Election પહેલા Rahul Gandhi અને Akhilesh Yadavની પત્રકાર પરિષદ, સીટોને લઈ Rahul Gandhiએ કરી ભવિષ્યવાણી? સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-17 12:29:43

લોકસભા ચૂંટણી માટે મતદાન થોડા દિવસોની અંદર શરૂ થઈ જશે. પ્રથમ તબક્કામાં 100થી વધારે સીટો પર મતદાન થવાનું છે. એક તરફ એનડીએ છે તો બીજી તરફ વિપક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવામાં આવશે અને એ જ પ્રમાણે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન શરૂ થાય તે પહેલા આજે રાહુલ ગાંધીએ અને અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી જેમાં અનેક મુદ્દાઓને લઈ વાતો કરી હતી અને અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી અને પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે કરી સંયુક્ત પત્રકાર પરિષદ 

દેશભરમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા જોરોશોરોથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા ગઠબંધન દ્વારા પણ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન થાય તે પહેલા રાહુલ ગાંધીએ અને અખિલેશ યાદવે સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તે સિવાય બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા. 


રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન  

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું સીટોની ભવિષ્યવાણી નથી કરતો. પહેલા હું વિચારતો હતો બીજેપીની લગભગ 180 સીટો આવશે. પરંતુ હવે મને લાગે છે કે તેમને 150 સીટો મળશે. તે સિવાય થોડા સમય પહેલા પીએમ મોદીએ એએનઆઈને ઈન્ટરવ્યું આપ્યો હતો તેનો ઉલ્લેખ પણ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવ્યો. તે ઈન્ટરવ્યુને રાહુલ ગાંધીએ એકદમ ફ્લોપ ગણાવ્યો હતો ઉપરાંત સ્ક્રીપ્ટેડ ગણાવ્યો હતો. તે સિવાય અખિલેશ યાદવે પણ મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. 



ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.