પેપર લીક મુદ્દે રાઘવ ચડ્ડાએ ભાજપ પર સાધ્યું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:04:08

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોઈને કોઈ વાતને લઈ રાજ્ય સરકાર પર આપ દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યારે આજે ફરી એક વખત ભાજપ સરકાર આપના નિશાના પર આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યું છે તેને મુદ્દો બનાવી આપે ભાજપ પર પ્રહાર કર્યા છે. રાઘવ ચડ્ડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ પેપર નહીં તમારા બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આ કોઈ નાનો ગુનો નથી. આનાથી રાજ્યભરના વિદ્યાર્થીઓનું ભાવિ સંકટમાં મુકાઈ જશે. 


ચૂંટણીમાં ભાજપની કિસ્મત ફોડી નાખો - રાઘવ ચડ્ડા

ભાજપ સરકાર પર અનેક વખત આમ આદમી દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ મુદ્દો હોય આપ હમેશા તે મુદ્દાને લઈ ભાજપને નિશાના પર સાધતું રહે છે. પેપર લીક મુદ્દાને લઈ ગુજરાત સરકાર પર નિશાન સાધતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે આ પેપર નહીં તમારા બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે. તમે ચૂંટણીરૂપી પરીક્ષામાં બદલો લઈને ભાજપની કિસ્મતને અંધકારમાં મૂકી દો. તેમણે ઉમેર્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તો 100 દિવસની અંદર પેપરલીક મુદ્દે કાયદો લાવી આરોપી સામે કડક પગલા લેવામાં આવશે. તેમણે કહ્યું કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા કાયદા બનાવામાં આવે.

  

ભાજપની ગૌરવ યાત્રા પર પણ રાઘવના પ્રહાર

પોતાનો પ્રચાર કરવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. તેની પર પ્રતિક્રિયા આપતા રાઘવે કહ્યું કે ભાજપને શેનુ ગૌરવ છે જેની યાત્રા કાઢી રહી છે. એક બાજુ પેપર ફૂટે છે અને બીજી બાજુ તેઓ જનતાના બાળકોના ભવિષ્યને અંધકારમાં નાખી રહી છે.              



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.