નકલી દવાઓની ઓળખ કરવી હવે સરળ બનશે, દવાઓ પર છપાશે QR-CODE


  • Published By :
  • Published Date : 2022-11-18 20:12:53

ભારતમાં નકલી દવાઓની સમસ્યા બહુ જુની અને વ્યાપક છે. દેશના લોકો માટે પણ નકલી દવાની ઓળખ કરવી તે ખુબ મુશ્કેલ કામ છે. જો કે હવે આ સમસ્યાથી રાહત મળે તે માટે સરકારે દવાની ઓળખ કરવા માટે તેના qr-code છાપવાનો નિયમ બનાવ્યો છે.


દરેક દવાઓ પર હશે qr-code 


ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમના પહેલા તબક્કામાં દવાની બોટલ, જાર, કેન, ટ્યુબ પર qr-code છાપવામાં આવશે. આ qr-codeને તેમના મોબાઈલથી સ્કેન કરવા પર આ દવા અસલી છે કે નકલી તે લોકોને ખબર પડી જશે. કેન્દ્ર સરકારે 300 કોમન ટ્રેંડની દવા પર qr-code કોડ લગાવવાનો નિર્ણય કર્યો છે. તેનો હેતુ વિટામીન, ડાયાબિટીસ, હાઈપરટેન્શન, અને કેન્સર વગેરે રોગની કોમન દવાના સ્ટાન્ડર્ડ નિર્ધારીત કર્યા છે. સરકારના આ પગલાથી ડોલો,સેરેડોન, કોરેક્સ, એલેગ્રા જેવી બ્રાંડ પર અસર પડી શકે છે. આ વર્ષે જુનમાં જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનને આ મહિને ફાઈનલ કરવામાં આવ્યો છે. દવા ઉદ્યોગોએ તેનો અમલ કરવા માટે 18 મહિનાનો સમય માગ્યો છે.


NPPAએ 300 દવાની યાદી તૈયાર કરી


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ  qr-code કોડનો નિયમના અમલ માટે મેડિસિન એક્ટ 1945માં અનેક સુધારા કર્યા છે. માર્ચમાં કેન્દ્ર સરકારે 300 દવાઓની એક યાદી જાહેર કરીને કહ્યું હતું કે જેને  qr-code કોડ લાગુ કરવાની પહેલી યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ NPPAએ આ દવાઓની એક યાદી તૈયાર કરી હતી. જેમાં પેઈન કિલર, વિટામિન, ડાયાબિટીસ, ગર્ભનિરોધક અને બ્લડ પ્રેસર જેવી દવાઓનો સમાવેશ થાય છે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .