છતા સર્વેક્ષણમાં Suratએ મેળવ્યો પ્રથમ ક્રમાંક


  • Published By :
  • Published Date : 2024-01-11 13:09:00

દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં અનેક લોકો જોડાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેર સ્વચ્છ બને તો દેશ સ્વચ્છ બને તે આપણે જાણીએ છીએ, અનેક લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા છે. સ્વચ્છતામાં ગુજરાતના સુરતે એક મુકામ હાંસલ કર્યો છે. સુરતે સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગર પાલિકામાં ખુશીનો માહોલ છે. પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો હતો. 


ઈન્દોર ઉપરાંત સુરતને પણ સ્વચ્છતામાં મળ્યું પ્રથમ સ્થાન

આપણે ત્યાં કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા.. સ્વચ્છતા જળવાય માટે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. જાહેર સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી. સ્વચ્છતાને લઈ લોકો જાગૃત થાય તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ વર્ષે સ્વચ્છતાના ક્રમમાં ઈન્દોરની સાથે સાથે સુરતે પણ સ્થાન પ્રથમ સ્થાન મેળવ્યું છે. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2023 માં બે શહેરો એટલે કે ઈન્દોર તેમજ સુરતને સંયુક્ત રીતે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. તે ઉપરાંત મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢને સ્થાન મળ્યું છે.         



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.