ગુજરાત કોંગ્રેસનો સવાલ, ભાજપ પૂર્વમંત્રીઓના ઘર ક્યારે ખાલી કરાવશે? પૂર્ણેશ મોદી સહિત અનેક નેતાઓએ સરકારી ઘર નથી કર્યા ખાલી!


  • Published By :
  • Published Date : 2023-04-28 16:20:12

રાહુલ ગાંધી પર ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું અને સરકારી બંગલો ખાલી કરવા આદેશ આપ્યો હતો. જે બાદ થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પોતાનું સરાકરી ઘર ખાલી કરી દીધું હતું. આ વાતને લઈ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે મંત્રી પદ ગયા બાદ પણ અનેક મંત્રીઓ એવા છે જેમણે સરકારી ઘર ખાલી નથી કર્યું. આ મંત્રીઓની વાત કરીએ તો તેમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરનાર પૂર્ણેશ મોદીનો સમાવેશ થાય છે. 


રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કર્યો!   

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં છે. કાં તો એ પોતે ચર્ચામાં હોય છે અથવા તો તેમના નામની ચર્ચા થતી હોય છે. ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. જે મામલે કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. સાંસદ પદ પણ રદ્દ થયું હતું અને 19 વર્ષથી રહેતા સરકારી બંગલાને પણ ખાલી કરવો પડ્યો છે. ત્યારે થોડા દિવસોથી લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે અનેક વર્ષોથી સાંસદ અથવા ધારાસભ્ય ન હોવા છતાંય અનેક નેતાઓ સરકારી બંગલામાં રહી રહ્યા છે. આ વાતનો મુદ્દો કોંગ્રેસ દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો હતો. 


ગુજરાતના પૂર્વ મંત્રીઓએ સરકારી બંગલા ખાલી નથી કર્યા!

રાજીવ ભવન ખાતે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું કે ભાજપે રાજકીય કિન્નાખોરી રાખીને રાહુલ ગાંધીને સંસદ સભ્યના પદ પરથી હટાવી દીધા છે. છેલ્લા 19 વર્ષથી જે બંગલોમાં તે રહેતા આવ્યા હતા તે બંગલો પણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ હસ્તા મોઢે ઘર ખાલી પણ કરી દીધું હતું. પણ બીજી બાજુ ભારત અને ગુજરાતમાં સરકારની તાનાશાહી ચાલે છે, લોકોના રુપિયે તાયફા અને ઉત્સવો કરાઈ રહ્યા છે. તેનું ઉદાહરણ છે કે ગુજરાતના પૂર્વ મંત્રીઓએ ગાંધીનગરના સરકારી બંગલો ખાલી કરતા નથી. 


આ નેતાઓએ ઘર ખાલી કર્યા ન હતા! 

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કરનાર ભાજપના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદી પણ છે જેમણે સરકારી બંગલો ખાલી નથી કર્યો. તે ઉપરાંત પૂર્વમંત્રી જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, વિનુ મોરડિયાએ પણ સરકારી બંગલા ખાલી નથી કર્યા. એ પણ ઉમેર્યું કે અગાઉની રૂપાણી સરકાર સાથે હાંકી કાઢવામાં આવેલા જયેશ રાદડિયા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથ સોલંકી,ભૂપેન્દ્ર ચૂડાસમા, સૌરભ પેટેલ, નીતિન પટેલ, ઈશ્વર પટેલ, વિભાવરી દવે, વાસણ આહીર, પરસોત્તમ સોલંકી, ગણપત વસાવા, કુંવરજી બાવળિયા અને રમણલાલ પાટકરે પણ સરકારી બંગલા પાછા  આપ્યા ન હતા. થોડા સમય પહેલા સમાચાર હતા કે હાલના મંત્રીઓને બંગલો નહીં મળતા તેઓ સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે કોંગ્રેસની માગ છે કે પૂર્વ મંત્રીઓ નૈતિકતાથી બંગલા ખાલી કરે, નથી કર્યા તેમને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવે જેથી લોકોના રુપિયાનો ખોટો વ્યર્થ થતો અટકાવી શકાય.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.