ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ AAPને 'દેડકો' કહ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 10:04:25

Story- સમીર પરમાર.


ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ મેદાને આવી આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા.  નવસારીના જલાલપોરથી પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે વિવાદિત નિવેદન આપતા આમ આદમી પાર્ટી અને રઘુ શર્મા વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું હતું.

 

વરસાદ પડે ત્યારે દેડકા તો આવેઃ કોંગ્રેસ પ્રભારીનો AAP પર સાંકેતિક પ્રહાર


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા નવસારીના જમાલપોરમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા. નવસારીમાં વિવાદિત જગ્યા તોડી પાડવા બાબતે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આમ આદમી પાર્ટીનું નામ લીધા બાદ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું કે વરસાદ પડે ત્યારે દેડકા આવતા હોય છે. વરસાદી ઋતુ પૂર્ણ થયા બાદ દેડકા જતા રહે છે. રઘુ શર્માએ ઉમેર્યું હતું કે, મને ગુજરાતની રાજનીતિનો ઘણો અનુભવ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ વિધાનસભા ચૂંટણીમાં હરીફાઈ થશે. 


ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વિવાદીત નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "રઘુ શર્માને આંખોની સારવાર કરવી જોઈએ. જે કોંગ્રેસના નેતા રઘુ શર્માને જાણકારી આપતા હોય છે તેમને મેદાને ઉતરશે તો તેમને ખ્યાલ આવશે કે આમ આદમી પાર્ટી લોકોના દિલ સુધી પહોંચી ગઈ છે."



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .