કોંગ્રેસ પ્રભારી પદેથી રઘુ શર્માનું રાજીનામું, નવા પ્રભારી કોણ બનશે તેની ચર્ચાઓ ચાલુ


  • Published By :
  • Published Date : 2022-12-28 15:12:57

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ હવે ખડગેએ જાહેરાત કરી છે કે ગુજરાતને ટૂંક સમયમાં નવા પ્રભારી મળશે. ખડગેએ વધુમાં જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ નવા પ્રભારીનું નામ જાહેર કરાશે. રઘુ શર્માએ 8 ડિસેમ્બરે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો કે,

Gujarat Election:हार की जिम्मेदारी कबूल करते हुए कांग्रेस प्रभारी रघु शर्मा  ने दिया इस्तीफा, मतगणना जारी - Congress State In-charge Raghu Sharma Resigns  Accepting Responsibility ...ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાર થઈ છે. હારની સંપૂર્ણ નૈતિક જવાબદારી હું લઉં છું અને ગુજરાત પ્રભારી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. વધુમાં રઘુ શર્માએ પત્રમાં લખ્યું હતું કે, ખડગેજી આપને પ્રાર્થના છે કે ગુજરાત પ્રભારી પદેથી મારુ રાજીનામું સ્વીકારશો. 


હાલ એવા સમાચારો મળી રહ્યા છે કે નવા પ્રભારી રામ કિશન ઓઝા બની શકે છે. રામ કિશન ઓઝા હાલ સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી છે. 


રઘુ શર્માના રાજીનામામાં હતું રાજકારણ?

ફરી પાછા રઘુ શર્માના રાજીનામા પર આવી જઈએ. પહેલા રઘુ શર્માના રાજીનામાનો સ્વીકાર નહોતો કરવામાં આવ્યો. આ રાજીનામાને સામાન્ય ઘટના કહેવામાં આવી રહી હતી જો કે અમુક લોકો એવું પણ કહી રહ્યા હતા કે આ રાજીનામામાં રાજકારણ છુપાયેલું છે.  રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે આ રાજીનામાના કારણે પૂર્વ કેબિનેટ મંત્રી હરીશ ચૌધરીની મુશ્કીલો વધશે. આ એજ હરીશ ચૌધરી છે જેના કારણે રઘુ શર્માને મંત્રી પદ છોડવું પડ્યું હતું. જો રઘુ શર્મા રાજીનામુ આપે તો પંજાબના પ્રભારી હરીશ ચૌધરીને પણ રાજીનામું આપવું પડે. કારણ કે કોંગ્રેસની પંજાબમાં કારમી હાર બાદ હરીશ ચૌધરીએ રાજીનામું નથી આપ્યું. 


કોંગ્રેસની ડૂબતી નૈયા કોણ પાર કરશે? 

જો કે રઘુ શર્મા અને હરીશ ચૌધરીની આંતરીક કલેહનું શું થશે તે ખબર નથી પણ ગુજરાતમાં કોંગ્રેસની ડૂબતી નૈયા કોણ બચાવશે તે જોવાનું રહેશે. મલ્લિકાર્જુન ખડગેના કહ્યા મુજબ ટૂંક સમયમાં નવા પ્રભારીની જાહેરાત થઈ જવાની છે. કારણ કે ટૂંક સમયમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થવાની છે. અને આ જ યાત્રા મારફતે હવે કોંગ્રેસ હવે ગુજરાતની જનતા સાથે સંપર્ક કરશે. કારણ કે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. 






હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.