મને જેલમાં નાખી શકો છો, મારું ઘર છીનવી શકો છો, પરંતુ મને રોકી નહીં શકો: રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2023-04-11 20:58:00

કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી આજે વાયનાડ પહોંચ્યા છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ તેમની આ પહેલી વાયનાડ મુલાકાત છે. રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ વાયનાડ પહોંચતા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાયનાડમાં યોજાયેલી વિશાળ રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાંધીને આકરા પ્રહાર કર્યો હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 


રાહુલે સરકાર પર કર્યા પ્રહાર


રાહુલ ગાંધીએ જનમેદનીને સંબોધતા કહ્યું કે "ભાજપ મારી પાસેથી લોકસભાનું સભ્ય પદ અને મારુ પદ છિનવી લેશે પણ તે મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરતા રોકી શકશે નહીં". રાહુલે વધુમાં કહ્યું કે, 'સાંસદ માત્ર એક ટેગ અથવા પોસ્ટ છે અને ભાજપ મારો ટેગ, પોસ્ટ અને ઘર છીનવી શકે છે અથવા મને જેલમાં મોકલી શકે છે, પરંતુ મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરતા રોકી શકે નહીં.' તેણે કહ્યું, 'તેમને લાગે છે કે મારા ઘરે પોલીસ મોકલીને હું ડરી જઈશ. જો મારા ઘરે નોટિસ મોકલવામાં આવશે તો હું પરેશાન થઈશ.


અદાણી મુદ્દે PM મોદી ચૂપ રહ્યા


અદાણી મુદ્દે રાહુલે કહ્યું, 'મેં શું કર્યું? મેં સંસદમાં ગૌતમ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં મીડિયા રિપોર્ટ્સનો ઉપયોગ કરીને બતાવ્યું કે કેવી રીતે અદાણી વિશ્વનો બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બન્યા....મેં બતાવ્યું કે ઈઝરાયેલ સાથે સંરક્ષણ સંબંધ કેવી રીતે બદલાયો, વિદેશ નીતિ કેવી રીતે બદલાઈ? મેં પૂછ્યું અદાણી સાથે તારો શું સંબંધ છે? વડાપ્રધાને જવાબ આપ્યો ન હતો. સરકાર મારા પ્રશ્નોથી અસ્વસ્થ થઈ ગઈ અને મને સંસદમાંથી બહાર કાઢી મૂક્યો. તેનાથી મને કોઈ ફરક પડતો નથી. તેણે મને બહુ મોટી ભેટ આપી છે.



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.