રાફેલ સોદાની પુનઃ તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો શું કહ્યું સર્વોચ્ચ અદાલતે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 18:34:57

સુપ્રીમ કોર્ટે 36 રાફેલ ખરીદી કેસમાં નવેસરથી પુનઃ તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમે આ સોદાની તપાસ સંબંધી જાહેર હિતની  અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ યુ યુ લલિત અને ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચે જો કે વકીલ એમ એલ શર્માની તે દલીલ પર વિચાર કર્યો કે સોદા સંબંધીત તમામ પુરાવા એકત્રિત કરવા માટે વિનંતી પત્ર જાહેર કરવાની સુચના જાહેર કરવામાં આવે.અગ્રણી વકીલ એમએલ શર્માએ કેટલાક મીડિયા રિપોર્ટને ટાંકીને પુન: તપાસની માંગ કરી હતી. આ મીડિયા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ડસોલ્ટ એવિએશને રાફેલ ડીલ માટે એક ભારતીય વચેટિયાને એક અબજ યુરોની ચુકવણી કરી હતી.


સુ્પ્રીમમાં શું કહ્યું અરજીકર્તાએ?


ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની બેન્ચે એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરેલી પીઆઈએલને ફગાવી દેતા કહ્યું હતું કે “આ મામલામાં કોર્ટ દ્વારા દખલગીરી માટે કોઈ વાજબી ઠેરવવામાં આવતું નથી”આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે એડવોકેટ શર્માએ કોર્ટમાં અપીલ કરી છે અને કહ્યું છે કે એક દિવસ એવો આવશે જ્યારે દરેક વ્યક્તિ અસહાય અનુભવશે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવવા કોઈ આગળ આવ્યું નથી. તેના પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે અમે પહેલા જ આદેશ પસાર કરી ચુક્યા છીએ.


સુપ્રીમે આ પૂર્વે પણ ફગાવી હતી PIL


સુપ્રીમ કોર્ટ રાફેલ જેટ વિમાનોની ખરીદીને લઈ આ કરાયેલી અરજી આ પુર્વે પણ ફગાવી ચુકી છે. 14 ડિસેમ્બર 2018ના દિવસે સુપ્રીમે 36 રાફેલ ખરીદીની તપાસને તેમ કહીંને ફગાવી દીધી હતી કે નિર્ણય લેવાની પ્રક્રિયા પર વાસ્તવમાં શંકા કરવાને કોઈ મતલબ નથી.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.