જામનગરમાં વરસાદથી પ્રભાવિત જગ્યાની લીધી રાઘવજી પટેલે મુલાકાત, નેતાને જોતા જ લોકોએ તેમને ઘચકાવ્યા? જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-07-01 17:24:24

ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લામાં આઠ ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જામનગરની વાત કરીએ ત્યાં તો 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે જામનગર શહેરના ઘરોમાં અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા. જામનગરમાં પરિસ્થિતિ કેવી છે તે જાણવા કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સ્થળ મુલાકાત લેવા જ્યારે રાઘવજી પટેલ ગયા હતા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા.  

       

રાઘવજી પટેલને કરવો પડ્યો વિરોધનો સામનો 

જામનગરમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારની અંદર અને લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. જામનગરની હાલત ખરાબ હોવાના કારણે કૃષીમંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા હતા. રાઘવજી પટેલે સ્થાનિક વ્યક્તિ સાથે સ્કૂટર પર બેસીને સવારી કરી જામનગરના વિસ્તારોની મુલાકાત લીધી. આમ તે જામનગરના મોહન નગર, નારાયણ નગર અને ગુલાબ નગર વિસ્તારના લોકોને મળવા પહોંચ્યા હતા. ત્યાંના લોકોએ મંત્રી રાઘવજી પટેલને ઉગ્ર રજૂઆત કરીને કહ્યું હતું કે અમે અનેકવાર કહ્યું છે કે અમને આ વિસ્તારમાં રોડ બનાવી આપો પણ કોઈએ રોડ બનાવી આપ્યા ન હતા જેના કારણે તેમના ઘરોમાં આજે પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરની વસ્તુઓ, ઘરવખરીઓ બધુ પાણીમાં સમાઈ ગયું છે કારણ કે જામનગરમાં ભારે વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હતું.  


રસ્તાઓ ખાલી કરાતા ખોરવાયો વાહન વ્યવહાર 

પોતાના મતવિસ્તારની હાલત જોવા જ્યારે રાઘવજી ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જામનગરના લોકોએ મંત્રી રાઘવજી પટેલને પહેલા તો રજૂઆત કરી હતી પણ સ્થાનિક કાર્યકરે વચ્ચે ટક ટક કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને મંત્રી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. મંત્રીએ સ્કુટરમાં બેસીને સવારી તો કરી હતી પણ મંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખી રસ્તાઓ ખાલી કરાયા હતા જેના કારણે વાહન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. તેના વીડિયો પણ વાયરલ થયા હતા.  

ધારાસભ્યનો પણ એક આવો વીડિયો આવ્યો છે સામે 

તેની પહેલા પણ જૂનાગઢ શહેરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્ય સંજય કોરાડિયાને પણ વિરોધ સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેર પાણી પાણી થઈ ગયું હતું. પહેલા તો ધારાસભ્ય લોકોની મદદે આવ્યા પરંતુ જ્યારે લોકોએ તેમને મુશ્કેલી વણવી ત્યારે તેઓ ભડકી ઉઠ્યા હતા.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.