ગાંધી જયંતીના દિવસે આમ આદમી પાર્ટી બાપુ ચિંધ્યા માર્ગે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 18:14:25

આમ આદમી પાર્ટીના ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ ગાંધી જયંતી નિમિતે 'ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ'ની શરૂઆત કરાવી. સાંસદ રાઘવ ચઢ્ઢા બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે દાંડી પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સુરતમાં તેમની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે પત્રકારોના સવાલોના જવાબો આપ્યા હતા.  


ગુજરાતને ભાજપના અહંકારી શાસનથી મુક્ત કરાવશું: ચઢ્ઢા

દાંડી પહોંચી રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ગાંધીજીએ સત્યાગ્રહના માર્ગે ચાલીને દેશના લોકોને અંગ્રેજો સામે બળવો કરવા માટેની શક્તિ આપી હતી. તેવી જ રીતે ગુજરાત પરિવર્તન સત્યાગ્રહથી ગુજરાતની જનતાને 27 વર્ષના ભાજપના અહંકારી શાસનમાંથી મુક્તિ અપાવીશું. 


ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાઘવ ચઢ્ઢાને ગુજરાત આમ આદમી પાર્ટીના સહપ્રભારી બનાવ્યા છે ત્યારે તેઓ બે દિવસથી ગુજરાત પ્રવાસે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી આપનો માહોલ ઉભો કરવા અને સ્થાનિક લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવા સહિતના કામોનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. આ ચૂંટણીમાં ત્રણેય પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ હશે પરંતુ કોને કેટલી સીટ મળશે તેનું અસલી ચિત્ર તો પરિણામ જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે. 


બાપુની દાંડી યાત્રા વિશે આપણે આ વાત તો જાણવી જ જોઈએ 

અંગ્રેજો સામે લડતને વેગ આપવા માટે બાપુએ સવિનય કાનૂન ભંગની ચળવળ ચલાવી હતી. 12 માર્ચથી 6 એપ્રિલ સુધીની 24 દિવસની યાત્રામાં બાપુએ અમદાવાદથી દાંડી સુધી પહોંચી અંગ્રેજ સરકાર સામે અહિંસક વિરોધનું અભિયાન ચલાવી મીઠા પરના કરના કાયદાને નાબૂદ કરાવ્યો હતો. 




 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે