સંજય સિંહ બાદ હવે રાઘવ ચઢ્ઢા પણ રાજ્યસભામાંથી સસ્પેન્ડ, શા માટે થઈ કાર્યવાહી? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-11 19:42:32

સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં વિપક્ષના સાંસદો સામે બંને ગૃહોના અધ્યક્ષે કડક કાર્યવાહી કરવાનું ચાલું રાખ્યું છે. આ સત્રમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયા બાદ હવે બીજા એક નેતા રાઘવ ચઢ્ઢાને પણ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપના સાંસદ રાઘવ ચઢ્ઢાના સસ્પેન્શનનો પ્રસ્તાવ પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરાયો હતો, જેમણે કહ્યું કે રાઘવ ચઢ્ઢાની કાર્યવાહી અનૈતિક હતી. ગોયલે ચઢ્ઢા પર વિશેષાધિકાર હનનનો આરોપ લગાવતા કહ્યું કે ચઢ્ઢાનું આચરણ અયોગ્ય અને સંસદ સભ્ય માટે અશોભનીય છે. સસ્પેન્શનનો આ નિર્ણય તેમના વિરુદ્ધ તપાસ કરી રહેલી વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી યથાવત રહેશે. 


રાઘવ ચઢ્ઢાને શા માટે સસ્પેન્ડ કરાયા?


રાઘવ ચઢ્ઢા પર આરોપ છે કે તેમણે રાજ્યસભામાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર ખરડો પસાર કરવાની પ્રક્રિયા દરમિયાન પ્રવર સમિતિના ગઠનનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સમિતિ માટે ચાર સાંસદો, સસ્મિત પાત્રા, એસ ફાન્ગનૉન કોન્યાક, એમ થંબીદુરઈ અને નરહરિ અમીનનું નામ તેમની મંજૂરી વગર સામેલ કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે 9 ઓગસ્ટ, બુધવારે આ સાંસદોની ફરિયાદોને વિશેષાધિકાર સમિતિ પાસે મોકલી દીધી હતી, જેમાં આરોપ લગાવાયો કે ચઢ્ઢાએ નિયમોનું ઉલ્લંઘન કરતા તેમની સહમતિ વગર ગૃહની પ્રવર સમિતિમાં તેમના નામ સામેલ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.


રાઘવ ચઢ્ઢાએ કરી આ દલીલ


પોતાના સસ્પેન્શન મુદ્દે રાઘવ ચઢ્ઢાએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું કે એક સાંસદ કોઈ પણ સમિતિની રચના માટે નામનો પ્રસ્તાવ કરી શકે છે. જે વ્યક્તિનું નામ પ્રસ્તાવિત છે તેમના હસ્તાક્ષરની ન તો જરૂર  છે અને ન તો લેખિત સહમતિની અનિવાર્યતા છે. તેમણે કહ્યું કે માની લો કે હું જન્મદિવસની પાર્ટી આયોજિત કરું છું અને 10 લોકોને આમંત્રિત કરું છું, તેમાં આઠ આવે છે અને બે મારા નિમંત્રણનો સ્વીકાર નથી કરતા. તેના બદલે તેઓ મારા પર આરોપ લગાવે છે કે અમને જન્મદિવસ પર આમંત્રિત કરવાની હિંમત કઈ રીતે કરી? આ મામલે આ જ થયું છે. મેં તેમણે સમિતિનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા છે.


સંજય સિંહ પણ સસ્પેન્ડ રહેશે?


પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે સંજય સિંહનું આચરણ પણ અત્યંત નિંદનીય હતું. સસ્પેન્શન બાદ પણ તેઓ ગૃહમાં બેસી રહ્યા. જેના કારણે ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી. આ ખુરશીનું અપમાન છે. સંજય સિંહ અત્યાર સુધીમાં 56 વખત વેલમાં આવી ચુક્યા છે, જે દર્શાવે છે કે તેઓ ગૃહની કાર્યવાહી ખોરવવા માંગે છે. રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી સંજય સિંહ સસ્પેન્ડ રહેશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે