ખેડૂતો આનંદો! ઘઉં, જવ, ચણા, મસૂરના ટેકાના ભાવ (MSP) 7% સુધી વધવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-09-18 17:26:54

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા અને ત્યાર બાદ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ જ કારણે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખુશ કરવા માટે મહત્વનો નિર્ણય કરવા જઈ રહી છે. એક રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર  છ રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરી શકે છે. વર્ષ 2024-25ની માર્કેટિંગ સિઝન માટે છ રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં 2 ટકાથી 7 ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, શિયાળુ પાકમાં ખાસ તો, ઘઉં અને મસૂરના ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો થવાની અપેક્ષા છે. ભારતના કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં રવિ સીઝનનો હિસ્સો લગભગ 50 ટકા છે. અત્યારે પણ સરકારને ખેડૂતો પાસેથી ખરીદી વધારવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ઓપન માર્કેટમાં ઊંચા ભાવ મળતાં હોવાથી ખેડૂતો સરકારને માલ વેચવાનું ટાળે છે. 


ઘઉં અને મસૂરનો MSP કેટલી વધશે?


કેન્દ્ર સરકારે ગઈ સીઝનમાં મુખ્ય રવિ પાક ઘઉંનો ટેકાનો ભાવ 5.5 ટકા વધારીને પ્રતિ ક્વિન્ટલ 2,125 રૂપિયા કર્યો હતો જ્યારે મુખ્ય રવિ દાળમાં સ્થાન ધરાવતી મસૂરનો ટેકાનો ભાવ 9.1 ટકા વધીને 6,000 રૂપિયા કર્યો હતો. ગઈ સીઝનની તુલનાએ આગામી સીઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ 7 ટકા વધીને 2,275થી 2,300 રૂપિયા જ્યારે મસૂરનો ટેકાનો ભાવ 6,425-6,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે. ટેકાના ભાવ વધશે તો ફૂડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (FCI) નાફેડ (નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા) અને NCCF (નેશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા લિ.)ને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં અનાજ અને કઠોળ-દાળની ખરીદી કરવામાં મદદ મળશે.


ચણા અને જવનો  MSP પણ વધશે?


કેન્દ્ર સરકાર જવ અને ચણાના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં ગયા વર્ષ જેવો જ વધારો થઈ શકે છે. ચણાનો ટેકાનો ભાવ 2 ટકા જેટલો નજીવો વધીને 5,440થી 5,475 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે જ્યારે જવનો ટેકાનો ભાવ 6.6 ટકા વધીને 1,850થી 1,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઈ વખતે સરકારે માર્કેટિંગ વર્ષ 2023-24 માટે ચણાનો ટેકાનો ભાવ 2 ટકા વધારીને 5,335 રૂપિયા કર્યો હતો જ્યારે જવનો ભાવ 6.1 ટકા વધારીને 1,735 રૂપિયા કર્યો હતો.


સરસવનો MSP 4% વધશે


સરસવનો લઘુત્તમ ટેકાનો ભાવ 3.6થી 4 ટકા વધારીને 5,650થી 5,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવે તેવું અનુમાન છે. અત્યારે સરસવનો ટેકાનો ભાવ 5,450 રૂપિયા છે. સનફ્લાવરનો ટેકાનો ભાવ 2.6 ટકાથી 3 ટકા વધારીને 5,800થી 5,850 રૂપિયા થઈ શકે છે. અત્યારે સનફ્લાવરનો MSP રૂ.5,650 છે.

અધિકારીના જણાવ્યા મુજબ કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસીસ (CACP) એ તેની ભલામણો રજૂ કરી છે, અને કેબિનેટ નોંધ તેમની ટિપ્પણીઓ માટે વિભાગોને મોકલવામાં આવી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.