સંજય સિંહ બાદ હવે રાઘવ ચઢ્ઢા પણ રાજ્યસભામાંથી સસ્પેન્ડ, શા માટે થઈ કાર્યવાહી? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-11 19:42:32

સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં વિપક્ષના સાંસદો સામે બંને ગૃહોના અધ્યક્ષે કડક કાર્યવાહી કરવાનું ચાલું રાખ્યું છે. આ સત્રમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયા બાદ હવે બીજા એક નેતા રાઘવ ચઢ્ઢાને પણ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપના સાંસદ રાઘવ ચઢ્ઢાના સસ્પેન્શનનો પ્રસ્તાવ પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરાયો હતો, જેમણે કહ્યું કે રાઘવ ચઢ્ઢાની કાર્યવાહી અનૈતિક હતી. ગોયલે ચઢ્ઢા પર વિશેષાધિકાર હનનનો આરોપ લગાવતા કહ્યું કે ચઢ્ઢાનું આચરણ અયોગ્ય અને સંસદ સભ્ય માટે અશોભનીય છે. સસ્પેન્શનનો આ નિર્ણય તેમના વિરુદ્ધ તપાસ કરી રહેલી વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી યથાવત રહેશે. 


રાઘવ ચઢ્ઢાને શા માટે સસ્પેન્ડ કરાયા?


રાઘવ ચઢ્ઢા પર આરોપ છે કે તેમણે રાજ્યસભામાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર ખરડો પસાર કરવાની પ્રક્રિયા દરમિયાન પ્રવર સમિતિના ગઠનનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સમિતિ માટે ચાર સાંસદો, સસ્મિત પાત્રા, એસ ફાન્ગનૉન કોન્યાક, એમ થંબીદુરઈ અને નરહરિ અમીનનું નામ તેમની મંજૂરી વગર સામેલ કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે 9 ઓગસ્ટ, બુધવારે આ સાંસદોની ફરિયાદોને વિશેષાધિકાર સમિતિ પાસે મોકલી દીધી હતી, જેમાં આરોપ લગાવાયો કે ચઢ્ઢાએ નિયમોનું ઉલ્લંઘન કરતા તેમની સહમતિ વગર ગૃહની પ્રવર સમિતિમાં તેમના નામ સામેલ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.


રાઘવ ચઢ્ઢાએ કરી આ દલીલ


પોતાના સસ્પેન્શન મુદ્દે રાઘવ ચઢ્ઢાએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું કે એક સાંસદ કોઈ પણ સમિતિની રચના માટે નામનો પ્રસ્તાવ કરી શકે છે. જે વ્યક્તિનું નામ પ્રસ્તાવિત છે તેમના હસ્તાક્ષરની ન તો જરૂર  છે અને ન તો લેખિત સહમતિની અનિવાર્યતા છે. તેમણે કહ્યું કે માની લો કે હું જન્મદિવસની પાર્ટી આયોજિત કરું છું અને 10 લોકોને આમંત્રિત કરું છું, તેમાં આઠ આવે છે અને બે મારા નિમંત્રણનો સ્વીકાર નથી કરતા. તેના બદલે તેઓ મારા પર આરોપ લગાવે છે કે અમને જન્મદિવસ પર આમંત્રિત કરવાની હિંમત કઈ રીતે કરી? આ મામલે આ જ થયું છે. મેં તેમણે સમિતિનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા છે.


સંજય સિંહ પણ સસ્પેન્ડ રહેશે?


પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે સંજય સિંહનું આચરણ પણ અત્યંત નિંદનીય હતું. સસ્પેન્શન બાદ પણ તેઓ ગૃહમાં બેસી રહ્યા. જેના કારણે ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી. આ ખુરશીનું અપમાન છે. સંજય સિંહ અત્યાર સુધીમાં 56 વખત વેલમાં આવી ચુક્યા છે, જે દર્શાવે છે કે તેઓ ગૃહની કાર્યવાહી ખોરવવા માંગે છે. રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી સંજય સિંહ સસ્પેન્ડ રહેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.