નકલી દવાઓની ઓળખ કરવી હવે સરળ બનશે, દવાઓ પર છપાશે QR-CODE


  • Published By :
  • Published Date : 2022-11-18 20:12:53

ભારતમાં નકલી દવાઓની સમસ્યા બહુ જુની અને વ્યાપક છે. દેશના લોકો માટે પણ નકલી દવાની ઓળખ કરવી તે ખુબ મુશ્કેલ કામ છે. જો કે હવે આ સમસ્યાથી રાહત મળે તે માટે સરકારે દવાની ઓળખ કરવા માટે તેના qr-code છાપવાનો નિયમ બનાવ્યો છે.


દરેક દવાઓ પર હશે qr-code 


ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમના પહેલા તબક્કામાં દવાની બોટલ, જાર, કેન, ટ્યુબ પર qr-code છાપવામાં આવશે. આ qr-codeને તેમના મોબાઈલથી સ્કેન કરવા પર આ દવા અસલી છે કે નકલી તે લોકોને ખબર પડી જશે. કેન્દ્ર સરકારે 300 કોમન ટ્રેંડની દવા પર qr-code કોડ લગાવવાનો નિર્ણય કર્યો છે. તેનો હેતુ વિટામીન, ડાયાબિટીસ, હાઈપરટેન્શન, અને કેન્સર વગેરે રોગની કોમન દવાના સ્ટાન્ડર્ડ નિર્ધારીત કર્યા છે. સરકારના આ પગલાથી ડોલો,સેરેડોન, કોરેક્સ, એલેગ્રા જેવી બ્રાંડ પર અસર પડી શકે છે. આ વર્ષે જુનમાં જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનને આ મહિને ફાઈનલ કરવામાં આવ્યો છે. દવા ઉદ્યોગોએ તેનો અમલ કરવા માટે 18 મહિનાનો સમય માગ્યો છે.


NPPAએ 300 દવાની યાદી તૈયાર કરી


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ  qr-code કોડનો નિયમના અમલ માટે મેડિસિન એક્ટ 1945માં અનેક સુધારા કર્યા છે. માર્ચમાં કેન્દ્ર સરકારે 300 દવાઓની એક યાદી જાહેર કરીને કહ્યું હતું કે જેને  qr-code કોડ લાગુ કરવાની પહેલી યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ NPPAએ આ દવાઓની એક યાદી તૈયાર કરી હતી. જેમાં પેઈન કિલર, વિટામિન, ડાયાબિટીસ, ગર્ભનિરોધક અને બ્લડ પ્રેસર જેવી દવાઓનો સમાવેશ થાય છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે