પોતાની નીતિઓના ઉગ્ર ટીકાકારને જ નહેરૂએ બનાવ્યા દેશના પ્રથમ નાણામંત્રી, કોણ હતા શણમુખમ શેટ્ટી?


  • Published By :
  • Published Date : 2023-01-26 16:51:55

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજુ કરશે. જો કે દેશનું સૌ પ્રથમ બજેટ રજુ કરનારા નાણામંત્રી પણ સીતારમણની જેમ તમિળ હતા. તમિલનાડુએ દેશને સૌથી વધુ નાણામંત્રીઓ આપ્યા છે. દેશનું સૌપ્રથમ બજેટ રજુ કરનારા શણમુખમ શેટ્ટી ન તો કોંગ્રેસી હતા કે નહોતા નહેરૂના પ્રસંશક, તે તો નહેરૂની સમાજવાદી નિતીઓના કટ્ટર ટીકાકાર હતા. તેમ છતાં પ્રધાનમંત્રી નહેરૂએ તેમને દેશના સૌપ્રથમ નાણા મંત્રી બનાવ્યા હતા. આવો જાણીએ દેશના પ્રથમ નાણામંત્રી શણમુખમ શેટ્ટી વિશે.


કોણ હતા દેશના સૌપ્રથમ નાણામંત્રી? 


આઝાદી બાદ નહેરૂએ ગાંધીજીની સલાહ માનીને તે સમયના બિન કોંગ્રેસી નેતાઓને પણ કેબિનેટમાં સ્થાન આપ્યું હતું. નહેરૂએ આરકે શણમુખમ શેટ્ટીને દેશના પ્રથમ નાણામંત્રી બનાવ્યા હતા. તેઓ બ્રિટિશ સમર્થક જસ્ટીસ પાર્ટીના સભ્ય હતા. આરકે શણમુખમ શેટ્ટી ખુબ જ અનુભવી અર્થશાસ્ત્રી અને સફળ ઉદ્યોગપતિ હતા. તેઓ તત્કાલિન કોચિન સ્ટેટના દિવાન પણ રહી ચુક્યા હતા. તે ઉપરાંત રાજાઓની પરીષદ( ચેમ્બર ઓફ પ્રિન્સેસ)ના બંધારણીય સલાહકાર પણ હતા. તેમણે 26 નવેમ્બર 1947ના દિવસે આઝાદ ભારતનું સૌપ્રથમ બજેટ રજુ કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે આરકે શણમુખમ શેટ્ટી આર્થિક બાબતોમાં નિષ્ણાત હોવાના કારણે જ મહાત્મા ગાંધીએ જ તેમને નાણામંત્રી બનાવવાની નહેરૂને સલાહ આપી હતી. ખ્યાતનામ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ તેમના પ્રખ્યાત પુસ્તક 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'માં દેશના પ્રથમ નાણામંત્રી આરકે શણમુખમ શેટ્ટીની ભારોભાર પ્રસંશા કરી છે. 


પ્રથમ બજેટ ભાષણમાં તેમણે શું કહ્યું હતું?


અંગ્રેજોની બસો વર્ષની ગુલામીમાંથી આઝાદ થયેલા ભારતને બીજો ફટકો વિભાજનનો સહન કરવો પડ્યો હતો. આ સ્થિતીમાં આરકે શણમુખમ શેટ્ટી સામે મોટો પડકાર હતો. તેમણે બજેટનું સમાપન કરતા કહ્યું કે હતું કે "આપણે હમણા જ આઝાદ થયા છીએ. જો ભારતે એશિયાના લીડર તરીકે પોતાના ભવિષ્યનો અહેસાસ કરાવવો હોય અને સ્વતંત્ર રાષ્ટ્રોની શ્રેણીમાં પોતાની જગ્યા બનાવવી હોય તો તેણે તે તમામ પ્રયાસો કરવા પડશે જે આવનારી પેઢીઓ પણ અનુસરી શકે." 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.