પંજાબ CM પર પુત્રીનો ગંભીર આરોપ 'મારા પિતા દારૂ પીને વિધાનસભામાં જાય છે, માતા સાથે કરે છે મારપીટ'


  • Published By :
  • Published Date : 2023-12-10 19:21:34

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે. તે પોતાના ત્રીજા બાળકનો પિતા બનવા જઈ રહ્યો છે. શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીરત કૌરનો વીડિયો બતાવ્યો હતો. વિવાદાસ્પદ વીડિયોમાં સીરત કૌર તેના પિતા ભગવંત માન પર આરોપ લગાવતી જોઈ શકાય છે. સિરતે કહ્યું કે ભગવંત માને તેની અને તેના ભાઈની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે. વીડિયોમાં સિરતે સવાલ કર્યો હતો કે, જો કોઈ વ્યક્તિ માતા-પિતાની જવાબદારીઓ નિભાવી શકતો નથી તો તેને પંજાબ ચલાવવાની જવાબદારી કેવી રીતે સોંપવામાં આવે?


પિતાથી અલગ થઈ ગઈ છે 


સિરત કૌરે કહ્યું કે તેણે પોતાના પિતાના નામથી દૂરી બનાવી લીધી છે. સીરતે કહ્યું કે તેના પિતાની પત્ની ડો. ગુરપ્રીત કૌરે તેને અને તેના ભાઈને સાઇડલાઇન કરી દિધા છે. ઉલ્લેખનિય છે કે  મુખ્યમંત્રી ભગવંત માનની બીજી પત્ની ડો.ગુરપ્રીત કૌર હાલ ગર્ભવતી છે.વિડિયો અંગે બિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું કે જે માણસ પોતાના બાળકોની સંભાળ રાખી શકતો નથી તેમના પર રાજ્યના હિતમાં કામ કરવાનો વિશ્વાસ કરી શકાય નહીં.


SGPCએ પણ લગાવ્યો હતો ગંભીર આરોપ 


શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આરોપ લગાવ્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન બૈસાખીના અવસર પર નશાની હાલતમાં તખ્ત દમદમા સાહિબમાં પ્રવેશ્યા હતા. કમિટીએ આ માટે પંજાબના મુખ્યમંત્રી પાસે માફી માંગવાની પણ માંગ કરી હતી. એસજીપીસીના જનરલ સેક્રેટરી કરનૈલ સિંહ પંજોલીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ ગુરુ ઘરની મુલાકાત વખતે મૂળભૂત નિયમોનું પાલન કર્યું ન હતું. તેણે ટિપ્પણી કરી કે જો માન દારૂ પીવાનું બંધ ન કરી શકે તો તેણે ગુરુના ઘરની અંદર આવવાનું ટાળવું જોઈએ.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે