આપે રાઘવ ચઢ્ઢાને બનાવ્યા ગુજરાતના સહપ્રભારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:46:54

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ ગઈ છે. ચૂંટણીને લઈ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં પહેલી વખત ઉતરતી આમ આદમી પાર્ટી પણ પૂરા જોશમાં પ્રચાર કરી રહી છે. આપે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે.


રાધવ ચઢ્ઢાની વધી જવાબદારી

ગુજરાત વિધાનસભાની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચાલતા ચૂંટણી પ્રચાર વચ્ચે આપે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાત સહપ્રભારી તરીકેની જવાબદારી આપી છે. પંજાબમાં જીત મેળવ્યા બાદ તેમને આ જવાબદારી આપવામાં આવી છે. ઘણા વર્ષો બાદ ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ ગુજરાતની રાજનીતિમાં આવ્યો છે. ગુજરાતમાં જોર-શોરથી આપ ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ પણ અનેક વખત ગુજરાતમાં સંવાદ કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આપની આ મહેનત રંગ લાવે છે કે નહીં તેતો આવનાર સમયમાં જનતા જ નક્કી કરશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .