બોટાદમાં પીએસઆઈનું થયું હાર્ટ એટેકને કારણે મોત, છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સાઓ


  • Published By :
  • Published Date : 2023-04-07 16:42:33

હાર્ટ એટેકને કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે. ત્યારે બોટાદમાં પી.એસ.સાઈનું પણ હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે. પ્રવીણભાઈ એસ.આસોડા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા. મોડી રાત્રે તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું.પીએસસાઈનું મોત થતા પોલીસ વિભાગમાં શોકનો માહોલ વ્યાપી ઉઠ્યો હતો. 

Botad: PSI dies of heart attack mourning in police station Botad: PSIનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ

બોટાદમાં પીએસઆઈનું થયું હાર્ટ એટેકને કારણે મોત

ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. સામાન્ય માણસ હોય કે કોઈ સેલિબ્રિટી સાઈલેન્ટ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ વખત ક્રિકેટ રમતા રમતા તો કોઈ વખત બેડમિન્ટન રમતા રમતા યુવાનો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક હાર્ટ એટેક આવવાને કારણે મોત થવાનો કિસ્સો સામે આવ્યો છે. બોટાદના પી.એસ.આઈનું પણ મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હૃદયરોગના હુમલામાં વધારો થયો છે. 2022ની સરખામણીમાં આ વર્ષે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અંદાજીત 27 ટકાનો વધોરો જોવા મળ્યો છે. 


હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં થયો વધારો 

એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં સ્વસ્થ દેખાતા લોકો હૃદયહુમલાનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેક આવવાના કોઈ પણ લક્ષણ ન હોય તેવા લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે, યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા મોતને ભેટી રહ્યા છે.   


સાઈલેન્ટ હાર્ટ એટેકનો લોકો બની રહ્યા છે ભોગ   

સાઈલેન્ટ હુમલાના લક્ષણોની વાત કરીએ તો કોઈ કારણ વગર સુસ્તી લાગવી, અચાનક ખૂબ પરસેવો આવવો, વારંવાર શ્વાસ ફૂલવો. વધારે પડતા ઓઈલી ફૂડ ખાવાથી, વ્યસન કરવાથી ઉપરાંત તણાવગ્રસ્ત જીવન હોવાને કારણે એટેક આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકથી રક્ષણ મેળવવા માટે નિયમીત કસરત કરવી જોઈએ, ચાલવું જોઈએ અને પોષ્ટિક ભોજન લેવું જોઈએ.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.