ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ AAPને 'દેડકો' કહ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 10:04:25

Story- સમીર પરમાર.


ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ મેદાને આવી આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા.  નવસારીના જલાલપોરથી પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે વિવાદિત નિવેદન આપતા આમ આદમી પાર્ટી અને રઘુ શર્મા વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું હતું.

 

વરસાદ પડે ત્યારે દેડકા તો આવેઃ કોંગ્રેસ પ્રભારીનો AAP પર સાંકેતિક પ્રહાર


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા નવસારીના જમાલપોરમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા. નવસારીમાં વિવાદિત જગ્યા તોડી પાડવા બાબતે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આમ આદમી પાર્ટીનું નામ લીધા બાદ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું કે વરસાદ પડે ત્યારે દેડકા આવતા હોય છે. વરસાદી ઋતુ પૂર્ણ થયા બાદ દેડકા જતા રહે છે. રઘુ શર્માએ ઉમેર્યું હતું કે, મને ગુજરાતની રાજનીતિનો ઘણો અનુભવ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ વિધાનસભા ચૂંટણીમાં હરીફાઈ થશે. 


ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વિવાદીત નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "રઘુ શર્માને આંખોની સારવાર કરવી જોઈએ. જે કોંગ્રેસના નેતા રઘુ શર્માને જાણકારી આપતા હોય છે તેમને મેદાને ઉતરશે તો તેમને ખ્યાલ આવશે કે આમ આદમી પાર્ટી લોકોના દિલ સુધી પહોંચી ગઈ છે."



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .