લફરું હોય તો રોકાઈ જજો! આ HCએ આપ્યો મોટો ચુકાદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 13:33:29

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તલાકના આદેશ સામેની અરજી ફગાવતા સ્પષ્ટ કરી દીધું હતું કે જો તલાકનો આદેશ વ્યભિચારને આધાર બનાવીને આપવામાં આવે તો પત્ની પતિ દ્વારા આપવામાં આવતા ભથ્થાને હકદાર નથી. તલાકની અરજી ફગાવતા હાઈકોર્ટે અંબાલા ફેમેલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. 


પત્ની પતિને કરતી હતી હેરાન

એક મહિલાએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી અંબાલા ફેમેલી કોર્ટના ચુકાદાને પડકાર આપ્યો હતો. આ કેસમાં પતિએ પત્નીને તલાક આપ્યા હતા અને પતિની અરજીને ફેમેલી કોર્ટે માન્ય રાખી હતી. અરજીની સુનાવણીમાં પતિએ જણાવ્યું હતું કે તેમની પત્ની તેમને હેરાન કરે છે અને ગાળો પણ આપે છે. પતીએ ફરિયાદ કરી હતી કે તેમની પત્નીએ લગ્ન બાદ જ પતિને સમાજ સામે હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. 


પત્નીના જેલ અધિકારી સાથે હતું લફરું


અંબાલા ફેમેલી કોર્ટમાં પતિએ પોતાની વેદના જણાવતા કહ્યું હતું કે પત્નીનું અંબાલા જેલના અધિકારી સાથે લફરું હતું અને પતિના મિત્રોએ અનેકવાર જેલ અધિકારીને પતિના ઘરની અંદર જતા જોયા છે. પતિએ પોલીસ ફરિયાદ કરી હતી જેના પર ડીજીપીએ સમગ્ર તપાસ ડીએસપીને સોંપી હતી. ડીએસપીએ તપાસના રિપોર્ટમાં સમગ્ર મામલાને વ્યભિચારનો મામલો હોવાનું જણાવ્યું હતું. 


પંજાબ-હરિયાણા હાઈકોર્ટે શું કહ્યું?

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સમગ્ર મામલે ચુકાદો આપતા જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસનો રિપોર્ટ છે. કેસમાં પોલીસે આ કેસને વ્યભિચારનો કેસ જણાવ્યો છે. તેના કારણે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. ત્યાર બાદ અરજીકરનાર પતિએ ભથ્થું આપવાની મનાહી કરી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે વ્યભિચારના કારણે તલાકને માન્ય રાખવાનો હાઈકોર્ટ આદેશ આપે છે. હાઈકોર્ટે અરજીકરનાર પતિને ભથ્થું આપવામાંથી પણ રાહત આપી હતી. 


  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .