અદાણી મુદ્દે SEBIના કામકાજ પર રઘુરામ રાજને કર્યા સવાલ, મોરેશિયસ સ્થિત શંકાસ્પદ ફર્મ સામે તપાસ કેમ નહીં?


  • Published By :
  • Published Date : 2023-03-06 15:44:21

હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ સવાલોના ઘેરામાં આવી ગયું છે. આ મામલે હવે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ ઝંપલાવ્યું છે, તેમણે સીધા જ SEBIને નિશાન બનાવીને તેના  કામકાજ પર સવાલો ઉઠાવ્યા છે. 


સેબીએ તપાસ કેમ શરૂ ન કરી?


RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને માર્કેટ નિયામક સેબીને સવાલ કર્યો કે હજુ સુધી મોરેશિયસ સ્થિત અદાણીની માલિકીના શંકાસ્પદ ફર્મો અંગે કોઈ તપાસ નહીં કરવા પર સેબી સામે સવાલો ઉભા કર્યા છે. રાજને કહ્યું કે મોરેશિયસ સ્થિત આ 4 ફંડ અંગે કહેવામાં આવે છે કે તેમણે પોતાના ફંડની 6.9 અબજ ડોલરની લગભગ 90 ટકા રકમ અદાણી ગ્રુપના શેરોમાં જ રોકાણ કરી છે. આ મુદ્દે રાજને સવાલ કર્યો કે શું આ માટે પણ તપાસ એજન્સીઓની મદદની જરૂર છે?


આ 4 ફંડ બે વર્ષથી શંકાસ્પદ


મોરેશિયસ સ્થિત એલારા ઈન્ડિયા ઓપર્ચ્યનિટી ફંડ, ક્રેસ્ટા ફંડ, એલ્બુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને એપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડ પર ફેક કંપની હોવાના આરોપ લાગ્યા બાદ છેલ્લા બે વર્ષથી શંકાના ઘેરામાં છે. હિંડનબર્ગે પણ આરોપ લગાવ્યો હતો કે આ ચાર ફંડની મદદથી ખોટી રીતે અદાણીની કંપનીઓના શેરોની કિંમત વધારામાં આવી છે. 


ચાર ફંડોના માલિકો કોણ છે?


રાજને સેબીની ઝાટકણી કાઢતા કહ્યું કે મુદ્દો સરકાર અને બિઝનેશ જગત વચ્ચે ગેર-પારદર્શક સંબંધોને રોકવાનું છે, અને વાસ્તવમાં રેગ્યુલેટર્સને તેમનું કામ કરવા દેવાનો છે. સેબી હજુ સુધી અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ટ્રેડિંગ કરતા મોરેશિયસ સ્થિત તે ફંડોના માલિકો સુધી કેમ પહોંચી શકી નથી? શું તેના માટે પણ તપાસ એજન્સીઓની જરૂર પડશે?



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .