આપે રાઘવ ચઢ્ઢાને બનાવ્યા ગુજરાતના સહપ્રભારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:46:54

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ ગઈ છે. ચૂંટણીને લઈ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં પહેલી વખત ઉતરતી આમ આદમી પાર્ટી પણ પૂરા જોશમાં પ્રચાર કરી રહી છે. આપે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે.


રાધવ ચઢ્ઢાની વધી જવાબદારી

ગુજરાત વિધાનસભાની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચાલતા ચૂંટણી પ્રચાર વચ્ચે આપે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાત સહપ્રભારી તરીકેની જવાબદારી આપી છે. પંજાબમાં જીત મેળવ્યા બાદ તેમને આ જવાબદારી આપવામાં આવી છે. ઘણા વર્ષો બાદ ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ ગુજરાતની રાજનીતિમાં આવ્યો છે. ગુજરાતમાં જોર-શોરથી આપ ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ પણ અનેક વખત ગુજરાતમાં સંવાદ કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આપની આ મહેનત રંગ લાવે છે કે નહીં તેતો આવનાર સમયમાં જનતા જ નક્કી કરશે.



ગેનીબેન ઠાકોર અનેક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો હતો.. અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી પણ માગી.. આ બધા વચ્ચે નીતિન પટેલે ક્ષત્રિય સમાજના આંદોલનનો તેમજ પરષોત્તમ રૂપાલાનો ઉલ્લેખ કર્યો હતો..

પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી... વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતી પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...

નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.