Electoral Bondને લઈ Rahul Gandhiએ કર્યા મોદી સરકાર પર પ્રહાર, કહ્યું कभी न कभी BJP की सरकार बदलेगी, इसके बाद ऐसी कार्रवाई होगी कि...


  • Published By :
  • Published Date : 2024-03-16 11:19:29

ચૂંટણી બોન્ડને લઈ ગઈકાલથી ચર્ચાઓ થઈ રહી છે.  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચૂંટણી બોન્ડ અંગેના આંકડા આપવામાં આવ્યા અને તે બાદ ચૂંટણી પંચ દ્વારા તે આંકડાને વેબસાઈટ પર મૂકવામાં આવ્યા. આંકડા તો વેબસાઈટ પર મૂકવામાં આવ્યા પરંતુ ફરી એક વખત સુપ્રીમ કોર્ટે એસબીઆઈની ઝાટકણી કાઢી હતી કારણ કે ચૂંટણી પંચને આપવામાં આવેલા ડેટામાં બોન્ડ નંબર ના હતા. જેને કારણે એ જાણી શકાતું નથી કે કોણે કોને ફંડ આપ્યું.. ઈલેક્ટોરલ બોન્ડને લઈ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. ભાજપ સરકાર પર તેમજ ઈડી, સીબીઆઈ પર પ્રહાર કર્યા હતા.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને લઈ એસબીઆઈની કાઢી ઝાટકણી 

લોકસભા ચૂંટણીને લઈ એક તરફ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડને રદ્દ કરવામાં આવ્યા છે. ચૂંટણી બોન્ડનો ડેટા ગઈકાલથી ચર્ચામાં છે. કઈ કંપનીએ કેટલા કરોડના બોન્ડ ખરીદ્યા, કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું તે અંગેની ચર્ચાઓ થઈ રહી છે. ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. એસબીઆઈની અનેક વખત સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને લઈ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડના નામ પર હફ્તા વસૂલી સરકારે દુનિયાનું સૌથી મોટું ભ્રષ્ટાચાર કર્યું છે. ઈડી, આઈટી, સીબીઆઈ જેવી તપાસ એજન્સી નરેન્દ્ર મોદીની વસૂલી એજન્ટ બની કામ કરી રહી છે.    



રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર અને આપી આ ગેરંટી!

પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ ભાજપ પર તેમજ સીબીઆઈ, ઈડી જેવી એજન્સી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ સરકાર બદલ્યા બાદ ચૂંટણી બોન્ડ કેસમાં કાર્યવાહીની ખાતરી આપવાનું વચન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે 'ઈલેક્ટોરલ બોન્ડ સ્કેમ' સાથે જોડાયેલા લોકોએ વિચારવું જોઈએ કે કોઈ દિવસ ભાજપની સરકાર બદલાશે અને પછી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે જેમણે સરકારી તંત્રને સંગઠિત ભ્રષ્ટાચારમાં સંપૂર્ણપણે ડુબાડી દીધું છે.




રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .