જામનગરમાં વરસાદથી પ્રભાવિત જગ્યાની લીધી રાઘવજી પટેલે મુલાકાત, નેતાને જોતા જ લોકોએ તેમને ઘચકાવ્યા? જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-07-01 17:24:24

ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લામાં આઠ ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જામનગરની વાત કરીએ ત્યાં તો 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે જામનગર શહેરના ઘરોમાં અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા. જામનગરમાં પરિસ્થિતિ કેવી છે તે જાણવા કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સ્થળ મુલાકાત લેવા જ્યારે રાઘવજી પટેલ ગયા હતા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા.  

       

રાઘવજી પટેલને કરવો પડ્યો વિરોધનો સામનો 

જામનગરમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારની અંદર અને લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. જામનગરની હાલત ખરાબ હોવાના કારણે કૃષીમંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા હતા. રાઘવજી પટેલે સ્થાનિક વ્યક્તિ સાથે સ્કૂટર પર બેસીને સવારી કરી જામનગરના વિસ્તારોની મુલાકાત લીધી. આમ તે જામનગરના મોહન નગર, નારાયણ નગર અને ગુલાબ નગર વિસ્તારના લોકોને મળવા પહોંચ્યા હતા. ત્યાંના લોકોએ મંત્રી રાઘવજી પટેલને ઉગ્ર રજૂઆત કરીને કહ્યું હતું કે અમે અનેકવાર કહ્યું છે કે અમને આ વિસ્તારમાં રોડ બનાવી આપો પણ કોઈએ રોડ બનાવી આપ્યા ન હતા જેના કારણે તેમના ઘરોમાં આજે પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરની વસ્તુઓ, ઘરવખરીઓ બધુ પાણીમાં સમાઈ ગયું છે કારણ કે જામનગરમાં ભારે વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હતું.  


રસ્તાઓ ખાલી કરાતા ખોરવાયો વાહન વ્યવહાર 

પોતાના મતવિસ્તારની હાલત જોવા જ્યારે રાઘવજી ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જામનગરના લોકોએ મંત્રી રાઘવજી પટેલને પહેલા તો રજૂઆત કરી હતી પણ સ્થાનિક કાર્યકરે વચ્ચે ટક ટક કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને મંત્રી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. મંત્રીએ સ્કુટરમાં બેસીને સવારી તો કરી હતી પણ મંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખી રસ્તાઓ ખાલી કરાયા હતા જેના કારણે વાહન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. તેના વીડિયો પણ વાયરલ થયા હતા.  

ધારાસભ્યનો પણ એક આવો વીડિયો આવ્યો છે સામે 

તેની પહેલા પણ જૂનાગઢ શહેરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્ય સંજય કોરાડિયાને પણ વિરોધ સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેર પાણી પાણી થઈ ગયું હતું. પહેલા તો ધારાસભ્ય લોકોની મદદે આવ્યા પરંતુ જ્યારે લોકોએ તેમને મુશ્કેલી વણવી ત્યારે તેઓ ભડકી ઉઠ્યા હતા.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.