બોટાદમાં પીએસઆઈનું થયું હાર્ટ એટેકને કારણે મોત, છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સાઓ


  • Published By :
  • Published Date : 2023-04-07 16:42:33

હાર્ટ એટેકને કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે. ત્યારે બોટાદમાં પી.એસ.સાઈનું પણ હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે. પ્રવીણભાઈ એસ.આસોડા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા. મોડી રાત્રે તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું.પીએસસાઈનું મોત થતા પોલીસ વિભાગમાં શોકનો માહોલ વ્યાપી ઉઠ્યો હતો. 

Botad: PSI dies of heart attack mourning in police station Botad: PSIનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ

બોટાદમાં પીએસઆઈનું થયું હાર્ટ એટેકને કારણે મોત

ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. સામાન્ય માણસ હોય કે કોઈ સેલિબ્રિટી સાઈલેન્ટ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ વખત ક્રિકેટ રમતા રમતા તો કોઈ વખત બેડમિન્ટન રમતા રમતા યુવાનો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક હાર્ટ એટેક આવવાને કારણે મોત થવાનો કિસ્સો સામે આવ્યો છે. બોટાદના પી.એસ.આઈનું પણ મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હૃદયરોગના હુમલામાં વધારો થયો છે. 2022ની સરખામણીમાં આ વર્ષે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અંદાજીત 27 ટકાનો વધોરો જોવા મળ્યો છે. 


હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં થયો વધારો 

એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં સ્વસ્થ દેખાતા લોકો હૃદયહુમલાનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેક આવવાના કોઈ પણ લક્ષણ ન હોય તેવા લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે, યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા મોતને ભેટી રહ્યા છે.   


સાઈલેન્ટ હાર્ટ એટેકનો લોકો બની રહ્યા છે ભોગ   

સાઈલેન્ટ હુમલાના લક્ષણોની વાત કરીએ તો કોઈ કારણ વગર સુસ્તી લાગવી, અચાનક ખૂબ પરસેવો આવવો, વારંવાર શ્વાસ ફૂલવો. વધારે પડતા ઓઈલી ફૂડ ખાવાથી, વ્યસન કરવાથી ઉપરાંત તણાવગ્રસ્ત જીવન હોવાને કારણે એટેક આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકથી રક્ષણ મેળવવા માટે નિયમીત કસરત કરવી જોઈએ, ચાલવું જોઈએ અને પોષ્ટિક ભોજન લેવું જોઈએ.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે