મને જેલમાં નાખી શકો છો, મારું ઘર છીનવી શકો છો, પરંતુ મને રોકી નહીં શકો: રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2023-04-11 20:58:00

કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી આજે વાયનાડ પહોંચ્યા છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ તેમની આ પહેલી વાયનાડ મુલાકાત છે. રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ વાયનાડ પહોંચતા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાયનાડમાં યોજાયેલી વિશાળ રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાંધીને આકરા પ્રહાર કર્યો હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 


રાહુલે સરકાર પર કર્યા પ્રહાર


રાહુલ ગાંધીએ જનમેદનીને સંબોધતા કહ્યું કે "ભાજપ મારી પાસેથી લોકસભાનું સભ્ય પદ અને મારુ પદ છિનવી લેશે પણ તે મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરતા રોકી શકશે નહીં". રાહુલે વધુમાં કહ્યું કે, 'સાંસદ માત્ર એક ટેગ અથવા પોસ્ટ છે અને ભાજપ મારો ટેગ, પોસ્ટ અને ઘર છીનવી શકે છે અથવા મને જેલમાં મોકલી શકે છે, પરંતુ મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરતા રોકી શકે નહીં.' તેણે કહ્યું, 'તેમને લાગે છે કે મારા ઘરે પોલીસ મોકલીને હું ડરી જઈશ. જો મારા ઘરે નોટિસ મોકલવામાં આવશે તો હું પરેશાન થઈશ.


અદાણી મુદ્દે PM મોદી ચૂપ રહ્યા


અદાણી મુદ્દે રાહુલે કહ્યું, 'મેં શું કર્યું? મેં સંસદમાં ગૌતમ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં મીડિયા રિપોર્ટ્સનો ઉપયોગ કરીને બતાવ્યું કે કેવી રીતે અદાણી વિશ્વનો બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બન્યા....મેં બતાવ્યું કે ઈઝરાયેલ સાથે સંરક્ષણ સંબંધ કેવી રીતે બદલાયો, વિદેશ નીતિ કેવી રીતે બદલાઈ? મેં પૂછ્યું અદાણી સાથે તારો શું સંબંધ છે? વડાપ્રધાને જવાબ આપ્યો ન હતો. સરકાર મારા પ્રશ્નોથી અસ્વસ્થ થઈ ગઈ અને મને સંસદમાંથી બહાર કાઢી મૂક્યો. તેનાથી મને કોઈ ફરક પડતો નથી. તેણે મને બહુ મોટી ભેટ આપી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.