લફરું હોય તો રોકાઈ જજો! આ HCએ આપ્યો મોટો ચુકાદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 13:33:29

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તલાકના આદેશ સામેની અરજી ફગાવતા સ્પષ્ટ કરી દીધું હતું કે જો તલાકનો આદેશ વ્યભિચારને આધાર બનાવીને આપવામાં આવે તો પત્ની પતિ દ્વારા આપવામાં આવતા ભથ્થાને હકદાર નથી. તલાકની અરજી ફગાવતા હાઈકોર્ટે અંબાલા ફેમેલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. 


પત્ની પતિને કરતી હતી હેરાન

એક મહિલાએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી અંબાલા ફેમેલી કોર્ટના ચુકાદાને પડકાર આપ્યો હતો. આ કેસમાં પતિએ પત્નીને તલાક આપ્યા હતા અને પતિની અરજીને ફેમેલી કોર્ટે માન્ય રાખી હતી. અરજીની સુનાવણીમાં પતિએ જણાવ્યું હતું કે તેમની પત્ની તેમને હેરાન કરે છે અને ગાળો પણ આપે છે. પતીએ ફરિયાદ કરી હતી કે તેમની પત્નીએ લગ્ન બાદ જ પતિને સમાજ સામે હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. 


પત્નીના જેલ અધિકારી સાથે હતું લફરું


અંબાલા ફેમેલી કોર્ટમાં પતિએ પોતાની વેદના જણાવતા કહ્યું હતું કે પત્નીનું અંબાલા જેલના અધિકારી સાથે લફરું હતું અને પતિના મિત્રોએ અનેકવાર જેલ અધિકારીને પતિના ઘરની અંદર જતા જોયા છે. પતિએ પોલીસ ફરિયાદ કરી હતી જેના પર ડીજીપીએ સમગ્ર તપાસ ડીએસપીને સોંપી હતી. ડીએસપીએ તપાસના રિપોર્ટમાં સમગ્ર મામલાને વ્યભિચારનો મામલો હોવાનું જણાવ્યું હતું. 


પંજાબ-હરિયાણા હાઈકોર્ટે શું કહ્યું?

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સમગ્ર મામલે ચુકાદો આપતા જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસનો રિપોર્ટ છે. કેસમાં પોલીસે આ કેસને વ્યભિચારનો કેસ જણાવ્યો છે. તેના કારણે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. ત્યાર બાદ અરજીકરનાર પતિએ ભથ્થું આપવાની મનાહી કરી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે વ્યભિચારના કારણે તલાકને માન્ય રાખવાનો હાઈકોર્ટ આદેશ આપે છે. હાઈકોર્ટે અરજીકરનાર પતિને ભથ્થું આપવામાંથી પણ રાહત આપી હતી. 


  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે