બ્રેકિંગ: રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી અમેઠીથી લડશે, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2023-08-18 19:40:08

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી અમેઠીથી લડશે. આ જાહેરાત ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કરી છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી 2024ની ચૂંટણી લડશે તેવી અટકળો પર અજય રાયે કહ્યું કે પ્રિયંકા ગાંધી જ્યાંથી ઇચ્છે ત્યાંથી ચૂંટણી લડશે, જો તે વારાણસીથી PM મોદી સામે ચૂંટણી લડવા માંગે છે તો દરેક કાર્યકર્તા તેમની જીત સુનિશ્ચિત કરશે.  

 

સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું


કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર અજય રાયે કહ્યું, "તેમને પૂછો કે શું તે તેના વચન મુજબ 13 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાંડ આપી શકે છે. તેણે જનતાને જવાબ આપવો જોઈએ કે તે ખાંડ ક્યાં ગઈ." ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ બંને બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. અમેઠી લોકસભાની સીટના ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ એક સમયે કોંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાં રાહુલ ગાંધીને લગભગ 55,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જો કે રાહુલ ગાંધી વાયનાડથી લોકસભામાં ચૂંટાયા હતા. અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિ ઈરાની એક પ્રભાવદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે