Manipur મુદ્દે PM Modiના મૌન પર જનતાએ ઉઠાવ્યા સવાલ, Social Media Platform X પર ટ્રેન્ડ થયું....


  • Published By :
  • Published Date : 2023-10-09 09:05:13

ઈઝરાયલમાં પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ઈઝરાયલમાં થયેલા હુમલામાં હજારો લોકો માર્યા ગયા છે. તબાહીના અનેક દ્રશ્યો આપણી સામે છે. લોકો બેઘર બન્યા છે, જીવવાનું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા X પર ઈઝરાયલમાં થયેલો હુમલો તો ટ્રેન્ડ થતો હતો પરંતુ સોમવારે નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો તેવો # ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ # ટ્રેન્ડ થવાનું  પાછળ કારણ છે મણિપુર.... મણિપુરમાં  હિંસા સતત વધતી જઈ રહી છે. હિંસા શાંત થવાને બદલે વધુ ઉગ્ર બની રહી છે. લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આખા રાજ્યમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. ત્યારે મણિપુર મુદ્દે પીએમ મોદીએ મૌન ધારણ કર્યું છે જેને કારણે આ # ટ્વિટર હાલ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ભારત ઈઝરાયલ સાથે છે તે વાતનો જાણે વિરોધ લોકો કરી રહ્યા છે.  



મણિપુરમાં પ્રતિદિન વધી રહી છે હિંસાની ઘટના 

છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર હિંસાની આગમાં બળી રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો બેઘર થઈ ગયા છે. તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યોના ઘરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. મણિપુરમાં વધતી હિંસાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ મણિપુરમાં થઈ રહેલી હિંસા મુદ્દે હજી સુધી પ્રતિક્રિયા નથી આપી. પીએમએ પ્રતિક્રિયા એક વખત આપી હતી જ્યારે મહિલાઓને નગ્ન કરી તેમની પરેડ કાઢવામાં આવી હતી અને તેમની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી તેનો વીડિયો સામે આવ્યો હતો. તે વખતે તેમણે મણિપુર વિશે ઓછું અને બીજા રાજ્યો વિશે વધારે વાત કરી હતી. 


'નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો' X પર થયું ટ્રેન્ડ 

સોશિયલ મીડિયા X પર નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો ટ્રેન્ડ થઈ રહ્યું છે તેમાં રાજસ્થાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પીએમ મોદી અનેક વખથ રાજસ્થાનના પ્રવાસે ગયા છે પરંતુ એક વખત પણ મણિપુરના પ્રવાસે નથી ગયા. આ વાતને લઈ યુઝર્સ ટ્વિટ કરી રહ્યા છે. તે ઉપરાંત ઈઝરાયલમાં થઈ રહેલી હિંસામાં પીએમ મોદીએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે તેનો પણ વિરોધ જાણે યુઝર્સ કરતા હોય તેવું લાગી રહ્યું છે.  પીએમ મોદી જો ઈઝરાયલમાં શરૂ થયેલી હિંસાને લઈ બોલી શકે છે તો છેલ્લા અનેક મહિનાઓથી બળી રહેલા મણિપુરને લઈ તે કેમ નથી બોલી રહ્યા તેવા પ્રશ્ન અનેક યુઝર્સે પૂછ્યા છે. 


મણિપુર મુદ્દે પીએમ મોદીના મૌન પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ

વાત પણ સાચી છે કારણ કે વિપક્ષે પણ પીએમ મોદીના મૌન પર અનેક વખત સવાલ ઉઠાવ્યા છે. સંસદ જ્યારે મળી હતી તે વખતે પણ મણિપુર મુદ્દે વાદ-વિવાદ છેડાતો હતો અને કાર્યવાહી સ્થગિત થઈ જતી હતી. મુખ્યમંત્રીના ઘર પણ હુમલો થયો. પરિસ્થિતિને શાંત કરવામાં સીએમ નિષ્ફળ ગયા છે તેથી મુખ્યમંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએ તેવી ચર્ચા, તેવી માગ વિપક્ષ  દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થાય છે તે એક મોટો પ્રશ્ન છે...    





રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .