Gujaratiઓ માટે ગૌરવના સમાચાર, સ્વચ્છતા સર્વેક્ષણમાં Suratએ મેળવ્યો પ્રથમ ક્રમાંક


  • Published By :
  • Published Date : 2024-01-11 13:09:00

દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં અનેક લોકો જોડાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેર સ્વચ્છ બને તો દેશ સ્વચ્છ બને તે આપણે જાણીએ છીએ, અનેક લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા છે. સ્વચ્છતામાં ગુજરાતના સુરતે એક મુકામ હાંસલ કર્યો છે. સુરતે સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગર પાલિકામાં ખુશીનો માહોલ છે. પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો હતો. 


ઈન્દોર ઉપરાંત સુરતને પણ સ્વચ્છતામાં મળ્યું પ્રથમ સ્થાન

આપણે ત્યાં કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા.. સ્વચ્છતા જળવાય માટે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. જાહેર સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી. સ્વચ્છતાને લઈ લોકો જાગૃત થાય તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ વર્ષે સ્વચ્છતાના ક્રમમાં ઈન્દોરની સાથે સાથે સુરતે પણ સ્થાન પ્રથમ સ્થાન મેળવ્યું છે. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2023 માં બે શહેરો એટલે કે ઈન્દોર તેમજ સુરતને સંયુક્ત રીતે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. તે ઉપરાંત મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢને સ્થાન મળ્યું છે.         



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે