રવિન્દ્રસિંહ ભાટી Gujaratના પ્રવાસે, પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર શું બોલ્યા રવિન્દ્રસિંહ ભાટી? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-04-08 15:54:54

લોકસભા ચૂંટણીને લઈ દેશના અનેક રાજ્યોમાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે અને આ બધા વચ્ચે થોડા સમય પહેલા એક એવો વીડિયો સામે આવ્યો જેમાં ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના સમર્થનમાં હજારોની જનમેદની ઉમટી હતી. જેમના સમર્થનમાં જનમેદની ઉમટી હતી તે એક અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી છે જે હાલ ગુજરાત આવ્યા છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ તેમણે નિવેદન આપ્યું છે... તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ પાસે એટલું અધિકાર નથી કે કોઈ સમાજ સામે આવું નિવેદન આપે...

અપક્ષ ઉમેદવાર તરીકે રવિન્દ્રસિંહ ભાટીએ નોંધાવી ઉમેદવારી

સૌથી પહેલા વાત કરીએ બાડમેર લોકસભા સીટની તો, તેમાં જેસલમેર પણ આવી જાય છે. આ બેઠક 2014થી ભાજપનો ગઢ છે અને 2019માં ભાજપના કૈલાશ ચૌધરી લગભગ ૩૨૩૦૦૦ આસપાસની લીડથી જીત્યા હતા . અને હવે આ બેઠક પર ૩ ઉમેદવારો મુખ્યત્વે મેદાનમાં છે , કોંગ્રેસે રાષ્ટ્રીય લોક તાંત્રિક પાર્ટીના ઉમેદાર રામ બેનીવાલને, ભાજપે ફરી કૈલાશ ચૌધરીને ટિકીટ આપી છે , જ્યારે આ બેઉનો ખેલ બગાડવા અપક્ષ ઉમેદવાર તરીકે રવિન્દ્રસિંહ ભાટીએ ફોર્મ ભર્યું છે. હાલમાં તેઓ Sheo વિધાનસભા પરથી અપક્ષ ધારાસભ્ય છે નિશાન છે હૅન્ડપંપ  , તેઓ રાજસ્થાન વિધાનસભામાં સૌથી યુવાન MLA છે. તેઓ રાજપૂત સમાજમાંથી આવે છે.  

 


ગુજરાતમાં ચાલી રહેલા વિવાદ પર રવિન્દ્રસિંહ ભાટીએ આપી પ્રતિક્રિયા

પહેલા અપક્ષ તરીકે વિધાનસભા ચૂંટણી લડ્યા ત્યારે હવે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે બાડમેર લોકસભા ચૂંટણી પરથી તેઓ લડી રહ્યા છે. રવિન્દ્ર ભાટ્ટીએ રાજપૂત સમાજના છે જયારે BJPના ઉમેદવાર કૈલાશ ચૌધરી પણ જાટ સમાજના છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પણ ઉમેદવાર પણ જાટ સમાજના છે.  ત્યારે રાજસ્થાનની બાડમેર લોકસભા સીટના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી ગુજરાતના પ્રવાસે છે.. ગુજરાતના પ્રવાસે કોઈ પણ નેતા આવે અને તેમને પરષોત્તમ રૂપાલા તેમજ ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદનો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેની પર તેમણે પ્રતિક્રિયા આપી છે... તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ પાસે એટલું અધિકાર નથી કે કોઈ સમાજ સામે આવું નિવેદન આપે... મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલાનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે... ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તે માગ પર અડગ દેખાઈ રહ્યો છે.... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે