પૂર્ણેશ મોદી મંત્રી છે, પણ લખતાં પહેલાં વિચારતા નથી. લખીને ડિલીટ કરી દેવાનો શું અર્થ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 16:19:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે હિંદુ મુસ્લીમની રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. લોકોને ખરા મુદ્દાઓથી ભટકાવવા માટે અને ધાર્મિક મુદ્દાઓ સુધી જ સમિત રાખવા માટે વર્ષોથી આવા પ્રકારના વલણો રાજકીય પાર્ટી વાપરતી હોય છે અને લોકોને ભ્રમિત કરતી હોય છે ત્યારે ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ હિંદુ-મુસ્લીમ બાબતે ટ્વીટ કરી હતી જે તેમણે ડિલિટ પણ કરી દીધી છે. 


શું કરી હતી ટ્વીટ?

પૂર્ણેશ મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરી હતી કે બેટ દ્વારકાના મોટા ભાગના મુસ્લીમના પરિવાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. તે તમામ લોકો પોતાની દિકરીઓને પાકિસ્તાનીઓ સાથે પરણાવે છે. 


બેટ દ્વારકામાં મસ્જિદોની સંખ્યા વધી રહી છે

ટ્વિટ કરતા જણાવ્યું કે બેટ દ્વારકાના મોટા ભાગના મુસ્લીમ પરિવારોના સંબંધ પાકિસ્તાન સાથે છે. 2005ના સેટેલાઈટ મેપમાં બેટ દ્વારિકાની અંદર માત્ર 6 દરગાહો હતી જે 2022માં વધીને 78 થઈ ગઈ છે. 


સ્ટ્રાઈક ઓન દ્વારકા લેન્ડ જેહાદ હેશટેગ સાથે કરી ટ્વીટ

પૂર્ણેશ મોદીએ બેટ દ્વારકામાં થઈ રહેલા ડિમોલિશન મામલે ટ્વીટ કરી હતી. તેમણે આ ડિમોલિશનને પાકિસ્તાન સાથે જોડી દીધી હતી. વાત એમ છે કે બેટ દ્વારકા વિસ્તારમાં તંત્ર દ્વારા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બેટ દ્વારકામાં આવેલી ત્રણ દરગાહને પણ તોડી પાડવામાં આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાનું કહી તંત્રએ તમામ કામગીરી હીથ ધરી હતી. ત્યારે આ વાતના સંદર્ભમાં સ્ટ્રાઈક ઓન દ્વારકા લેન્ડ જેહાદ હેશટેગ સાથે પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરી હતી. 


મુસ્લીમો હિંદુઓને દર્શન કરતા રોકવા માગે છેઃ પૂર્ણેશ મોદી 

પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે હિંદુ તહેવારો પર મંદિરના દર્શને આવતા ભક્તો માટે તેમણે કહ્યું કે ઓખાથી બેટ દ્વારકા જવા માટે ઉપયોગી બનતી બોટ મુસ્લિમ સમુદાયની છે. હિંદુ તહેવારના સમયે આ લોકો ચાર ગણુ ભાડુ વસુલે છે. પૂર્ણેશ મોદીની ટ્વીટમાં આ મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો કે ચાર ગણું ભાડું એટલા માટે લેવામાં આવે છે કે જેથી હિંદુ લોકો પૌરાણીક મંદિરોમાં દર્શન કરવા ન આવી શકે.    


પૂર્ણેશ મોદીએ શા માટે ટ્વીટ ડિલિટ કરી?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ સમય રાજનેતાઓ માટે લોકોને ધાર્મિક લાગણીઓ સાથે સાંકળી ખરા મુદ્દાઓથી ભટકાવવાનો હોય છે. વર્ષોથી આ પરંપરાનું પાલન રાજનેતાઓ કરતા આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમના દિલ્લીના મંત્રીએ નાગપુર ખાતે બૌદ્ધ ધર્મની દિક્ષા લીધી હતી અને હજારો લોકોને બ્રહ્મા અને વિષ્ણુને ના માનવાની શપથ અપાવી હતી. સમગ્ર બાબતે ગુજરાતમાં પડઘા પડ્યા હતા અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધના પોસ્ટર ગુજરાતના મોટા શહેરોમાં લગાવી દેવામાં આવ્યા હતા. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ હિંદુ વિરોધી છે. પોસ્ટરની અંદર કેજરીવાલને ટોપી પહેરાવવામાં આવી છે. આના પરથી કહી શકાય કે હિંદુ મુસ્લીમની રાજનીતિનો ગુજરાતમાં ઉદય થઈ ગયો છે. ત્યારે પૂર્ણેશ મોદીએ કોમી ટ્વીટ કરી હતી અને મિનિટોની અંદર જ ડિલિટ પણ કરી નાખી હતી.


હવે ચૂંટણીના ડરથી તેમણે ટ્વીટ ડિલિટ કરી છે કે કોઈએ તેમને ધમકી આપી દીધી હોય અને ડિલિટ કરી છે તે તપાસનો વિષય છે. પણ આ સ્ક્રિનશૉટ દર્શાવે છે કે તેમણે ટ્વીટ કરી હતી અને પ્રેશર આવતા ટ્વીટ ડિલિટ પણ કરી દીધી હતી.  

   






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.