આપે રાઘવ ચઢ્ઢાને બનાવ્યા ગુજરાતના સહપ્રભારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:46:54

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ ગઈ છે. ચૂંટણીને લઈ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં પહેલી વખત ઉતરતી આમ આદમી પાર્ટી પણ પૂરા જોશમાં પ્રચાર કરી રહી છે. આપે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે.


રાધવ ચઢ્ઢાની વધી જવાબદારી

ગુજરાત વિધાનસભાની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચાલતા ચૂંટણી પ્રચાર વચ્ચે આપે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાત સહપ્રભારી તરીકેની જવાબદારી આપી છે. પંજાબમાં જીત મેળવ્યા બાદ તેમને આ જવાબદારી આપવામાં આવી છે. ઘણા વર્ષો બાદ ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ ગુજરાતની રાજનીતિમાં આવ્યો છે. ગુજરાતમાં જોર-શોરથી આપ ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ પણ અનેક વખત ગુજરાતમાં સંવાદ કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આપની આ મહેનત રંગ લાવે છે કે નહીં તેતો આવનાર સમયમાં જનતા જ નક્કી કરશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"