કતારમાં મૃત્યુદંડની સજા પામનારા 8 ભારતીયોને હાશકારો, ફાંસીની સજા કરાઈ મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-12-28 17:30:38

કતારમાં ધરપકડ કરાયેલા 8 ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓની ફાંસીની સજા પર સ્ટે મૂકવામાં આવ્યો છે. ગત વર્ષે કતારમાં ધરપકડ કરવામાં આવેલા 8 પૂર્વ નેવી અધિકારીઓને એક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. આ અધિકારીઓ પર કતારમાં જાસુસીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી. 


શું કહ્યું વિદેશ મંત્રાલયે?


આ સમગ્ર મામલે ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે કતારમાં આપણા રાજદૂત અને અન્ય અધિકારી પરિવારના સભ્યો સાથે આજે અપીલ કોર્ટમાં હાજર રહ્યા હતા. અમે મામલાની શરુઆતથી તેમની સાથે ઊભા છીએ. અને તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. અમે આ મામલાને કતારના અધિકારી સમક્ષ ઉઠાવવાનું ચાલુ રાખીશું. આ મામલાની કાર્યવાહી ગોપનીય અને સંવેદનશીલ પ્રકૃતિના કારણે, હાલમાં કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી.


અલ દહરા કંપનીમાં કામ કરતા હતા


કતારમાં નેવીના જે 8 ભારતીયોને મોતની સજા સંભળાવી હતી, તે તમામ અલ દહરા કંપનીમાં કામ કરતા હતા. કતારની કોર્ટે ઓક્ટોબર મહિનામાં આ તમામને મોતની સજા સંભળાવી હતી. ત્યારથી વિદેશ મંત્રાલય સતત આ પૂર્વ અધિકારીઓની મદદમાં લાગેલું હતું અને મામલા પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું હતું. ગત મહિને જ વિદેશ મંત્રાલયે આ પૂર્વ અધિકારીઓ સુધી કાઉન્સિલર પહોંચાડવામાં મદદ મળી હતી. ત્યાર બાદ આ મામલામાં ફરી વાર અપીલ કરવામાં આવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.