જામનગરમાં વરસાદથી પ્રભાવિત જગ્યાની લીધી રાઘવજી પટેલે મુલાકાત, નેતાને જોતા જ લોકોએ તેમને ઘચકાવ્યા? જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-07-01 17:24:24

ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લામાં આઠ ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જામનગરની વાત કરીએ ત્યાં તો 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે જામનગર શહેરના ઘરોમાં અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા. જામનગરમાં પરિસ્થિતિ કેવી છે તે જાણવા કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સ્થળ મુલાકાત લેવા જ્યારે રાઘવજી પટેલ ગયા હતા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા.  

       

રાઘવજી પટેલને કરવો પડ્યો વિરોધનો સામનો 

જામનગરમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારની અંદર અને લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. જામનગરની હાલત ખરાબ હોવાના કારણે કૃષીમંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા હતા. રાઘવજી પટેલે સ્થાનિક વ્યક્તિ સાથે સ્કૂટર પર બેસીને સવારી કરી જામનગરના વિસ્તારોની મુલાકાત લીધી. આમ તે જામનગરના મોહન નગર, નારાયણ નગર અને ગુલાબ નગર વિસ્તારના લોકોને મળવા પહોંચ્યા હતા. ત્યાંના લોકોએ મંત્રી રાઘવજી પટેલને ઉગ્ર રજૂઆત કરીને કહ્યું હતું કે અમે અનેકવાર કહ્યું છે કે અમને આ વિસ્તારમાં રોડ બનાવી આપો પણ કોઈએ રોડ બનાવી આપ્યા ન હતા જેના કારણે તેમના ઘરોમાં આજે પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરની વસ્તુઓ, ઘરવખરીઓ બધુ પાણીમાં સમાઈ ગયું છે કારણ કે જામનગરમાં ભારે વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયું હતું.  


રસ્તાઓ ખાલી કરાતા ખોરવાયો વાહન વ્યવહાર 

પોતાના મતવિસ્તારની હાલત જોવા જ્યારે રાઘવજી ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જામનગરના લોકોએ મંત્રી રાઘવજી પટેલને પહેલા તો રજૂઆત કરી હતી પણ સ્થાનિક કાર્યકરે વચ્ચે ટક ટક કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને મંત્રી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. મંત્રીએ સ્કુટરમાં બેસીને સવારી તો કરી હતી પણ મંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખી રસ્તાઓ ખાલી કરાયા હતા જેના કારણે વાહન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. તેના વીડિયો પણ વાયરલ થયા હતા.  

ધારાસભ્યનો પણ એક આવો વીડિયો આવ્યો છે સામે 

તેની પહેલા પણ જૂનાગઢ શહેરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્ય સંજય કોરાડિયાને પણ વિરોધ સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેર પાણી પાણી થઈ ગયું હતું. પહેલા તો ધારાસભ્ય લોકોની મદદે આવ્યા પરંતુ જ્યારે લોકોએ તેમને મુશ્કેલી વણવી ત્યારે તેઓ ભડકી ઉઠ્યા હતા.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.