રાફેલ સોદાની પુનઃ તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો શું કહ્યું સર્વોચ્ચ અદાલતે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 18:34:57

સુપ્રીમ કોર્ટે 36 રાફેલ ખરીદી કેસમાં નવેસરથી પુનઃ તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમે આ સોદાની તપાસ સંબંધી જાહેર હિતની  અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ યુ યુ લલિત અને ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચે જો કે વકીલ એમ એલ શર્માની તે દલીલ પર વિચાર કર્યો કે સોદા સંબંધીત તમામ પુરાવા એકત્રિત કરવા માટે વિનંતી પત્ર જાહેર કરવાની સુચના જાહેર કરવામાં આવે.અગ્રણી વકીલ એમએલ શર્માએ કેટલાક મીડિયા રિપોર્ટને ટાંકીને પુન: તપાસની માંગ કરી હતી. આ મીડિયા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ડસોલ્ટ એવિએશને રાફેલ ડીલ માટે એક ભારતીય વચેટિયાને એક અબજ યુરોની ચુકવણી કરી હતી.


સુ્પ્રીમમાં શું કહ્યું અરજીકર્તાએ?


ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની બેન્ચે એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરેલી પીઆઈએલને ફગાવી દેતા કહ્યું હતું કે “આ મામલામાં કોર્ટ દ્વારા દખલગીરી માટે કોઈ વાજબી ઠેરવવામાં આવતું નથી”આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે એડવોકેટ શર્માએ કોર્ટમાં અપીલ કરી છે અને કહ્યું છે કે એક દિવસ એવો આવશે જ્યારે દરેક વ્યક્તિ અસહાય અનુભવશે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવવા કોઈ આગળ આવ્યું નથી. તેના પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે અમે પહેલા જ આદેશ પસાર કરી ચુક્યા છીએ.


સુપ્રીમે આ પૂર્વે પણ ફગાવી હતી PIL


સુપ્રીમ કોર્ટ રાફેલ જેટ વિમાનોની ખરીદીને લઈ આ કરાયેલી અરજી આ પુર્વે પણ ફગાવી ચુકી છે. 14 ડિસેમ્બર 2018ના દિવસે સુપ્રીમે 36 રાફેલ ખરીદીની તપાસને તેમ કહીંને ફગાવી દીધી હતી કે નિર્ણય લેવાની પ્રક્રિયા પર વાસ્તવમાં શંકા કરવાને કોઈ મતલબ નથી.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી