કતારમાં મૃત્યુદંડની સજા પામનારા 8 ભારતીયોને હાશકારો, ફાંસીની સજા કરાઈ મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-12-28 17:30:38

કતારમાં ધરપકડ કરાયેલા 8 ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓની ફાંસીની સજા પર સ્ટે મૂકવામાં આવ્યો છે. ગત વર્ષે કતારમાં ધરપકડ કરવામાં આવેલા 8 પૂર્વ નેવી અધિકારીઓને એક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. આ અધિકારીઓ પર કતારમાં જાસુસીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી. 


શું કહ્યું વિદેશ મંત્રાલયે?


આ સમગ્ર મામલે ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે કતારમાં આપણા રાજદૂત અને અન્ય અધિકારી પરિવારના સભ્યો સાથે આજે અપીલ કોર્ટમાં હાજર રહ્યા હતા. અમે મામલાની શરુઆતથી તેમની સાથે ઊભા છીએ. અને તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. અમે આ મામલાને કતારના અધિકારી સમક્ષ ઉઠાવવાનું ચાલુ રાખીશું. આ મામલાની કાર્યવાહી ગોપનીય અને સંવેદનશીલ પ્રકૃતિના કારણે, હાલમાં કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી.


અલ દહરા કંપનીમાં કામ કરતા હતા


કતારમાં નેવીના જે 8 ભારતીયોને મોતની સજા સંભળાવી હતી, તે તમામ અલ દહરા કંપનીમાં કામ કરતા હતા. કતારની કોર્ટે ઓક્ટોબર મહિનામાં આ તમામને મોતની સજા સંભળાવી હતી. ત્યારથી વિદેશ મંત્રાલય સતત આ પૂર્વ અધિકારીઓની મદદમાં લાગેલું હતું અને મામલા પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું હતું. ગત મહિને જ વિદેશ મંત્રાલયે આ પૂર્વ અધિકારીઓ સુધી કાઉન્સિલર પહોંચાડવામાં મદદ મળી હતી. ત્યાર બાદ આ મામલામાં ફરી વાર અપીલ કરવામાં આવી હતી.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.