ખેડૂતો આનંદો! ઘઉં, જવ, ચણા, મસૂરના ટેકાના ભાવ (MSP) 7% સુધી વધવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-09-18 17:26:54

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા અને ત્યાર બાદ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ જ કારણે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખુશ કરવા માટે મહત્વનો નિર્ણય કરવા જઈ રહી છે. એક રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર  છ રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરી શકે છે. વર્ષ 2024-25ની માર્કેટિંગ સિઝન માટે છ રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં 2 ટકાથી 7 ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, શિયાળુ પાકમાં ખાસ તો, ઘઉં અને મસૂરના ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો થવાની અપેક્ષા છે. ભારતના કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં રવિ સીઝનનો હિસ્સો લગભગ 50 ટકા છે. અત્યારે પણ સરકારને ખેડૂતો પાસેથી ખરીદી વધારવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ઓપન માર્કેટમાં ઊંચા ભાવ મળતાં હોવાથી ખેડૂતો સરકારને માલ વેચવાનું ટાળે છે. 


ઘઉં અને મસૂરનો MSP કેટલી વધશે?


કેન્દ્ર સરકારે ગઈ સીઝનમાં મુખ્ય રવિ પાક ઘઉંનો ટેકાનો ભાવ 5.5 ટકા વધારીને પ્રતિ ક્વિન્ટલ 2,125 રૂપિયા કર્યો હતો જ્યારે મુખ્ય રવિ દાળમાં સ્થાન ધરાવતી મસૂરનો ટેકાનો ભાવ 9.1 ટકા વધીને 6,000 રૂપિયા કર્યો હતો. ગઈ સીઝનની તુલનાએ આગામી સીઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ 7 ટકા વધીને 2,275થી 2,300 રૂપિયા જ્યારે મસૂરનો ટેકાનો ભાવ 6,425-6,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે. ટેકાના ભાવ વધશે તો ફૂડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (FCI) નાફેડ (નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા) અને NCCF (નેશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા લિ.)ને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં અનાજ અને કઠોળ-દાળની ખરીદી કરવામાં મદદ મળશે.


ચણા અને જવનો  MSP પણ વધશે?


કેન્દ્ર સરકાર જવ અને ચણાના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં ગયા વર્ષ જેવો જ વધારો થઈ શકે છે. ચણાનો ટેકાનો ભાવ 2 ટકા જેટલો નજીવો વધીને 5,440થી 5,475 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે જ્યારે જવનો ટેકાનો ભાવ 6.6 ટકા વધીને 1,850થી 1,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઈ વખતે સરકારે માર્કેટિંગ વર્ષ 2023-24 માટે ચણાનો ટેકાનો ભાવ 2 ટકા વધારીને 5,335 રૂપિયા કર્યો હતો જ્યારે જવનો ભાવ 6.1 ટકા વધારીને 1,735 રૂપિયા કર્યો હતો.


સરસવનો MSP 4% વધશે


સરસવનો લઘુત્તમ ટેકાનો ભાવ 3.6થી 4 ટકા વધારીને 5,650થી 5,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવે તેવું અનુમાન છે. અત્યારે સરસવનો ટેકાનો ભાવ 5,450 રૂપિયા છે. સનફ્લાવરનો ટેકાનો ભાવ 2.6 ટકાથી 3 ટકા વધારીને 5,800થી 5,850 રૂપિયા થઈ શકે છે. અત્યારે સનફ્લાવરનો MSP રૂ.5,650 છે.

અધિકારીના જણાવ્યા મુજબ કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસીસ (CACP) એ તેની ભલામણો રજૂ કરી છે, અને કેબિનેટ નોંધ તેમની ટિપ્પણીઓ માટે વિભાગોને મોકલવામાં આવી છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.