નકલી દવાઓની ઓળખ કરવી હવે સરળ બનશે, દવાઓ પર છપાશે QR-CODE


  • Published By :
  • Published Date : 2022-11-18 20:12:53

ભારતમાં નકલી દવાઓની સમસ્યા બહુ જુની અને વ્યાપક છે. દેશના લોકો માટે પણ નકલી દવાની ઓળખ કરવી તે ખુબ મુશ્કેલ કામ છે. જો કે હવે આ સમસ્યાથી રાહત મળે તે માટે સરકારે દવાની ઓળખ કરવા માટે તેના qr-code છાપવાનો નિયમ બનાવ્યો છે.


દરેક દવાઓ પર હશે qr-code 


ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમના પહેલા તબક્કામાં દવાની બોટલ, જાર, કેન, ટ્યુબ પર qr-code છાપવામાં આવશે. આ qr-codeને તેમના મોબાઈલથી સ્કેન કરવા પર આ દવા અસલી છે કે નકલી તે લોકોને ખબર પડી જશે. કેન્દ્ર સરકારે 300 કોમન ટ્રેંડની દવા પર qr-code કોડ લગાવવાનો નિર્ણય કર્યો છે. તેનો હેતુ વિટામીન, ડાયાબિટીસ, હાઈપરટેન્શન, અને કેન્સર વગેરે રોગની કોમન દવાના સ્ટાન્ડર્ડ નિર્ધારીત કર્યા છે. સરકારના આ પગલાથી ડોલો,સેરેડોન, કોરેક્સ, એલેગ્રા જેવી બ્રાંડ પર અસર પડી શકે છે. આ વર્ષે જુનમાં જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનને આ મહિને ફાઈનલ કરવામાં આવ્યો છે. દવા ઉદ્યોગોએ તેનો અમલ કરવા માટે 18 મહિનાનો સમય માગ્યો છે.


NPPAએ 300 દવાની યાદી તૈયાર કરી


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ  qr-code કોડનો નિયમના અમલ માટે મેડિસિન એક્ટ 1945માં અનેક સુધારા કર્યા છે. માર્ચમાં કેન્દ્ર સરકારે 300 દવાઓની એક યાદી જાહેર કરીને કહ્યું હતું કે જેને  qr-code કોડ લાગુ કરવાની પહેલી યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ NPPAએ આ દવાઓની એક યાદી તૈયાર કરી હતી. જેમાં પેઈન કિલર, વિટામિન, ડાયાબિટીસ, ગર્ભનિરોધક અને બ્લડ પ્રેસર જેવી દવાઓનો સમાવેશ થાય છે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.