રાફેલ સોદાની પુનઃ તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો શું કહ્યું સર્વોચ્ચ અદાલતે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 18:34:57

સુપ્રીમ કોર્ટે 36 રાફેલ ખરીદી કેસમાં નવેસરથી પુનઃ તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમે આ સોદાની તપાસ સંબંધી જાહેર હિતની  અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ યુ યુ લલિત અને ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચે જો કે વકીલ એમ એલ શર્માની તે દલીલ પર વિચાર કર્યો કે સોદા સંબંધીત તમામ પુરાવા એકત્રિત કરવા માટે વિનંતી પત્ર જાહેર કરવાની સુચના જાહેર કરવામાં આવે.અગ્રણી વકીલ એમએલ શર્માએ કેટલાક મીડિયા રિપોર્ટને ટાંકીને પુન: તપાસની માંગ કરી હતી. આ મીડિયા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ડસોલ્ટ એવિએશને રાફેલ ડીલ માટે એક ભારતીય વચેટિયાને એક અબજ યુરોની ચુકવણી કરી હતી.


સુ્પ્રીમમાં શું કહ્યું અરજીકર્તાએ?


ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની બેન્ચે એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરેલી પીઆઈએલને ફગાવી દેતા કહ્યું હતું કે “આ મામલામાં કોર્ટ દ્વારા દખલગીરી માટે કોઈ વાજબી ઠેરવવામાં આવતું નથી”આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે એડવોકેટ શર્માએ કોર્ટમાં અપીલ કરી છે અને કહ્યું છે કે એક દિવસ એવો આવશે જ્યારે દરેક વ્યક્તિ અસહાય અનુભવશે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવવા કોઈ આગળ આવ્યું નથી. તેના પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે અમે પહેલા જ આદેશ પસાર કરી ચુક્યા છીએ.


સુપ્રીમે આ પૂર્વે પણ ફગાવી હતી PIL


સુપ્રીમ કોર્ટ રાફેલ જેટ વિમાનોની ખરીદીને લઈ આ કરાયેલી અરજી આ પુર્વે પણ ફગાવી ચુકી છે. 14 ડિસેમ્બર 2018ના દિવસે સુપ્રીમે 36 રાફેલ ખરીદીની તપાસને તેમ કહીંને ફગાવી દીધી હતી કે નિર્ણય લેવાની પ્રક્રિયા પર વાસ્તવમાં શંકા કરવાને કોઈ મતલબ નથી.




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.