ભાંગરો વાટ્યો! રાજ્ય ગૃહ વિભાગે મૃતક PSIની છોટાઉદેપુરથી મહીસાગરમાં બદલી કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:50:03


આંધળો સસરો અને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહું.

કહ્યું     કાંઇને     સમજ્યું     કશું,    આંખનું   કાજળ   ગાલે   ઘસ્યું,

ઊંડો    કૂવો    ને    ફાટી    બોક,   શીખ્યું    સાંભળ્યું    સર્વે     ફોક.


ચોટદાર ચાબખા માટે જાણીતા અખાનો આ છપ્પો ગુજરાત સરકારને બરાબર લાગુ પડે છે. પોતાના છબરડા માટે જાણીતી સરકારે વધુ એક ભાંગરો વાટ્યો છે. ગુજરાત  વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અધિકારીઓની બદલી થવાની શરૂ થઈ ચૂકી છે. રાજ્યના ગૃહ વિભાગે 5 મહિના પહેલા મૃત્યુ પામેલા PSIની બદલીના આદેશ આપ્યા છે.


મૃતક PSIની છોટાઉદેપુરથી મહિસાગરમાં બદલી


રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતની અંદર 99 જેટલા PSIની બદલી કરવામાં આવી છે. જેમાં મૃતક PSI ગોપાલ રાઠવાની છોટાઉદેપુરથી મહિસાગરમાં બદલી કરવામાં આવી છે. જેને લઈ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોપાલભાઈ રાઠવા છોટાઉદેપુર હેડક્વાર્ટરની અંદર બિન વેપન પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હતા. PSI ગોપાલભાઈ ભલીયાનું પાંચ માસ પહેલા જ મૃત્યું થયું છે. ગોપાલભાઈ રાઠવાના ટ્રાન્સફર ઓર્ડરની તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે.


PSI ગોપાલભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું


છોટાઉદેપુર હેડક્વાર્ટરની અંદર ગોપાલભાઈ રાઠવા બીન વેપન પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હતા. અને તેનું મૂળ તેનું વતન પાવીજયપુર તાલુકાના વડેસીયા ગામ છે. ત્યાં 99 જેટલા હથિયારધારી પીએસઆઈના ટ્રાન્સફરનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેમાં ગોપાલભાઈ રાઠવાનું નામ 88માં નંબરે છે. તેમની છોટાઉદેપુરથી મહીસાગરમાં ટ્રાન્સફર થઈ થઈ છે પરંતુ એપ્રિલ મહિનામાં જ તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.


છબરડો કઈ રીતે સામે આવ્યો?


ગોપાલભાઈ રાઠવાના પુત્ર સંદીપે જણાવ્યું કે, અમને ખૂબ જ દુખ અને આશ્ચર્ય છે કે મારા પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર અને જરૂરી ડોક્યુમેન્ટ 5 મહિના પહેલા આપવામાં આવ્યા છે. પરંતુ તેમની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. સંદીપે જણાવ્યું કે મારા પિતા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેઓ ઘાયલ થયા હતા અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું હતું અને છેક સુધી તેઓ છોટાઉદેપુરમાં નોકરી કરતા હતા અને તે દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.