પંજાબ CM પર પુત્રીનો ગંભીર આરોપ 'મારા પિતા દારૂ પીને વિધાનસભામાં જાય છે, માતા સાથે કરે છે મારપીટ'


  • Published By :
  • Published Date : 2023-12-10 19:21:34

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે. તે પોતાના ત્રીજા બાળકનો પિતા બનવા જઈ રહ્યો છે. શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીરત કૌરનો વીડિયો બતાવ્યો હતો. વિવાદાસ્પદ વીડિયોમાં સીરત કૌર તેના પિતા ભગવંત માન પર આરોપ લગાવતી જોઈ શકાય છે. સિરતે કહ્યું કે ભગવંત માને તેની અને તેના ભાઈની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે. વીડિયોમાં સિરતે સવાલ કર્યો હતો કે, જો કોઈ વ્યક્તિ માતા-પિતાની જવાબદારીઓ નિભાવી શકતો નથી તો તેને પંજાબ ચલાવવાની જવાબદારી કેવી રીતે સોંપવામાં આવે?


પિતાથી અલગ થઈ ગઈ છે 


સિરત કૌરે કહ્યું કે તેણે પોતાના પિતાના નામથી દૂરી બનાવી લીધી છે. સીરતે કહ્યું કે તેના પિતાની પત્ની ડો. ગુરપ્રીત કૌરે તેને અને તેના ભાઈને સાઇડલાઇન કરી દિધા છે. ઉલ્લેખનિય છે કે  મુખ્યમંત્રી ભગવંત માનની બીજી પત્ની ડો.ગુરપ્રીત કૌર હાલ ગર્ભવતી છે.વિડિયો અંગે બિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું કે જે માણસ પોતાના બાળકોની સંભાળ રાખી શકતો નથી તેમના પર રાજ્યના હિતમાં કામ કરવાનો વિશ્વાસ કરી શકાય નહીં.


SGPCએ પણ લગાવ્યો હતો ગંભીર આરોપ 


શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આરોપ લગાવ્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન બૈસાખીના અવસર પર નશાની હાલતમાં તખ્ત દમદમા સાહિબમાં પ્રવેશ્યા હતા. કમિટીએ આ માટે પંજાબના મુખ્યમંત્રી પાસે માફી માંગવાની પણ માંગ કરી હતી. એસજીપીસીના જનરલ સેક્રેટરી કરનૈલ સિંહ પંજોલીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ ગુરુ ઘરની મુલાકાત વખતે મૂળભૂત નિયમોનું પાલન કર્યું ન હતું. તેણે ટિપ્પણી કરી કે જો માન દારૂ પીવાનું બંધ ન કરી શકે તો તેણે ગુરુના ઘરની અંદર આવવાનું ટાળવું જોઈએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.