પોતાની નીતિઓના ઉગ્ર ટીકાકારને જ નહેરૂએ બનાવ્યા દેશના પ્રથમ નાણામંત્રી, કોણ હતા શણમુખમ શેટ્ટી?


  • Published By :
  • Published Date : 2023-01-26 16:51:55

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજુ કરશે. જો કે દેશનું સૌ પ્રથમ બજેટ રજુ કરનારા નાણામંત્રી પણ સીતારમણની જેમ તમિળ હતા. તમિલનાડુએ દેશને સૌથી વધુ નાણામંત્રીઓ આપ્યા છે. દેશનું સૌપ્રથમ બજેટ રજુ કરનારા શણમુખમ શેટ્ટી ન તો કોંગ્રેસી હતા કે નહોતા નહેરૂના પ્રસંશક, તે તો નહેરૂની સમાજવાદી નિતીઓના કટ્ટર ટીકાકાર હતા. તેમ છતાં પ્રધાનમંત્રી નહેરૂએ તેમને દેશના સૌપ્રથમ નાણા મંત્રી બનાવ્યા હતા. આવો જાણીએ દેશના પ્રથમ નાણામંત્રી શણમુખમ શેટ્ટી વિશે.


કોણ હતા દેશના સૌપ્રથમ નાણામંત્રી? 


આઝાદી બાદ નહેરૂએ ગાંધીજીની સલાહ માનીને તે સમયના બિન કોંગ્રેસી નેતાઓને પણ કેબિનેટમાં સ્થાન આપ્યું હતું. નહેરૂએ આરકે શણમુખમ શેટ્ટીને દેશના પ્રથમ નાણામંત્રી બનાવ્યા હતા. તેઓ બ્રિટિશ સમર્થક જસ્ટીસ પાર્ટીના સભ્ય હતા. આરકે શણમુખમ શેટ્ટી ખુબ જ અનુભવી અર્થશાસ્ત્રી અને સફળ ઉદ્યોગપતિ હતા. તેઓ તત્કાલિન કોચિન સ્ટેટના દિવાન પણ રહી ચુક્યા હતા. તે ઉપરાંત રાજાઓની પરીષદ( ચેમ્બર ઓફ પ્રિન્સેસ)ના બંધારણીય સલાહકાર પણ હતા. તેમણે 26 નવેમ્બર 1947ના દિવસે આઝાદ ભારતનું સૌપ્રથમ બજેટ રજુ કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે આરકે શણમુખમ શેટ્ટી આર્થિક બાબતોમાં નિષ્ણાત હોવાના કારણે જ મહાત્મા ગાંધીએ જ તેમને નાણામંત્રી બનાવવાની નહેરૂને સલાહ આપી હતી. ખ્યાતનામ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ તેમના પ્રખ્યાત પુસ્તક 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'માં દેશના પ્રથમ નાણામંત્રી આરકે શણમુખમ શેટ્ટીની ભારોભાર પ્રસંશા કરી છે. 


પ્રથમ બજેટ ભાષણમાં તેમણે શું કહ્યું હતું?


અંગ્રેજોની બસો વર્ષની ગુલામીમાંથી આઝાદ થયેલા ભારતને બીજો ફટકો વિભાજનનો સહન કરવો પડ્યો હતો. આ સ્થિતીમાં આરકે શણમુખમ શેટ્ટી સામે મોટો પડકાર હતો. તેમણે બજેટનું સમાપન કરતા કહ્યું કે હતું કે "આપણે હમણા જ આઝાદ થયા છીએ. જો ભારતે એશિયાના લીડર તરીકે પોતાના ભવિષ્યનો અહેસાસ કરાવવો હોય અને સ્વતંત્ર રાષ્ટ્રોની શ્રેણીમાં પોતાની જગ્યા બનાવવી હોય તો તેણે તે તમામ પ્રયાસો કરવા પડશે જે આવનારી પેઢીઓ પણ અનુસરી શકે." 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.