Election પહેલા Rahul Gandhi અને Akhilesh Yadavની પત્રકાર પરિષદ, સીટોને લઈ Rahul Gandhiએ કરી ભવિષ્યવાણી? સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-17 12:29:43

લોકસભા ચૂંટણી માટે મતદાન થોડા દિવસોની અંદર શરૂ થઈ જશે. પ્રથમ તબક્કામાં 100થી વધારે સીટો પર મતદાન થવાનું છે. એક તરફ એનડીએ છે તો બીજી તરફ વિપક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવામાં આવશે અને એ જ પ્રમાણે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન શરૂ થાય તે પહેલા આજે રાહુલ ગાંધીએ અને અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી જેમાં અનેક મુદ્દાઓને લઈ વાતો કરી હતી અને અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી અને પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે કરી સંયુક્ત પત્રકાર પરિષદ 

દેશભરમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા જોરોશોરોથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા ગઠબંધન દ્વારા પણ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન થાય તે પહેલા રાહુલ ગાંધીએ અને અખિલેશ યાદવે સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તે સિવાય બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા. 


રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન  

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું સીટોની ભવિષ્યવાણી નથી કરતો. પહેલા હું વિચારતો હતો બીજેપીની લગભગ 180 સીટો આવશે. પરંતુ હવે મને લાગે છે કે તેમને 150 સીટો મળશે. તે સિવાય થોડા સમય પહેલા પીએમ મોદીએ એએનઆઈને ઈન્ટરવ્યું આપ્યો હતો તેનો ઉલ્લેખ પણ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવ્યો. તે ઈન્ટરવ્યુને રાહુલ ગાંધીએ એકદમ ફ્લોપ ગણાવ્યો હતો ઉપરાંત સ્ક્રીપ્ટેડ ગણાવ્યો હતો. તે સિવાય અખિલેશ યાદવે પણ મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.