Manipur મુદ્દે PM Modiના મૌન પર જનતાએ ઉઠાવ્યા સવાલ, Social Media Platform X પર ટ્રેન્ડ થયું....


  • Published By :
  • Published Date : 2023-10-09 09:05:13

ઈઝરાયલમાં પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ઈઝરાયલમાં થયેલા હુમલામાં હજારો લોકો માર્યા ગયા છે. તબાહીના અનેક દ્રશ્યો આપણી સામે છે. લોકો બેઘર બન્યા છે, જીવવાનું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા X પર ઈઝરાયલમાં થયેલો હુમલો તો ટ્રેન્ડ થતો હતો પરંતુ સોમવારે નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો તેવો # ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ # ટ્રેન્ડ થવાનું  પાછળ કારણ છે મણિપુર.... મણિપુરમાં  હિંસા સતત વધતી જઈ રહી છે. હિંસા શાંત થવાને બદલે વધુ ઉગ્ર બની રહી છે. લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આખા રાજ્યમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. ત્યારે મણિપુર મુદ્દે પીએમ મોદીએ મૌન ધારણ કર્યું છે જેને કારણે આ # ટ્વિટર હાલ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ભારત ઈઝરાયલ સાથે છે તે વાતનો જાણે વિરોધ લોકો કરી રહ્યા છે.  



મણિપુરમાં પ્રતિદિન વધી રહી છે હિંસાની ઘટના 

છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર હિંસાની આગમાં બળી રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો બેઘર થઈ ગયા છે. તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યોના ઘરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. મણિપુરમાં વધતી હિંસાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ મણિપુરમાં થઈ રહેલી હિંસા મુદ્દે હજી સુધી પ્રતિક્રિયા નથી આપી. પીએમએ પ્રતિક્રિયા એક વખત આપી હતી જ્યારે મહિલાઓને નગ્ન કરી તેમની પરેડ કાઢવામાં આવી હતી અને તેમની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી તેનો વીડિયો સામે આવ્યો હતો. તે વખતે તેમણે મણિપુર વિશે ઓછું અને બીજા રાજ્યો વિશે વધારે વાત કરી હતી. 


'નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો' X પર થયું ટ્રેન્ડ 

સોશિયલ મીડિયા X પર નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો ટ્રેન્ડ થઈ રહ્યું છે તેમાં રાજસ્થાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પીએમ મોદી અનેક વખથ રાજસ્થાનના પ્રવાસે ગયા છે પરંતુ એક વખત પણ મણિપુરના પ્રવાસે નથી ગયા. આ વાતને લઈ યુઝર્સ ટ્વિટ કરી રહ્યા છે. તે ઉપરાંત ઈઝરાયલમાં થઈ રહેલી હિંસામાં પીએમ મોદીએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે તેનો પણ વિરોધ જાણે યુઝર્સ કરતા હોય તેવું લાગી રહ્યું છે.  પીએમ મોદી જો ઈઝરાયલમાં શરૂ થયેલી હિંસાને લઈ બોલી શકે છે તો છેલ્લા અનેક મહિનાઓથી બળી રહેલા મણિપુરને લઈ તે કેમ નથી બોલી રહ્યા તેવા પ્રશ્ન અનેક યુઝર્સે પૂછ્યા છે. 


મણિપુર મુદ્દે પીએમ મોદીના મૌન પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ

વાત પણ સાચી છે કારણ કે વિપક્ષે પણ પીએમ મોદીના મૌન પર અનેક વખત સવાલ ઉઠાવ્યા છે. સંસદ જ્યારે મળી હતી તે વખતે પણ મણિપુર મુદ્દે વાદ-વિવાદ છેડાતો હતો અને કાર્યવાહી સ્થગિત થઈ જતી હતી. મુખ્યમંત્રીના ઘર પણ હુમલો થયો. પરિસ્થિતિને શાંત કરવામાં સીએમ નિષ્ફળ ગયા છે તેથી મુખ્યમંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએ તેવી ચર્ચા, તેવી માગ વિપક્ષ  દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થાય છે તે એક મોટો પ્રશ્ન છે...    





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.