રવિન્દ્રસિંહ ભાટી Gujaratના પ્રવાસે, પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર શું બોલ્યા રવિન્દ્રસિંહ ભાટી? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-04-08 15:54:54

લોકસભા ચૂંટણીને લઈ દેશના અનેક રાજ્યોમાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે અને આ બધા વચ્ચે થોડા સમય પહેલા એક એવો વીડિયો સામે આવ્યો જેમાં ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના સમર્થનમાં હજારોની જનમેદની ઉમટી હતી. જેમના સમર્થનમાં જનમેદની ઉમટી હતી તે એક અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી છે જે હાલ ગુજરાત આવ્યા છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ તેમણે નિવેદન આપ્યું છે... તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ પાસે એટલું અધિકાર નથી કે કોઈ સમાજ સામે આવું નિવેદન આપે...

અપક્ષ ઉમેદવાર તરીકે રવિન્દ્રસિંહ ભાટીએ નોંધાવી ઉમેદવારી

સૌથી પહેલા વાત કરીએ બાડમેર લોકસભા સીટની તો, તેમાં જેસલમેર પણ આવી જાય છે. આ બેઠક 2014થી ભાજપનો ગઢ છે અને 2019માં ભાજપના કૈલાશ ચૌધરી લગભગ ૩૨૩૦૦૦ આસપાસની લીડથી જીત્યા હતા . અને હવે આ બેઠક પર ૩ ઉમેદવારો મુખ્યત્વે મેદાનમાં છે , કોંગ્રેસે રાષ્ટ્રીય લોક તાંત્રિક પાર્ટીના ઉમેદાર રામ બેનીવાલને, ભાજપે ફરી કૈલાશ ચૌધરીને ટિકીટ આપી છે , જ્યારે આ બેઉનો ખેલ બગાડવા અપક્ષ ઉમેદવાર તરીકે રવિન્દ્રસિંહ ભાટીએ ફોર્મ ભર્યું છે. હાલમાં તેઓ Sheo વિધાનસભા પરથી અપક્ષ ધારાસભ્ય છે નિશાન છે હૅન્ડપંપ  , તેઓ રાજસ્થાન વિધાનસભામાં સૌથી યુવાન MLA છે. તેઓ રાજપૂત સમાજમાંથી આવે છે.  

 


ગુજરાતમાં ચાલી રહેલા વિવાદ પર રવિન્દ્રસિંહ ભાટીએ આપી પ્રતિક્રિયા

પહેલા અપક્ષ તરીકે વિધાનસભા ચૂંટણી લડ્યા ત્યારે હવે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે બાડમેર લોકસભા ચૂંટણી પરથી તેઓ લડી રહ્યા છે. રવિન્દ્ર ભાટ્ટીએ રાજપૂત સમાજના છે જયારે BJPના ઉમેદવાર કૈલાશ ચૌધરી પણ જાટ સમાજના છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પણ ઉમેદવાર પણ જાટ સમાજના છે.  ત્યારે રાજસ્થાનની બાડમેર લોકસભા સીટના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી ગુજરાતના પ્રવાસે છે.. ગુજરાતના પ્રવાસે કોઈ પણ નેતા આવે અને તેમને પરષોત્તમ રૂપાલા તેમજ ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદનો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેની પર તેમણે પ્રતિક્રિયા આપી છે... તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ પાસે એટલું અધિકાર નથી કે કોઈ સમાજ સામે આવું નિવેદન આપે... મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલાનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે... ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તે માગ પર અડગ દેખાઈ રહ્યો છે.... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.