પોલીસ ભરતી અંગે Vidhansabhaમાં પૂછાયો પ્રશ્ન, Harsh Sangviએ આપ્યો જવાબ કહ્યું ભરતી કરાશે, Yuvrajsinhએ કહ્યું જાહેરાત તો ક્યારની કરાય છે પરંતુ...!


  • Published By :
  • Published Date : 2024-02-28 13:11:03

હાલમાં ગુજરાત વિધાનસભામાં બજેટ સેશન ચાલુ છે . ત્યારે સરકાર તરફથી કેટલીક મહત્વની માહિતી બહાર આપવામાં આવી રહી છે. અને જે માહિતી સામે આવી રહી છે તે એકદમ ચોંકાવનારી હોય છે, જે આંકડો સામે આવતો હોય છે તે જોઈ આંખો પહોળીની પહોળી રહી જતી હોય છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પોલીસ ફોર્સની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જેની માહિતી હર્ષ સંઘવીએ આપી હતી. 

પોલીસની ઘટ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યો પ્રશ્ન!

રાજ્યમાં પોલીસ સ્ટેશનોમાં ઉપરાછાપરી તોડકાંડ બહાર આવી રહ્યા છે. જેમનું કામ છે કાયદા અને વ્યવસ્થા જાળવવાનું તે જ કાયદાનો ભંગ કરતા દેખાય છે. કાયદો વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસની ઘટ પણ વર્તાઈ રહી છે . ત્યારે અમદાવાદની દાણીલિમડા વિધાનસભાના કોંગ્રેસના  ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ ફોર્સની અછત વિશે પ્રશ્ન કર્યો હતો. 



11 હજાર પોલીસકર્મીઓની ભરતી કરવાનું સરકારનું પ્લાનિંગ!

પ્રશ્નના જવાબમાં હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ‎રાજ્ય સરકાર આગામી સમયમાં 11 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. જે અંતર્ગત નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPFની પણ ભરતી કરવામાં આવશે.  ‎ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતી થઈ છે. છેલ્લાં 2 વર્ષમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે. વાત એમ છે કે 2024માં 11 હજાર જગ્યાઓની ભરતી માટે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. હર્ષ સંઘવી દ્વારા આપેલા નિવેદન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.