બ્રેકિંગ: રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી અમેઠીથી લડશે, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2023-08-18 19:40:08

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી અમેઠીથી લડશે. આ જાહેરાત ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કરી છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી 2024ની ચૂંટણી લડશે તેવી અટકળો પર અજય રાયે કહ્યું કે પ્રિયંકા ગાંધી જ્યાંથી ઇચ્છે ત્યાંથી ચૂંટણી લડશે, જો તે વારાણસીથી PM મોદી સામે ચૂંટણી લડવા માંગે છે તો દરેક કાર્યકર્તા તેમની જીત સુનિશ્ચિત કરશે.  

 

સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું


કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર અજય રાયે કહ્યું, "તેમને પૂછો કે શું તે તેના વચન મુજબ 13 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાંડ આપી શકે છે. તેણે જનતાને જવાબ આપવો જોઈએ કે તે ખાંડ ક્યાં ગઈ." ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ બંને બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. અમેઠી લોકસભાની સીટના ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ એક સમયે કોંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાં રાહુલ ગાંધીને લગભગ 55,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જો કે રાહુલ ગાંધી વાયનાડથી લોકસભામાં ચૂંટાયા હતા. અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિ ઈરાની એક પ્રભાવદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.