જગન્નાથ મંદિરમાં પ્રવેશ માટે નવા ડ્રેસ કોડનો થયો અમલ, ફાંટેલી જીન્સ, સ્કર્ટ અને નિકર પર પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2024-01-02 14:33:33

ઓડિસાના પુરીમાં આવેલા જગપ્રસિધ્ધ જગન્નાથ મંદિરે નવા વર્ષથી શ્રધ્ધાળુઓ માટે નવા ડ્રેસ કોડની જાહેરાત કરી છે. શ્રી જગન્નાથ મંદિર વહીવટી તંત્રએ કહ્યું છે કે હાફ પેન્ટ, શોર્ટ્સ, ફાંટેલી જિન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ ડ્રેસ પહેરનારા ભક્તોને મંદિરમાં એન્ટ્રી નહીં કરવા દેવામાં આવે. આ પહેલા પણ મંદિર વહીવટી તંત્રએ આ સંબંધમાં આદેશ આપ્યો હતો. પોલીસને પણ આ નવા ડ્રેસ કોડનો ચુસ્ત અમલ કરાવવાનું કહેવામાં આવ્યું છે. આ પહેલા મંદિરમાં પાન-ગુટખા અને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 


શાલિન વસ્ત્રો પહેરવા પડશે 


શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કરવા માટે શાલિન વસ્ત્રો પહેરવા પડશે. હાફ પેન્ટ, નિકર, ફાંટેલી જીન્સ, સ્કર્ટ અને ટ્રાન્સપરન્ટ કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. આ નિયમનો અમલ થાય તે પહેલા મંદિરમાં પ્રવેશનારા પુરૂષો ધોતીયું અને ખેસ તથા મહિલાઓ સાડી અને કમીજમાં જોવા મળી હતી. આ પહેલા પણ મંદિર પ્રશાસને આ સંબંધમાં આદેશ જાહેર કર્યો હતો. પોલીસે આ પ્રતિબંધોનો અમલ કરવાનું કહ્યું હતું. 


નૂતન વર્ષે 3.50 લાખ શ્રધ્ધાળુંઓએ કર્યા દર્શન


નવા વર્ષના આગમનના પ્રથમ દિવસે જ શ્રધ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળ્યું હતું. રાત્રે બે વાગ્યાથી જ શ્રધ્ધાળુંઓનો ઘસારો શરૂ થયો હતો. નવા વર્ષના પહેલા દિવસે  જ ભગવાન જગન્નાથના દર્શન માટે અઢી લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરના દરવાજા ખુલ્યા બાદ લોકો લાંબી કતારમાં ઉભેલા  જોવા મળ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં 3 લાખ અને 50 હજારથી પણ વધુ ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.