Manipur મુદ્દે PM Modiના મૌન પર જનતાએ ઉઠાવ્યા સવાલ, Social Media Platform X પર ટ્રેન્ડ થયું....


  • Published By :
  • Published Date : 2023-10-09 09:05:13

ઈઝરાયલમાં પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ઈઝરાયલમાં થયેલા હુમલામાં હજારો લોકો માર્યા ગયા છે. તબાહીના અનેક દ્રશ્યો આપણી સામે છે. લોકો બેઘર બન્યા છે, જીવવાનું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા X પર ઈઝરાયલમાં થયેલો હુમલો તો ટ્રેન્ડ થતો હતો પરંતુ સોમવારે નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો તેવો # ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ # ટ્રેન્ડ થવાનું  પાછળ કારણ છે મણિપુર.... મણિપુરમાં  હિંસા સતત વધતી જઈ રહી છે. હિંસા શાંત થવાને બદલે વધુ ઉગ્ર બની રહી છે. લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આખા રાજ્યમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. ત્યારે મણિપુર મુદ્દે પીએમ મોદીએ મૌન ધારણ કર્યું છે જેને કારણે આ # ટ્વિટર હાલ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ભારત ઈઝરાયલ સાથે છે તે વાતનો જાણે વિરોધ લોકો કરી રહ્યા છે.  



મણિપુરમાં પ્રતિદિન વધી રહી છે હિંસાની ઘટના 

છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર હિંસાની આગમાં બળી રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો બેઘર થઈ ગયા છે. તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યોના ઘરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. મણિપુરમાં વધતી હિંસાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ મણિપુરમાં થઈ રહેલી હિંસા મુદ્દે હજી સુધી પ્રતિક્રિયા નથી આપી. પીએમએ પ્રતિક્રિયા એક વખત આપી હતી જ્યારે મહિલાઓને નગ્ન કરી તેમની પરેડ કાઢવામાં આવી હતી અને તેમની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી તેનો વીડિયો સામે આવ્યો હતો. તે વખતે તેમણે મણિપુર વિશે ઓછું અને બીજા રાજ્યો વિશે વધારે વાત કરી હતી. 


'નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો' X પર થયું ટ્રેન્ડ 

સોશિયલ મીડિયા X પર નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો ટ્રેન્ડ થઈ રહ્યું છે તેમાં રાજસ્થાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પીએમ મોદી અનેક વખથ રાજસ્થાનના પ્રવાસે ગયા છે પરંતુ એક વખત પણ મણિપુરના પ્રવાસે નથી ગયા. આ વાતને લઈ યુઝર્સ ટ્વિટ કરી રહ્યા છે. તે ઉપરાંત ઈઝરાયલમાં થઈ રહેલી હિંસામાં પીએમ મોદીએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે તેનો પણ વિરોધ જાણે યુઝર્સ કરતા હોય તેવું લાગી રહ્યું છે.  પીએમ મોદી જો ઈઝરાયલમાં શરૂ થયેલી હિંસાને લઈ બોલી શકે છે તો છેલ્લા અનેક મહિનાઓથી બળી રહેલા મણિપુરને લઈ તે કેમ નથી બોલી રહ્યા તેવા પ્રશ્ન અનેક યુઝર્સે પૂછ્યા છે. 


મણિપુર મુદ્દે પીએમ મોદીના મૌન પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ

વાત પણ સાચી છે કારણ કે વિપક્ષે પણ પીએમ મોદીના મૌન પર અનેક વખત સવાલ ઉઠાવ્યા છે. સંસદ જ્યારે મળી હતી તે વખતે પણ મણિપુર મુદ્દે વાદ-વિવાદ છેડાતો હતો અને કાર્યવાહી સ્થગિત થઈ જતી હતી. મુખ્યમંત્રીના ઘર પણ હુમલો થયો. પરિસ્થિતિને શાંત કરવામાં સીએમ નિષ્ફળ ગયા છે તેથી મુખ્યમંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએ તેવી ચર્ચા, તેવી માગ વિપક્ષ  દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થાય છે તે એક મોટો પ્રશ્ન છે...    





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે