જગન્નાથ મંદિરમાં પ્રવેશ માટે નવા ડ્રેસ કોડનો થયો અમલ, ફાંટેલી જીન્સ, સ્કર્ટ અને નિકર પર પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2024-01-02 14:33:33

ઓડિસાના પુરીમાં આવેલા જગપ્રસિધ્ધ જગન્નાથ મંદિરે નવા વર્ષથી શ્રધ્ધાળુઓ માટે નવા ડ્રેસ કોડની જાહેરાત કરી છે. શ્રી જગન્નાથ મંદિર વહીવટી તંત્રએ કહ્યું છે કે હાફ પેન્ટ, શોર્ટ્સ, ફાંટેલી જિન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ ડ્રેસ પહેરનારા ભક્તોને મંદિરમાં એન્ટ્રી નહીં કરવા દેવામાં આવે. આ પહેલા પણ મંદિર વહીવટી તંત્રએ આ સંબંધમાં આદેશ આપ્યો હતો. પોલીસને પણ આ નવા ડ્રેસ કોડનો ચુસ્ત અમલ કરાવવાનું કહેવામાં આવ્યું છે. આ પહેલા મંદિરમાં પાન-ગુટખા અને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 


શાલિન વસ્ત્રો પહેરવા પડશે 


શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કરવા માટે શાલિન વસ્ત્રો પહેરવા પડશે. હાફ પેન્ટ, નિકર, ફાંટેલી જીન્સ, સ્કર્ટ અને ટ્રાન્સપરન્ટ કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. આ નિયમનો અમલ થાય તે પહેલા મંદિરમાં પ્રવેશનારા પુરૂષો ધોતીયું અને ખેસ તથા મહિલાઓ સાડી અને કમીજમાં જોવા મળી હતી. આ પહેલા પણ મંદિર પ્રશાસને આ સંબંધમાં આદેશ જાહેર કર્યો હતો. પોલીસે આ પ્રતિબંધોનો અમલ કરવાનું કહ્યું હતું. 


નૂતન વર્ષે 3.50 લાખ શ્રધ્ધાળુંઓએ કર્યા દર્શન


નવા વર્ષના આગમનના પ્રથમ દિવસે જ શ્રધ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળ્યું હતું. રાત્રે બે વાગ્યાથી જ શ્રધ્ધાળુંઓનો ઘસારો શરૂ થયો હતો. નવા વર્ષના પહેલા દિવસે  જ ભગવાન જગન્નાથના દર્શન માટે અઢી લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરના દરવાજા ખુલ્યા બાદ લોકો લાંબી કતારમાં ઉભેલા  જોવા મળ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં 3 લાખ અને 50 હજારથી પણ વધુ ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.