Manipur મુદ્દે PM Modiના મૌન પર જનતાએ ઉઠાવ્યા સવાલ, Social Media Platform X પર ટ્રેન્ડ થયું....


  • Published By :
  • Published Date : 2023-10-09 09:05:13

ઈઝરાયલમાં પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ઈઝરાયલમાં થયેલા હુમલામાં હજારો લોકો માર્યા ગયા છે. તબાહીના અનેક દ્રશ્યો આપણી સામે છે. લોકો બેઘર બન્યા છે, જીવવાનું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા X પર ઈઝરાયલમાં થયેલો હુમલો તો ટ્રેન્ડ થતો હતો પરંતુ સોમવારે નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો તેવો # ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ # ટ્રેન્ડ થવાનું  પાછળ કારણ છે મણિપુર.... મણિપુરમાં  હિંસા સતત વધતી જઈ રહી છે. હિંસા શાંત થવાને બદલે વધુ ઉગ્ર બની રહી છે. લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આખા રાજ્યમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. ત્યારે મણિપુર મુદ્દે પીએમ મોદીએ મૌન ધારણ કર્યું છે જેને કારણે આ # ટ્વિટર હાલ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ભારત ઈઝરાયલ સાથે છે તે વાતનો જાણે વિરોધ લોકો કરી રહ્યા છે.  



મણિપુરમાં પ્રતિદિન વધી રહી છે હિંસાની ઘટના 

છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર હિંસાની આગમાં બળી રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો બેઘર થઈ ગયા છે. તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યોના ઘરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. મણિપુરમાં વધતી હિંસાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ મણિપુરમાં થઈ રહેલી હિંસા મુદ્દે હજી સુધી પ્રતિક્રિયા નથી આપી. પીએમએ પ્રતિક્રિયા એક વખત આપી હતી જ્યારે મહિલાઓને નગ્ન કરી તેમની પરેડ કાઢવામાં આવી હતી અને તેમની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી તેનો વીડિયો સામે આવ્યો હતો. તે વખતે તેમણે મણિપુર વિશે ઓછું અને બીજા રાજ્યો વિશે વધારે વાત કરી હતી. 


'નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો' X પર થયું ટ્રેન્ડ 

સોશિયલ મીડિયા X પર નરેન્દ્ર મોદી ઈસ્તિફા દો ટ્રેન્ડ થઈ રહ્યું છે તેમાં રાજસ્થાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પીએમ મોદી અનેક વખથ રાજસ્થાનના પ્રવાસે ગયા છે પરંતુ એક વખત પણ મણિપુરના પ્રવાસે નથી ગયા. આ વાતને લઈ યુઝર્સ ટ્વિટ કરી રહ્યા છે. તે ઉપરાંત ઈઝરાયલમાં થઈ રહેલી હિંસામાં પીએમ મોદીએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે તેનો પણ વિરોધ જાણે યુઝર્સ કરતા હોય તેવું લાગી રહ્યું છે.  પીએમ મોદી જો ઈઝરાયલમાં શરૂ થયેલી હિંસાને લઈ બોલી શકે છે તો છેલ્લા અનેક મહિનાઓથી બળી રહેલા મણિપુરને લઈ તે કેમ નથી બોલી રહ્યા તેવા પ્રશ્ન અનેક યુઝર્સે પૂછ્યા છે. 


મણિપુર મુદ્દે પીએમ મોદીના મૌન પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ

વાત પણ સાચી છે કારણ કે વિપક્ષે પણ પીએમ મોદીના મૌન પર અનેક વખત સવાલ ઉઠાવ્યા છે. સંસદ જ્યારે મળી હતી તે વખતે પણ મણિપુર મુદ્દે વાદ-વિવાદ છેડાતો હતો અને કાર્યવાહી સ્થગિત થઈ જતી હતી. મુખ્યમંત્રીના ઘર પણ હુમલો થયો. પરિસ્થિતિને શાંત કરવામાં સીએમ નિષ્ફળ ગયા છે તેથી મુખ્યમંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએ તેવી ચર્ચા, તેવી માગ વિપક્ષ  દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થાય છે તે એક મોટો પ્રશ્ન છે...    





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.