રબારી, ભરવાડ, દલિતો, આદિવાસીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોને ઘર નહીં, શું આ માણસો નથી?


  • Published By :
  • Published Date : 2023-04-05 21:44:16

દેશની આઝાદીને 75 વર્ષ થયા આ સમયગાળા દરમિયાન ભારતે વિકાસની હરણફાળ ભરી છે. જો કે દેશમાં સામાજીક સુધારણા ક્ષેત્રે કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. આપણા દેશના લોકો ધર્મ, જાતિ, કોમ અને સંપ્રદાયના વાડામાં વહેંચાયેલા છે. કેટલાક સત્યો એવા છે, જે જાણે સર્વ સ્વિકૃત બની ગયા છે. જાતિવાદ આપણા સમાજમાં એટલી હદે ઘર કરી ગયો છે કે નીચલી જાતિની કોઈ વ્યક્તિને રહેવા માટે ઘર ખરીદવું હોય તો પણ નથી મળતું. જમાવટની ટીમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બિલ્ડરોની ઓફિસોમાં જઈને સ્ટીંગ ઓપરેશન કરતા આ ચોંકાવનારૂ સત્ય બહાર આવ્યું છે.


જમાવટે કર્યું સ્ટીગ ઓપરેશન


જમાવટના પત્રકારે બિલ્ડરોની ઓફિસોમાં જઈને ઘર ખરીદવા માટે પૂછપરછ કરી તો જાતિવાદનું નગ્ન સત્ય જાણવા મળ્યું હતું. અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર વિવિધ બિલ્ડર્સની ઓફિસોની મુલાકાત લેતા જાણવા મળ્યું કે અહીં નીચલી જાતિના લોકો માટે ઘર ખરીદવું એ લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કાર્ય છે. આ બિલ્ડરો રબારી, ભરવાડ, દલિતો, ખ્રીસ્તીઓ અને મુસ્લીમોને તો ફ્લેટ વેચતા જ નથી. 


સામાજીક સમાનતાની માત્ર વાતો


નિચલી જાતિના લોકો ગમે તેટલો ઉઁચુ હોદ્દો, મોટો પગાર કે ગુણવાન હોય તેમ છતાં તેમને સારા વિસ્તાર અને લોકાલિટીમાં ફ્લેટ ખરીદવો અશક્ય છે. સમાજના ઉચ્ચ વર્ગના લોકો સામાજીક સમાનતાની વાતો બહું ઉંચી-ઉંચી કરે છે પણ ખરેખર જ્યારે તેનું પાલન કરવાનું આવે ત્યારે તેમનું અસલ ચરિત્ર બહાર આવી જાય છે. આપણા સમાજમાં જાતિવાદનું જોર એટલું પ્રબળ છે કે કોઈ નીચલી જાતિનો માણસ બિલ્ડરોને ફ્લેટની કિંમત રોકડમાં ચૂકવે તો પણ તે ફ્લેટ ખરીદી શક્તો નથી.  દેશ અને રાજ્યમાં ઉચ્ચ વર્ણના લોકોની માનસિક્તા હજુ પણ જુનવાણી છે. આર્થિક રીતે સાધન સંપન્ન વર્ગના આ લોકો દલિતો, રબારી, ભરવાડ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોનું નામ પડે ત્યારે નાકનું ટેરવું ચઢાવી દેતા હોય છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.