પોલીસ ભરતી અંગે Vidhansabhaમાં પૂછાયો પ્રશ્ન, Harsh Sangviએ આપ્યો જવાબ કહ્યું ભરતી કરાશે, Yuvrajsinhએ કહ્યું જાહેરાત તો ક્યારની કરાય છે પરંતુ...!


  • Published By :
  • Published Date : 2024-02-28 13:11:03

હાલમાં ગુજરાત વિધાનસભામાં બજેટ સેશન ચાલુ છે . ત્યારે સરકાર તરફથી કેટલીક મહત્વની માહિતી બહાર આપવામાં આવી રહી છે. અને જે માહિતી સામે આવી રહી છે તે એકદમ ચોંકાવનારી હોય છે, જે આંકડો સામે આવતો હોય છે તે જોઈ આંખો પહોળીની પહોળી રહી જતી હોય છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પોલીસ ફોર્સની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જેની માહિતી હર્ષ સંઘવીએ આપી હતી. 

પોલીસની ઘટ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યો પ્રશ્ન!

રાજ્યમાં પોલીસ સ્ટેશનોમાં ઉપરાછાપરી તોડકાંડ બહાર આવી રહ્યા છે. જેમનું કામ છે કાયદા અને વ્યવસ્થા જાળવવાનું તે જ કાયદાનો ભંગ કરતા દેખાય છે. કાયદો વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસની ઘટ પણ વર્તાઈ રહી છે . ત્યારે અમદાવાદની દાણીલિમડા વિધાનસભાના કોંગ્રેસના  ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ ફોર્સની અછત વિશે પ્રશ્ન કર્યો હતો. 



11 હજાર પોલીસકર્મીઓની ભરતી કરવાનું સરકારનું પ્લાનિંગ!

પ્રશ્નના જવાબમાં હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ‎રાજ્ય સરકાર આગામી સમયમાં 11 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. જે અંતર્ગત નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPFની પણ ભરતી કરવામાં આવશે.  ‎ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતી થઈ છે. છેલ્લાં 2 વર્ષમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે. વાત એમ છે કે 2024માં 11 હજાર જગ્યાઓની ભરતી માટે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. હર્ષ સંઘવી દ્વારા આપેલા નિવેદન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.