બોટાદમાં પીએસઆઈનું થયું હાર્ટ એટેકને કારણે મોત, છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સાઓ


  • Published By :
  • Published Date : 2023-04-07 16:42:33

હાર્ટ એટેકને કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે. ત્યારે બોટાદમાં પી.એસ.સાઈનું પણ હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે. પ્રવીણભાઈ એસ.આસોડા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા. મોડી રાત્રે તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું.પીએસસાઈનું મોત થતા પોલીસ વિભાગમાં શોકનો માહોલ વ્યાપી ઉઠ્યો હતો. 

Botad: PSI dies of heart attack mourning in police station Botad: PSIનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ

બોટાદમાં પીએસઆઈનું થયું હાર્ટ એટેકને કારણે મોત

ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. સામાન્ય માણસ હોય કે કોઈ સેલિબ્રિટી સાઈલેન્ટ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ વખત ક્રિકેટ રમતા રમતા તો કોઈ વખત બેડમિન્ટન રમતા રમતા યુવાનો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક હાર્ટ એટેક આવવાને કારણે મોત થવાનો કિસ્સો સામે આવ્યો છે. બોટાદના પી.એસ.આઈનું પણ મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હૃદયરોગના હુમલામાં વધારો થયો છે. 2022ની સરખામણીમાં આ વર્ષે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અંદાજીત 27 ટકાનો વધોરો જોવા મળ્યો છે. 


હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં થયો વધારો 

એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં સ્વસ્થ દેખાતા લોકો હૃદયહુમલાનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેક આવવાના કોઈ પણ લક્ષણ ન હોય તેવા લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે, યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા મોતને ભેટી રહ્યા છે.   


સાઈલેન્ટ હાર્ટ એટેકનો લોકો બની રહ્યા છે ભોગ   

સાઈલેન્ટ હુમલાના લક્ષણોની વાત કરીએ તો કોઈ કારણ વગર સુસ્તી લાગવી, અચાનક ખૂબ પરસેવો આવવો, વારંવાર શ્વાસ ફૂલવો. વધારે પડતા ઓઈલી ફૂડ ખાવાથી, વ્યસન કરવાથી ઉપરાંત તણાવગ્રસ્ત જીવન હોવાને કારણે એટેક આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકથી રક્ષણ મેળવવા માટે નિયમીત કસરત કરવી જોઈએ, ચાલવું જોઈએ અને પોષ્ટિક ભોજન લેવું જોઈએ.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.