રાફેલ સોદાની પુનઃ તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો શું કહ્યું સર્વોચ્ચ અદાલતે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 18:34:57

સુપ્રીમ કોર્ટે 36 રાફેલ ખરીદી કેસમાં નવેસરથી પુનઃ તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમે આ સોદાની તપાસ સંબંધી જાહેર હિતની  અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ યુ યુ લલિત અને ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચે જો કે વકીલ એમ એલ શર્માની તે દલીલ પર વિચાર કર્યો કે સોદા સંબંધીત તમામ પુરાવા એકત્રિત કરવા માટે વિનંતી પત્ર જાહેર કરવાની સુચના જાહેર કરવામાં આવે.અગ્રણી વકીલ એમએલ શર્માએ કેટલાક મીડિયા રિપોર્ટને ટાંકીને પુન: તપાસની માંગ કરી હતી. આ મીડિયા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ડસોલ્ટ એવિએશને રાફેલ ડીલ માટે એક ભારતીય વચેટિયાને એક અબજ યુરોની ચુકવણી કરી હતી.


સુ્પ્રીમમાં શું કહ્યું અરજીકર્તાએ?


ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની બેન્ચે એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરેલી પીઆઈએલને ફગાવી દેતા કહ્યું હતું કે “આ મામલામાં કોર્ટ દ્વારા દખલગીરી માટે કોઈ વાજબી ઠેરવવામાં આવતું નથી”આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે એડવોકેટ શર્માએ કોર્ટમાં અપીલ કરી છે અને કહ્યું છે કે એક દિવસ એવો આવશે જ્યારે દરેક વ્યક્તિ અસહાય અનુભવશે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવવા કોઈ આગળ આવ્યું નથી. તેના પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે અમે પહેલા જ આદેશ પસાર કરી ચુક્યા છીએ.


સુપ્રીમે આ પૂર્વે પણ ફગાવી હતી PIL


સુપ્રીમ કોર્ટ રાફેલ જેટ વિમાનોની ખરીદીને લઈ આ કરાયેલી અરજી આ પુર્વે પણ ફગાવી ચુકી છે. 14 ડિસેમ્બર 2018ના દિવસે સુપ્રીમે 36 રાફેલ ખરીદીની તપાસને તેમ કહીંને ફગાવી દીધી હતી કે નિર્ણય લેવાની પ્રક્રિયા પર વાસ્તવમાં શંકા કરવાને કોઈ મતલબ નથી.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .