Election પહેલા Rahul Gandhi અને Akhilesh Yadavની પત્રકાર પરિષદ, સીટોને લઈ Rahul Gandhiએ કરી ભવિષ્યવાણી? સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-17 12:29:43

લોકસભા ચૂંટણી માટે મતદાન થોડા દિવસોની અંદર શરૂ થઈ જશે. પ્રથમ તબક્કામાં 100થી વધારે સીટો પર મતદાન થવાનું છે. એક તરફ એનડીએ છે તો બીજી તરફ વિપક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવામાં આવશે અને એ જ પ્રમાણે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન શરૂ થાય તે પહેલા આજે રાહુલ ગાંધીએ અને અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી જેમાં અનેક મુદ્દાઓને લઈ વાતો કરી હતી અને અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી અને પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે કરી સંયુક્ત પત્રકાર પરિષદ 

દેશભરમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા જોરોશોરોથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા ગઠબંધન દ્વારા પણ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન થાય તે પહેલા રાહુલ ગાંધીએ અને અખિલેશ યાદવે સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તે સિવાય બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા. 


રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન  

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું સીટોની ભવિષ્યવાણી નથી કરતો. પહેલા હું વિચારતો હતો બીજેપીની લગભગ 180 સીટો આવશે. પરંતુ હવે મને લાગે છે કે તેમને 150 સીટો મળશે. તે સિવાય થોડા સમય પહેલા પીએમ મોદીએ એએનઆઈને ઈન્ટરવ્યું આપ્યો હતો તેનો ઉલ્લેખ પણ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવ્યો. તે ઈન્ટરવ્યુને રાહુલ ગાંધીએ એકદમ ફ્લોપ ગણાવ્યો હતો ઉપરાંત સ્ક્રીપ્ટેડ ગણાવ્યો હતો. તે સિવાય અખિલેશ યાદવે પણ મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .