સંજય સિંહ બાદ હવે રાઘવ ચઢ્ઢા પણ રાજ્યસભામાંથી સસ્પેન્ડ, શા માટે થઈ કાર્યવાહી? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-11 19:42:32

સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં વિપક્ષના સાંસદો સામે બંને ગૃહોના અધ્યક્ષે કડક કાર્યવાહી કરવાનું ચાલું રાખ્યું છે. આ સત્રમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયા બાદ હવે બીજા એક નેતા રાઘવ ચઢ્ઢાને પણ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપના સાંસદ રાઘવ ચઢ્ઢાના સસ્પેન્શનનો પ્રસ્તાવ પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરાયો હતો, જેમણે કહ્યું કે રાઘવ ચઢ્ઢાની કાર્યવાહી અનૈતિક હતી. ગોયલે ચઢ્ઢા પર વિશેષાધિકાર હનનનો આરોપ લગાવતા કહ્યું કે ચઢ્ઢાનું આચરણ અયોગ્ય અને સંસદ સભ્ય માટે અશોભનીય છે. સસ્પેન્શનનો આ નિર્ણય તેમના વિરુદ્ધ તપાસ કરી રહેલી વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી યથાવત રહેશે. 


રાઘવ ચઢ્ઢાને શા માટે સસ્પેન્ડ કરાયા?


રાઘવ ચઢ્ઢા પર આરોપ છે કે તેમણે રાજ્યસભામાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર ખરડો પસાર કરવાની પ્રક્રિયા દરમિયાન પ્રવર સમિતિના ગઠનનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સમિતિ માટે ચાર સાંસદો, સસ્મિત પાત્રા, એસ ફાન્ગનૉન કોન્યાક, એમ થંબીદુરઈ અને નરહરિ અમીનનું નામ તેમની મંજૂરી વગર સામેલ કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે 9 ઓગસ્ટ, બુધવારે આ સાંસદોની ફરિયાદોને વિશેષાધિકાર સમિતિ પાસે મોકલી દીધી હતી, જેમાં આરોપ લગાવાયો કે ચઢ્ઢાએ નિયમોનું ઉલ્લંઘન કરતા તેમની સહમતિ વગર ગૃહની પ્રવર સમિતિમાં તેમના નામ સામેલ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.


રાઘવ ચઢ્ઢાએ કરી આ દલીલ


પોતાના સસ્પેન્શન મુદ્દે રાઘવ ચઢ્ઢાએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું કે એક સાંસદ કોઈ પણ સમિતિની રચના માટે નામનો પ્રસ્તાવ કરી શકે છે. જે વ્યક્તિનું નામ પ્રસ્તાવિત છે તેમના હસ્તાક્ષરની ન તો જરૂર  છે અને ન તો લેખિત સહમતિની અનિવાર્યતા છે. તેમણે કહ્યું કે માની લો કે હું જન્મદિવસની પાર્ટી આયોજિત કરું છું અને 10 લોકોને આમંત્રિત કરું છું, તેમાં આઠ આવે છે અને બે મારા નિમંત્રણનો સ્વીકાર નથી કરતા. તેના બદલે તેઓ મારા પર આરોપ લગાવે છે કે અમને જન્મદિવસ પર આમંત્રિત કરવાની હિંમત કઈ રીતે કરી? આ મામલે આ જ થયું છે. મેં તેમણે સમિતિનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા છે.


સંજય સિંહ પણ સસ્પેન્ડ રહેશે?


પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે સંજય સિંહનું આચરણ પણ અત્યંત નિંદનીય હતું. સસ્પેન્શન બાદ પણ તેઓ ગૃહમાં બેસી રહ્યા. જેના કારણે ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી. આ ખુરશીનું અપમાન છે. સંજય સિંહ અત્યાર સુધીમાં 56 વખત વેલમાં આવી ચુક્યા છે, જે દર્શાવે છે કે તેઓ ગૃહની કાર્યવાહી ખોરવવા માંગે છે. રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી સંજય સિંહ સસ્પેન્ડ રહેશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .