આપે રાઘવ ચઢ્ઢાને બનાવ્યા ગુજરાતના સહપ્રભારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:46:54

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ ગઈ છે. ચૂંટણીને લઈ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં પહેલી વખત ઉતરતી આમ આદમી પાર્ટી પણ પૂરા જોશમાં પ્રચાર કરી રહી છે. આપે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે.


રાધવ ચઢ્ઢાની વધી જવાબદારી

ગુજરાત વિધાનસભાની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચાલતા ચૂંટણી પ્રચાર વચ્ચે આપે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાત સહપ્રભારી તરીકેની જવાબદારી આપી છે. પંજાબમાં જીત મેળવ્યા બાદ તેમને આ જવાબદારી આપવામાં આવી છે. ઘણા વર્ષો બાદ ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ ગુજરાતની રાજનીતિમાં આવ્યો છે. ગુજરાતમાં જોર-શોરથી આપ ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ પણ અનેક વખત ગુજરાતમાં સંવાદ કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આપની આ મહેનત રંગ લાવે છે કે નહીં તેતો આવનાર સમયમાં જનતા જ નક્કી કરશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.