રવિન્દ્રસિંહ ભાટી Gujaratના પ્રવાસે, પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર શું બોલ્યા રવિન્દ્રસિંહ ભાટી? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-04-08 15:54:54

લોકસભા ચૂંટણીને લઈ દેશના અનેક રાજ્યોમાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે અને આ બધા વચ્ચે થોડા સમય પહેલા એક એવો વીડિયો સામે આવ્યો જેમાં ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના સમર્થનમાં હજારોની જનમેદની ઉમટી હતી. જેમના સમર્થનમાં જનમેદની ઉમટી હતી તે એક અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી છે જે હાલ ગુજરાત આવ્યા છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ તેમણે નિવેદન આપ્યું છે... તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ પાસે એટલું અધિકાર નથી કે કોઈ સમાજ સામે આવું નિવેદન આપે...

અપક્ષ ઉમેદવાર તરીકે રવિન્દ્રસિંહ ભાટીએ નોંધાવી ઉમેદવારી

સૌથી પહેલા વાત કરીએ બાડમેર લોકસભા સીટની તો, તેમાં જેસલમેર પણ આવી જાય છે. આ બેઠક 2014થી ભાજપનો ગઢ છે અને 2019માં ભાજપના કૈલાશ ચૌધરી લગભગ ૩૨૩૦૦૦ આસપાસની લીડથી જીત્યા હતા . અને હવે આ બેઠક પર ૩ ઉમેદવારો મુખ્યત્વે મેદાનમાં છે , કોંગ્રેસે રાષ્ટ્રીય લોક તાંત્રિક પાર્ટીના ઉમેદાર રામ બેનીવાલને, ભાજપે ફરી કૈલાશ ચૌધરીને ટિકીટ આપી છે , જ્યારે આ બેઉનો ખેલ બગાડવા અપક્ષ ઉમેદવાર તરીકે રવિન્દ્રસિંહ ભાટીએ ફોર્મ ભર્યું છે. હાલમાં તેઓ Sheo વિધાનસભા પરથી અપક્ષ ધારાસભ્ય છે નિશાન છે હૅન્ડપંપ  , તેઓ રાજસ્થાન વિધાનસભામાં સૌથી યુવાન MLA છે. તેઓ રાજપૂત સમાજમાંથી આવે છે.  

 


ગુજરાતમાં ચાલી રહેલા વિવાદ પર રવિન્દ્રસિંહ ભાટીએ આપી પ્રતિક્રિયા

પહેલા અપક્ષ તરીકે વિધાનસભા ચૂંટણી લડ્યા ત્યારે હવે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે બાડમેર લોકસભા ચૂંટણી પરથી તેઓ લડી રહ્યા છે. રવિન્દ્ર ભાટ્ટીએ રાજપૂત સમાજના છે જયારે BJPના ઉમેદવાર કૈલાશ ચૌધરી પણ જાટ સમાજના છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પણ ઉમેદવાર પણ જાટ સમાજના છે.  ત્યારે રાજસ્થાનની બાડમેર લોકસભા સીટના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી ગુજરાતના પ્રવાસે છે.. ગુજરાતના પ્રવાસે કોઈ પણ નેતા આવે અને તેમને પરષોત્તમ રૂપાલા તેમજ ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદનો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેની પર તેમણે પ્રતિક્રિયા આપી છે... તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ પાસે એટલું અધિકાર નથી કે કોઈ સમાજ સામે આવું નિવેદન આપે... મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલાનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે... ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તે માગ પર અડગ દેખાઈ રહ્યો છે.... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે