ગાંધી જયંતીના દિવસે આમ આદમી પાર્ટી બાપુ ચિંધ્યા માર્ગે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 18:14:25

આમ આદમી પાર્ટીના ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ ગાંધી જયંતી નિમિતે 'ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ'ની શરૂઆત કરાવી. સાંસદ રાઘવ ચઢ્ઢા બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે દાંડી પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સુરતમાં તેમની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે પત્રકારોના સવાલોના જવાબો આપ્યા હતા.  


ગુજરાતને ભાજપના અહંકારી શાસનથી મુક્ત કરાવશું: ચઢ્ઢા

દાંડી પહોંચી રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ગાંધીજીએ સત્યાગ્રહના માર્ગે ચાલીને દેશના લોકોને અંગ્રેજો સામે બળવો કરવા માટેની શક્તિ આપી હતી. તેવી જ રીતે ગુજરાત પરિવર્તન સત્યાગ્રહથી ગુજરાતની જનતાને 27 વર્ષના ભાજપના અહંકારી શાસનમાંથી મુક્તિ અપાવીશું. 


ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાઘવ ચઢ્ઢાને ગુજરાત આમ આદમી પાર્ટીના સહપ્રભારી બનાવ્યા છે ત્યારે તેઓ બે દિવસથી ગુજરાત પ્રવાસે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી આપનો માહોલ ઉભો કરવા અને સ્થાનિક લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવા સહિતના કામોનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. આ ચૂંટણીમાં ત્રણેય પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ હશે પરંતુ કોને કેટલી સીટ મળશે તેનું અસલી ચિત્ર તો પરિણામ જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે. 


બાપુની દાંડી યાત્રા વિશે આપણે આ વાત તો જાણવી જ જોઈએ 

અંગ્રેજો સામે લડતને વેગ આપવા માટે બાપુએ સવિનય કાનૂન ભંગની ચળવળ ચલાવી હતી. 12 માર્ચથી 6 એપ્રિલ સુધીની 24 દિવસની યાત્રામાં બાપુએ અમદાવાદથી દાંડી સુધી પહોંચી અંગ્રેજ સરકાર સામે અહિંસક વિરોધનું અભિયાન ચલાવી મીઠા પરના કરના કાયદાને નાબૂદ કરાવ્યો હતો. 




 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .