પોલીસ ભરતી અંગે Vidhansabhaમાં પૂછાયો પ્રશ્ન, Harsh Sangviએ આપ્યો જવાબ કહ્યું ભરતી કરાશે, Yuvrajsinhએ કહ્યું જાહેરાત તો ક્યારની કરાય છે પરંતુ...!


  • Published By :
  • Published Date : 2024-02-28 13:11:03

હાલમાં ગુજરાત વિધાનસભામાં બજેટ સેશન ચાલુ છે . ત્યારે સરકાર તરફથી કેટલીક મહત્વની માહિતી બહાર આપવામાં આવી રહી છે. અને જે માહિતી સામે આવી રહી છે તે એકદમ ચોંકાવનારી હોય છે, જે આંકડો સામે આવતો હોય છે તે જોઈ આંખો પહોળીની પહોળી રહી જતી હોય છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પોલીસ ફોર્સની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જેની માહિતી હર્ષ સંઘવીએ આપી હતી. 

પોલીસની ઘટ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યો પ્રશ્ન!

રાજ્યમાં પોલીસ સ્ટેશનોમાં ઉપરાછાપરી તોડકાંડ બહાર આવી રહ્યા છે. જેમનું કામ છે કાયદા અને વ્યવસ્થા જાળવવાનું તે જ કાયદાનો ભંગ કરતા દેખાય છે. કાયદો વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસની ઘટ પણ વર્તાઈ રહી છે . ત્યારે અમદાવાદની દાણીલિમડા વિધાનસભાના કોંગ્રેસના  ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ ફોર્સની અછત વિશે પ્રશ્ન કર્યો હતો. 



11 હજાર પોલીસકર્મીઓની ભરતી કરવાનું સરકારનું પ્લાનિંગ!

પ્રશ્નના જવાબમાં હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ‎રાજ્ય સરકાર આગામી સમયમાં 11 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. જે અંતર્ગત નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPFની પણ ભરતી કરવામાં આવશે.  ‎ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતી થઈ છે. છેલ્લાં 2 વર્ષમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે. વાત એમ છે કે 2024માં 11 હજાર જગ્યાઓની ભરતી માટે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. હર્ષ સંઘવી દ્વારા આપેલા નિવેદન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.