કતારમાં મૃત્યુદંડની સજા પામનારા 8 ભારતીયોને હાશકારો, ફાંસીની સજા કરાઈ મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-12-28 17:30:38

કતારમાં ધરપકડ કરાયેલા 8 ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓની ફાંસીની સજા પર સ્ટે મૂકવામાં આવ્યો છે. ગત વર્ષે કતારમાં ધરપકડ કરવામાં આવેલા 8 પૂર્વ નેવી અધિકારીઓને એક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. આ અધિકારીઓ પર કતારમાં જાસુસીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી. 


શું કહ્યું વિદેશ મંત્રાલયે?


આ સમગ્ર મામલે ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે કતારમાં આપણા રાજદૂત અને અન્ય અધિકારી પરિવારના સભ્યો સાથે આજે અપીલ કોર્ટમાં હાજર રહ્યા હતા. અમે મામલાની શરુઆતથી તેમની સાથે ઊભા છીએ. અને તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. અમે આ મામલાને કતારના અધિકારી સમક્ષ ઉઠાવવાનું ચાલુ રાખીશું. આ મામલાની કાર્યવાહી ગોપનીય અને સંવેદનશીલ પ્રકૃતિના કારણે, હાલમાં કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી.


અલ દહરા કંપનીમાં કામ કરતા હતા


કતારમાં નેવીના જે 8 ભારતીયોને મોતની સજા સંભળાવી હતી, તે તમામ અલ દહરા કંપનીમાં કામ કરતા હતા. કતારની કોર્ટે ઓક્ટોબર મહિનામાં આ તમામને મોતની સજા સંભળાવી હતી. ત્યારથી વિદેશ મંત્રાલય સતત આ પૂર્વ અધિકારીઓની મદદમાં લાગેલું હતું અને મામલા પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું હતું. ગત મહિને જ વિદેશ મંત્રાલયે આ પૂર્વ અધિકારીઓ સુધી કાઉન્સિલર પહોંચાડવામાં મદદ મળી હતી. ત્યાર બાદ આ મામલામાં ફરી વાર અપીલ કરવામાં આવી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે