લફરું હોય તો રોકાઈ જજો! આ HCએ આપ્યો મોટો ચુકાદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 13:33:29

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તલાકના આદેશ સામેની અરજી ફગાવતા સ્પષ્ટ કરી દીધું હતું કે જો તલાકનો આદેશ વ્યભિચારને આધાર બનાવીને આપવામાં આવે તો પત્ની પતિ દ્વારા આપવામાં આવતા ભથ્થાને હકદાર નથી. તલાકની અરજી ફગાવતા હાઈકોર્ટે અંબાલા ફેમેલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. 


પત્ની પતિને કરતી હતી હેરાન

એક મહિલાએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી અંબાલા ફેમેલી કોર્ટના ચુકાદાને પડકાર આપ્યો હતો. આ કેસમાં પતિએ પત્નીને તલાક આપ્યા હતા અને પતિની અરજીને ફેમેલી કોર્ટે માન્ય રાખી હતી. અરજીની સુનાવણીમાં પતિએ જણાવ્યું હતું કે તેમની પત્ની તેમને હેરાન કરે છે અને ગાળો પણ આપે છે. પતીએ ફરિયાદ કરી હતી કે તેમની પત્નીએ લગ્ન બાદ જ પતિને સમાજ સામે હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. 


પત્નીના જેલ અધિકારી સાથે હતું લફરું


અંબાલા ફેમેલી કોર્ટમાં પતિએ પોતાની વેદના જણાવતા કહ્યું હતું કે પત્નીનું અંબાલા જેલના અધિકારી સાથે લફરું હતું અને પતિના મિત્રોએ અનેકવાર જેલ અધિકારીને પતિના ઘરની અંદર જતા જોયા છે. પતિએ પોલીસ ફરિયાદ કરી હતી જેના પર ડીજીપીએ સમગ્ર તપાસ ડીએસપીને સોંપી હતી. ડીએસપીએ તપાસના રિપોર્ટમાં સમગ્ર મામલાને વ્યભિચારનો મામલો હોવાનું જણાવ્યું હતું. 


પંજાબ-હરિયાણા હાઈકોર્ટે શું કહ્યું?

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સમગ્ર મામલે ચુકાદો આપતા જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસનો રિપોર્ટ છે. કેસમાં પોલીસે આ કેસને વ્યભિચારનો કેસ જણાવ્યો છે. તેના કારણે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. ત્યાર બાદ અરજીકરનાર પતિએ ભથ્થું આપવાની મનાહી કરી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે વ્યભિચારના કારણે તલાકને માન્ય રાખવાનો હાઈકોર્ટ આદેશ આપે છે. હાઈકોર્ટે અરજીકરનાર પતિને ભથ્થું આપવામાંથી પણ રાહત આપી હતી. 


  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.