PSI RR। ઉમેદવારો હજુ પણ દ્વિધામાં કે પરીક્ષા ક્યારે આવશે! ગાંધીનગર રોકાય કે ઘરે જાય? Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા..


  • Published By :
  • Published Date : 2024-03-08 09:28:24

થોડા સમય પહેલા વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં પોલીસ ભરતીને લઈ જાહેરાત કરવામાં આવશે. ત્યારે ગઈકાલે પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. આગામી સમયમાં પોલીસ વિભાગમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતી થવાની છે. 12 હજાર જગ્યાઓ માટે ભરતી કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જાહેરાત અનુસાર આવનાર સમયમાં 597 PSIની પોસ્ટ માટે ભરતી  કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. ઉપરાંત હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરવાની જાહેરાત કરી છે.

ભરતીના નિયમોમાં કરવામાં આવ્યા ફેરફાર!

ના માત્ર કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે પરંતુ પરીક્ષાની પદ્ધતિમાં પણ અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા એલઆરડીની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા હતા ત્યારે હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ મોટા પ્રમાણમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. પહેલા પોલીસમાં ભરતી કરવા ઈચ્છુક ઉમેદવારોના વજન પર પણ ધ્યાન આપવામાં આવતું પરંતુ હવે આ નિયમને રદ્દ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. 

યુવરાજસિંહે આ જાહેરાતને લઈ આપી પ્રતિક્રિયા!

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પરીક્ષા માટે વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ ઘણી લાંબી પ્રતિક્ષા બાદ ભરતીને લઈ જાહેરાત કરવામાં આવી છે. આરઆર જાહેર કરવામાં આવ્યા છે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉમેદવારો માનતા હતા કે ફિઝિકલ ગ્રાઉન્ડ આ શિયાળામાં લેવાઈ જશે. પરંતુ શિયાળાના અંત સુધીમાં તો માત્ર આરઆર બહાર પાડવામાં આવ્યા છે. આખી પ્રક્રિયાને પૂર્ણ થતા વાર લાગશે અને ફરી એક વખત ઉમેદવારોએ પ્રતીક્ષા કરવી પડશે. તારીખોને લઈ ઉમેદવારોને દ્વિધા છે. હજી તો આરઆર આવ્યા છે ઈઆર નથી આવ્યા. એક્ઝામિનેશન રૂલ્સ બહાર નથી પાડવામાં આવ્યા. 


ચૂંટણી પહેલા કરવામાં આવી ભરતીની જાહેરાત!

મહત્વનું છે કે ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ફરી એક વખત ચૂંટણી પહેલા યુવાનોને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ ચૂંટણી પહેલા આંદોલન ના છેડે અને પરિસ્થિતિ વણસી ના જાય તે માટે યુવાનોને વ્યસ્ત રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે ચૂંટણી પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થાય તે માટે સુરક્ષાબળોની મદદ લેતા હોઈએ છીએ. ગુજરાતમાં ઈલેક્શન પૂર્ણ નથી થતું ત્યાં સુધી આની સંભાવના ઘણી ઓછી દેખાઈ રહી છે. ત્યારે જોવું રહ્યું કે ક્યારે ભરતી કરવામાં આવે છે?   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.