જામનગરમાં વરસાદથી પ્રભાવિત જગ્યાની લીધી રાઘવજી પટેલે મુલાકાત, નેતાને જોતા જ લોકોએ તેમને ઘચકાવ્યા? જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-07-01 17:24:24

ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લામાં આઠ ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જામનગરની વાત કરીએ ત્યાં તો 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે જામનગર શહેરના ઘરોમાં અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા. જામનગરમાં પરિસ્થિતિ કેવી છે તે જાણવા કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સ્થળ મુલાકાત લેવા જ્યારે રાઘવજી પટેલ ગયા હતા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા.  

       

રાઘવજી પટેલને કરવો પડ્યો વિરોધનો સામનો 

જામનગરમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારની અંદર અને લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. જામનગરની હાલત ખરાબ હોવાના કારણે કૃષીમંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા હતા. રાઘવજી પટેલે સ્થાનિક વ્યક્તિ સાથે સ્કૂટર પર બેસીને સવારી કરી જામનગરના વિસ્તારોની મુલાકાત લીધી. આમ તે જામનગરના મોહન નગર, નારાયણ નગર અને ગુલાબ નગર વિસ્તારના લોકોને મળવા પહોંચ્યા હતા. ત્યાંના લોકોએ મંત્રી રાઘવજી પટેલને ઉગ્ર રજૂઆત કરીને કહ્યું હતું કે અમે અનેકવાર કહ્યું છે કે અમને આ વિસ્તારમાં રોડ બનાવી આપો પણ કોઈએ રોડ બનાવી આપ્યા ન હતા જેના કારણે તેમના ઘરોમાં આજે પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરની વસ્તુઓ, ઘરવખરીઓ બધુ પાણીમાં સમાઈ ગયું છે કારણ કે જામનગરમાં ભારે વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હતું.  


રસ્તાઓ ખાલી કરાતા ખોરવાયો વાહન વ્યવહાર 

પોતાના મતવિસ્તારની હાલત જોવા જ્યારે રાઘવજી ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જામનગરના લોકોએ મંત્રી રાઘવજી પટેલને પહેલા તો રજૂઆત કરી હતી પણ સ્થાનિક કાર્યકરે વચ્ચે ટક ટક કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને મંત્રી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. મંત્રીએ સ્કુટરમાં બેસીને સવારી તો કરી હતી પણ મંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખી રસ્તાઓ ખાલી કરાયા હતા જેના કારણે વાહન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. તેના વીડિયો પણ વાયરલ થયા હતા.  

ધારાસભ્યનો પણ એક આવો વીડિયો આવ્યો છે સામે 

તેની પહેલા પણ જૂનાગઢ શહેરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્ય સંજય કોરાડિયાને પણ વિરોધ સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેર પાણી પાણી થઈ ગયું હતું. પહેલા તો ધારાસભ્ય લોકોની મદદે આવ્યા પરંતુ જ્યારે લોકોએ તેમને મુશ્કેલી વણવી ત્યારે તેઓ ભડકી ઉઠ્યા હતા.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.