ગુજરાત કોંગ્રેસનો સવાલ, ભાજપ પૂર્વમંત્રીઓના ઘર ક્યારે ખાલી કરાવશે? પૂર્ણેશ મોદી સહિત અનેક નેતાઓએ સરકારી ઘર નથી કર્યા ખાલી!


  • Published By :
  • Published Date : 2023-04-28 16:20:12

રાહુલ ગાંધી પર ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું અને સરકારી બંગલો ખાલી કરવા આદેશ આપ્યો હતો. જે બાદ થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પોતાનું સરાકરી ઘર ખાલી કરી દીધું હતું. આ વાતને લઈ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે મંત્રી પદ ગયા બાદ પણ અનેક મંત્રીઓ એવા છે જેમણે સરકારી ઘર ખાલી નથી કર્યું. આ મંત્રીઓની વાત કરીએ તો તેમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરનાર પૂર્ણેશ મોદીનો સમાવેશ થાય છે. 


રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કર્યો!   

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં છે. કાં તો એ પોતે ચર્ચામાં હોય છે અથવા તો તેમના નામની ચર્ચા થતી હોય છે. ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. જે મામલે કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. સાંસદ પદ પણ રદ્દ થયું હતું અને 19 વર્ષથી રહેતા સરકારી બંગલાને પણ ખાલી કરવો પડ્યો છે. ત્યારે થોડા દિવસોથી લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે અનેક વર્ષોથી સાંસદ અથવા ધારાસભ્ય ન હોવા છતાંય અનેક નેતાઓ સરકારી બંગલામાં રહી રહ્યા છે. આ વાતનો મુદ્દો કોંગ્રેસ દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો હતો. 


ગુજરાતના પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલા ખાલી નથી કર્યા!

રાજીવ ભવન ખાતે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું કે ભાજપે રાજકીય કિન્નાખોરી રાખીને રાહુલ ગાંધીને સંસદ સભ્યના પદ પરથી હટાવી દીધા છે. છેલ્લા 19 વર્ષથી જે બંગલોમાં તે રહેતા આવ્યા હતા તે બંગલો પણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ હસ્તા મોઢે ઘર ખાલી પણ કરી દીધું હતું. પણ બીજી બાજુ ભારત અને ગુજરાતમાં સરકારની તાનાશાહી ચાલે છે, લોકોના રુપિયે તાયફા અને ઉત્સવો કરાઈ રહ્યા છે. તેનું ઉદાહરણ છે કે ગુજરાતના પૂર્વ મંત્રીઓએ ગાંધીનગરના સરકારી બંગલો ખાલી કરતા નથી. 


આ નેતાઓએ ઘર ખાલી કર્યા ન હતા! 

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કરનાર ભાજપના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદી પણ છે જેમણે સરકારી બંગલો ખાલી નથી કર્યો. તે ઉપરાંત પૂર્વમંત્રી જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, વિનુ મોરડિયાએ પણ સરકારી બંગલા ખાલી નથી કર્યા. એ પણ ઉમેર્યું કે અગાઉની રૂપાણી સરકાર સાથે હાંકી કાઢવામાં આવેલા જયેશ રાદડિયા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથ સોલંકી,ભૂપેન્દ્ર ચૂડાસમા, સૌરભ પેટેલ, નીતિન પટેલ, ઈશ્વર પટેલ, વિભાવરી દવે, વાસણ આહીર, પરસોત્તમ સોલંકી, ગણપત વસાવા, કુંવરજી બાવળિયા અને રમણલાલ પાટકરે પણ સરકારી બંગલા પાછા  આપ્યા ન હતા. થોડા સમય પહેલા સમાચાર હતા કે હાલના મંત્રીઓને બંગલો નહીં મળતા તેઓ સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે કોંગ્રેસની માગ છે કે પૂર્વ મંત્રીઓ નૈતિકતાથી બંગલા ખાલી કરે, નથી કર્યા તેમને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવે જેથી લોકોના રુપિયાનો ખોટો વ્યર્થ થતો અટકાવી શકાય.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.