પેપર લીક મુદ્દે રાઘવ ચડ્ડાએ ભાજપ પર સાધ્યું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:04:08

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોઈને કોઈ વાતને લઈ રાજ્ય સરકાર પર આપ દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યારે આજે ફરી એક વખત ભાજપ સરકાર આપના નિશાના પર આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યું છે તેને મુદ્દો બનાવી આપે ભાજપ પર પ્રહાર કર્યા છે. રાઘવ ચડ્ડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ પેપર નહીં તમારા બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આ કોઈ નાનો ગુનો નથી. આનાથી રાજ્યભરના વિદ્યાર્થીઓનું ભાવિ સંકટમાં મુકાઈ જશે. 


ચૂંટણીમાં ભાજપની કિસ્મત ફોડી નાખો - રાઘવ ચડ્ડા

ભાજપ સરકાર પર અનેક વખત આમ આદમી દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ મુદ્દો હોય આપ હમેશા તે મુદ્દાને લઈ ભાજપને નિશાના પર સાધતું રહે છે. પેપર લીક મુદ્દાને લઈ ગુજરાત સરકાર પર નિશાન સાધતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે આ પેપર નહીં તમારા બાળકોના ભવિષ્ય ફૂટ્યા છે. તમે ચૂંટણીરૂપી પરીક્ષામાં બદલો લઈને ભાજપની કિસ્મતને અંધકારમાં મૂકી દો. તેમણે ઉમેર્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તો 100 દિવસની અંદર પેપરલીક મુદ્દે કાયદો લાવી આરોપી સામે કડક પગલા લેવામાં આવશે. તેમણે કહ્યું કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા કાયદા બનાવામાં આવે.

  

ભાજપની ગૌરવ યાત્રા પર પણ રાઘવના પ્રહાર

પોતાનો પ્રચાર કરવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. તેની પર પ્રતિક્રિયા આપતા રાઘવે કહ્યું કે ભાજપને શેનુ ગૌરવ છે જેની યાત્રા કાઢી રહી છે. એક બાજુ પેપર ફૂટે છે અને બીજી બાજુ તેઓ જનતાના બાળકોના ભવિષ્યને અંધકારમાં નાખી રહી છે.              



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.