ગુજરાત કોંગ્રેસનો સવાલ, ભાજપ પૂર્વમંત્રીઓના ઘર ક્યારે ખાલી કરાવશે? પૂર્ણેશ મોદી સહિત અનેક નેતાઓએ સરકારી ઘર નથી કર્યા ખાલી!


  • Published By :
  • Published Date : 2023-04-28 16:20:12

રાહુલ ગાંધી પર ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું અને સરકારી બંગલો ખાલી કરવા આદેશ આપ્યો હતો. જે બાદ થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પોતાનું સરાકરી ઘર ખાલી કરી દીધું હતું. આ વાતને લઈ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે મંત્રી પદ ગયા બાદ પણ અનેક મંત્રીઓ એવા છે જેમણે સરકારી ઘર ખાલી નથી કર્યું. આ મંત્રીઓની વાત કરીએ તો તેમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરનાર પૂર્ણેશ મોદીનો સમાવેશ થાય છે. 


રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કર્યો!   

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં છે. કાં તો એ પોતે ચર્ચામાં હોય છે અથવા તો તેમના નામની ચર્ચા થતી હોય છે. ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. જે મામલે કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. સાંસદ પદ પણ રદ્દ થયું હતું અને 19 વર્ષથી રહેતા સરકારી બંગલાને પણ ખાલી કરવો પડ્યો છે. ત્યારે થોડા દિવસોથી લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે અનેક વર્ષોથી સાંસદ અથવા ધારાસભ્ય ન હોવા છતાંય અનેક નેતાઓ સરકારી બંગલામાં રહી રહ્યા છે. આ વાતનો મુદ્દો કોંગ્રેસ દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો હતો. 


ગુજરાતના પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલા ખાલી નથી કર્યા!

રાજીવ ભવન ખાતે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું કે ભાજપે રાજકીય કિન્નાખોરી રાખીને રાહુલ ગાંધીને સંસદ સભ્યના પદ પરથી હટાવી દીધા છે. છેલ્લા 19 વર્ષથી જે બંગલોમાં તે રહેતા આવ્યા હતા તે બંગલો પણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ હસ્તા મોઢે ઘર ખાલી પણ કરી દીધું હતું. પણ બીજી બાજુ ભારત અને ગુજરાતમાં સરકારની તાનાશાહી ચાલે છે, લોકોના રુપિયે તાયફા અને ઉત્સવો કરાઈ રહ્યા છે. તેનું ઉદાહરણ છે કે ગુજરાતના પૂર્વ મંત્રીઓએ ગાંધીનગરના સરકારી બંગલો ખાલી કરતા નથી. 


આ નેતાઓએ ઘર ખાલી કર્યા ન હતા! 

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કરનાર ભાજપના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદી પણ છે જેમણે સરકારી બંગલો ખાલી નથી કર્યો. તે ઉપરાંત પૂર્વમંત્રી જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, વિનુ મોરડિયાએ પણ સરકારી બંગલા ખાલી નથી કર્યા. એ પણ ઉમેર્યું કે અગાઉની રૂપાણી સરકાર સાથે હાંકી કાઢવામાં આવેલા જયેશ રાદડિયા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથ સોલંકી,ભૂપેન્દ્ર ચૂડાસમા, સૌરભ પેટેલ, નીતિન પટેલ, ઈશ્વર પટેલ, વિભાવરી દવે, વાસણ આહીર, પરસોત્તમ સોલંકી, ગણપત વસાવા, કુંવરજી બાવળિયા અને રમણલાલ પાટકરે પણ સરકારી બંગલા પાછા  આપ્યા ન હતા. થોડા સમય પહેલા સમાચાર હતા કે હાલના મંત્રીઓને બંગલો નહીં મળતા તેઓ સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે કોંગ્રેસની માગ છે કે પૂર્વ મંત્રીઓ નૈતિકતાથી બંગલા ખાલી કરે, નથી કર્યા તેમને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવે જેથી લોકોના રુપિયાનો ખોટો વ્યર્થ થતો અટકાવી શકાય.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.