પેપર લીક મુદ્દે રાઘવ ચડ્ડાએ ભાજપ પર સાધ્યું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:04:08

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોઈને કોઈ વાતને લઈ રાજ્ય સરકાર પર આપ દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યારે આજે ફરી એક વખત ભાજપ સરકાર આપના નિશાના પર આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યું છે તેને મુદ્દો બનાવી આપે ભાજપ પર પ્રહાર કર્યા છે. રાઘવ ચડ્ડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ પેપર નહીં તમારા બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આ કોઈ નાનો ગુનો નથી. આનાથી રાજ્યભરના વિદ્યાર્થીઓનું ભાવિ સંકટમાં મુકાઈ જશે. 


ચૂંટણીમાં ભાજપની કિસ્મત ફોડી નાખો - રાઘવ ચડ્ડા

ભાજપ સરકાર પર અનેક વખત આમ આદમી દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ મુદ્દો હોય આપ હમેશા તે મુદ્દાને લઈ ભાજપને નિશાના પર સાધતું રહે છે. પેપર લીક મુદ્દાને લઈ ગુજરાત સરકાર પર નિશાન સાધતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે આ પેપર નહીં તમારા બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે. તમે ચૂંટણીરૂપી પરીક્ષામાં બદલો લઈને ભાજપની કિસ્મતને અંધકારમાં મૂકી દો. તેમણે ઉમેર્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તો 100 દિવસની અંદર પેપરલીક મુદ્દે કાયદો લાવી આરોપી સામે કડક પગલા લેવામાં આવશે. તેમણે કહ્યું કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા કાયદા બનાવામાં આવે.

  

ભાજપની ગૌરવ યાત્રા પર પણ રાઘવના પ્રહાર

પોતાનો પ્રચાર કરવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. તેની પર પ્રતિક્રિયા આપતા રાઘવે કહ્યું કે ભાજપને શેનુ ગૌરવ છે જેની યાત્રા કાઢી રહી છે. એક બાજુ પેપર ફૂટે છે અને બીજી બાજુ તેઓ જનતાના બાળકોના ભવિષ્યને અંધકારમાં નાખી રહી છે.              



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.