રબારી, ભરવાડ, દલિતો, આદિવાસીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોને ઘર નહીં, શું આ માણસો નથી?


  • Published By :
  • Published Date : 2023-04-05 21:44:16

દેશની આઝાદીને 75 વર્ષ થયા આ સમયગાળા દરમિયાન ભારતે વિકાસની હરણફાળ ભરી છે. જો કે દેશમાં સામાજીક સુધારણા ક્ષેત્રે કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. આપણા દેશના લોકો ધર્મ, જાતિ, કોમ અને સંપ્રદાયના વાડામાં વહેંચાયેલા છે. કેટલાક સત્યો એવા છે, જે જાણે સર્વ સ્વિકૃત બની ગયા છે. જાતિવાદ આપણા સમાજમાં એટલી હદે ઘર કરી ગયો છે કે નીચલી જાતિની કોઈ વ્યક્તિને રહેવા માટે ઘર ખરીદવું હોય તો પણ નથી મળતું. જમાવટની ટીમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બિલ્ડરોની ઓફિસોમાં જઈને સ્ટીંગ ઓપરેશન કરતા આ ચોંકાવનારૂ સત્ય બહાર આવ્યું છે.


જમાવટે કર્યું સ્ટીગ ઓપરેશન


જમાવટના પત્રકારે બિલ્ડરોની ઓફિસોમાં જઈને ઘર ખરીદવા માટે પૂછપરછ કરી તો જાતિવાદનું નગ્ન સત્ય જાણવા મળ્યું હતું. અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર વિવિધ બિલ્ડર્સની ઓફિસોની મુલાકાત લેતા જાણવા મળ્યું કે અહીં નીચલી જાતિના લોકો માટે ઘર ખરીદવું એ લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કાર્ય છે. આ બિલ્ડરો રબારી, ભરવાડ, દલિતો, ખ્રીસ્તીઓ અને મુસ્લીમોને તો ફ્લેટ વેચતા જ નથી. 


સામાજીક સમાનતાની માત્ર વાતો


નિચલી જાતિના લોકો ગમે તેટલો ઉઁચુ હોદ્દો, મોટો પગાર કે ગુણવાન હોય તેમ છતાં તેમને સારા વિસ્તાર અને લોકાલિટીમાં ફ્લેટ ખરીદવો અશક્ય છે. સમાજના ઉચ્ચ વર્ગના લોકો સામાજીક સમાનતાની વાતો બહું ઉંચી-ઉંચી કરે છે પણ ખરેખર જ્યારે તેનું પાલન કરવાનું આવે ત્યારે તેમનું અસલ ચરિત્ર બહાર આવી જાય છે. આપણા સમાજમાં જાતિવાદનું જોર એટલું પ્રબળ છે કે કોઈ નીચલી જાતિનો માણસ બિલ્ડરોને ફ્લેટની કિંમત રોકડમાં ચૂકવે તો પણ તે ફ્લેટ ખરીદી શક્તો નથી.  દેશ અને રાજ્યમાં ઉચ્ચ વર્ણના લોકોની માનસિક્તા હજુ પણ જુનવાણી છે. આર્થિક રીતે સાધન સંપન્ન વર્ગના આ લોકો દલિતો, રબારી, ભરવાડ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોનું નામ પડે ત્યારે નાકનું ટેરવું ચઢાવી દેતા હોય છે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.