કોંગ્રેસ પ્રભારી પદેથી રઘુ શર્માનું રાજીનામું, નવા પ્રભારી કોણ બનશે તેની ચર્ચાઓ ચાલુ


  • Published By :
  • Published Date : 2022-12-28 15:12:57

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ હવે ખડગેએ જાહેરાત કરી છે કે ગુજરાતને ટૂંક સમયમાં નવા પ્રભારી મળશે. ખડગેએ વધુમાં જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ નવા પ્રભારીનું નામ જાહેર કરાશે. રઘુ શર્માએ 8 ડિસેમ્બરે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો કે,

Gujarat Election:हार की जिम्मेदारी कबूल करते हुए कांग्रेस प्रभारी रघु शर्मा  ने दिया इस्तीफा, मतगणना जारी - Congress State In-charge Raghu Sharma Resigns  Accepting Responsibility ...ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાર થઈ છે. હારની સંપૂર્ણ નૈતિક જવાબદારી હું લઉં છું અને ગુજરાત પ્રભારી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. વધુમાં રઘુ શર્માએ પત્રમાં લખ્યું હતું કે, ખડગેજી આપને પ્રાર્થના છે કે ગુજરાત પ્રભારી પદેથી મારુ રાજીનામું સ્વીકારશો. 


હાલ એવા સમાચારો મળી રહ્યા છે કે નવા પ્રભારી રામ કિશન ઓઝા બની શકે છે. રામ કિશન ઓઝા હાલ સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી છે. 


રઘુ શર્માના રાજીનામામાં હતું રાજકારણ?

ફરી પાછા રઘુ શર્માના રાજીનામા પર આવી જઈએ. પહેલા રઘુ શર્માના રાજીનામાનો સ્વીકાર નહોતો કરવામાં આવ્યો. આ રાજીનામાને સામાન્ય ઘટના કહેવામાં આવી રહી હતી જો કે અમુક લોકો એવું પણ કહી રહ્યા હતા કે આ રાજીનામામાં રાજકારણ છુપાયેલું છે.  રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે આ રાજીનામાના કારણે પૂર્વ કેબિનેટ મંત્રી હરીશ ચૌધરીની મુશ્કીલો વધશે. આ એજ હરીશ ચૌધરી છે જેના કારણે રઘુ શર્માને મંત્રી પદ છોડવું પડ્યું હતું. જો રઘુ શર્મા રાજીનામુ આપે તો પંજાબના પ્રભારી હરીશ ચૌધરીને પણ રાજીનામું આપવું પડે. કારણ કે કોંગ્રેસની પંજાબમાં કારમી હાર બાદ હરીશ ચૌધરીએ રાજીનામું નથી આપ્યું. 


કોંગ્રેસની ડૂબતી નૈયા કોણ પાર કરશે? 

જો કે રઘુ શર્મા અને હરીશ ચૌધરીની આંતરીક કલેહનું શું થશે તે ખબર નથી પણ ગુજરાતમાં કોંગ્રેસની ડૂબતી નૈયા કોણ બચાવશે તે જોવાનું રહેશે. મલ્લિકાર્જુન ખડગેના કહ્યા મુજબ ટૂંક સમયમાં નવા પ્રભારીની જાહેરાત થઈ જવાની છે. કારણ કે ટૂંક સમયમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થવાની છે. અને આ જ યાત્રા મારફતે હવે કોંગ્રેસ હવે ગુજરાતની જનતા સાથે સંપર્ક કરશે. કારણ કે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. 






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.