કતારમાં મૃત્યુદંડની સજા પામનારા 8 ભારતીયોને હાશકારો, ફાંસીની સજા કરાઈ મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-12-28 17:30:38

કતારમાં ધરપકડ કરાયેલા 8 ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓની ફાંસીની સજા પર સ્ટે મૂકવામાં આવ્યો છે. ગત વર્ષે કતારમાં ધરપકડ કરવામાં આવેલા 8 પૂર્વ નેવી અધિકારીઓને એક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. આ અધિકારીઓ પર કતારમાં જાસુસીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી. 


શું કહ્યું વિદેશ મંત્રાલયે?


આ સમગ્ર મામલે ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે કતારમાં આપણા રાજદૂત અને અન્ય અધિકારી પરિવારના સભ્યો સાથે આજે અપીલ કોર્ટમાં હાજર રહ્યા હતા. અમે મામલાની શરુઆતથી તેમની સાથે ઊભા છીએ. અને તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. અમે આ મામલાને કતારના અધિકારી સમક્ષ ઉઠાવવાનું ચાલુ રાખીશું. આ મામલાની કાર્યવાહી ગોપનીય અને સંવેદનશીલ પ્રકૃતિના કારણે, હાલમાં કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી.


અલ દહરા કંપનીમાં કામ કરતા હતા


કતારમાં નેવીના જે 8 ભારતીયોને મોતની સજા સંભળાવી હતી, તે તમામ અલ દહરા કંપનીમાં કામ કરતા હતા. કતારની કોર્ટે ઓક્ટોબર મહિનામાં આ તમામને મોતની સજા સંભળાવી હતી. ત્યારથી વિદેશ મંત્રાલય સતત આ પૂર્વ અધિકારીઓની મદદમાં લાગેલું હતું અને મામલા પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું હતું. ગત મહિને જ વિદેશ મંત્રાલયે આ પૂર્વ અધિકારીઓ સુધી કાઉન્સિલર પહોંચાડવામાં મદદ મળી હતી. ત્યાર બાદ આ મામલામાં ફરી વાર અપીલ કરવામાં આવી હતી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.