Electoral Bondને લઈ Rahul Gandhiએ કર્યા મોદી સરકાર પર પ્રહાર, કહ્યું कभी न कभी BJP की सरकार बदलेगी, इसके बाद ऐसी कार्रवाई होगी कि...


  • Published By :
  • Published Date : 2024-03-16 11:19:29

ચૂંટણી બોન્ડને લઈ ગઈકાલથી ચર્ચાઓ થઈ રહી છે.  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચૂંટણી બોન્ડ અંગેના આંકડા આપવામાં આવ્યા અને તે બાદ ચૂંટણી પંચ દ્વારા તે આંકડાને વેબસાઈટ પર મૂકવામાં આવ્યા. આંકડા તો વેબસાઈટ પર મૂકવામાં આવ્યા પરંતુ ફરી એક વખત સુપ્રીમ કોર્ટે એસબીઆઈની ઝાટકણી કાઢી હતી કારણ કે ચૂંટણી પંચને આપવામાં આવેલા ડેટામાં બોન્ડ નંબર ના હતા. જેને કારણે એ જાણી શકાતું નથી કે કોણે કોને ફંડ આપ્યું.. ઈલેક્ટોરલ બોન્ડને લઈ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. ભાજપ સરકાર પર તેમજ ઈડી, સીબીઆઈ પર પ્રહાર કર્યા હતા.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને લઈ એસબીઆઈની કાઢી ઝાટકણી 

લોકસભા ચૂંટણીને લઈ એક તરફ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડને રદ્દ કરવામાં આવ્યા છે. ચૂંટણી બોન્ડનો ડેટા ગઈકાલથી ચર્ચામાં છે. કઈ કંપનીએ કેટલા કરોડના બોન્ડ ખરીદ્યા, કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું તે અંગેની ચર્ચાઓ થઈ રહી છે. ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. એસબીઆઈની અનેક વખત સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને લઈ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડના નામ પર હફ્તા વસૂલી સરકારે દુનિયાનું સૌથી મોટું ભ્રષ્ટાચાર કર્યું છે. ઈડી, આઈટી, સીબીઆઈ જેવી તપાસ એજન્સી નરેન્દ્ર મોદીની વસૂલી એજન્ટ બની કામ કરી રહી છે.    



રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર અને આપી આ ગેરંટી!

પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ ભાજપ પર તેમજ સીબીઆઈ, ઈડી જેવી એજન્સી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ સરકાર બદલ્યા બાદ ચૂંટણી બોન્ડ કેસમાં કાર્યવાહીની ખાતરી આપવાનું વચન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે 'ઈલેક્ટોરલ બોન્ડ સ્કેમ' સાથે જોડાયેલા લોકોએ વિચારવું જોઈએ કે કોઈ દિવસ ભાજપની સરકાર બદલાશે અને પછી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે જેમણે સરકારી તંત્રને સંગઠિત ભ્રષ્ટાચારમાં સંપૂર્ણપણે ડુબાડી દીધું છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.