મને જેલમાં નાખી શકો છો, મારું ઘર છીનવી શકો છો, પરંતુ મને રોકી નહીં શકો: રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2023-04-11 20:58:00

કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી આજે વાયનાડ પહોંચ્યા છે. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ તેમની આ પહેલી વાયનાડ મુલાકાત છે. રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ વાયનાડ પહોંચતા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાયનાડમાં યોજાયેલી વિશાળ રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાંધીને આકરા પ્રહાર કર્યો હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 


રાહુલે સરકાર પર કર્યા પ્રહાર


રાહુલ ગાંધીએ જનમેદનીને સંબોધતા કહ્યું કે "ભાજપ મારી પાસેથી લોકસભાનું સભ્ય પદ અને મારુ પદ છિનવી લેશે પણ તે મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરતા રોકી શકશે નહીં". રાહુલે વધુમાં કહ્યું કે, 'સાંસદ માત્ર એક ટેગ અથવા પોસ્ટ છે અને ભાજપ મારો ટેગ, પોસ્ટ અને ઘર છીનવી શકે છે અથવા મને જેલમાં મોકલી શકે છે, પરંતુ મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરતા રોકી શકે નહીં.' તેણે કહ્યું, 'તેમને લાગે છે કે મારા ઘરે પોલીસ મોકલીને હું ડરી જઈશ. જો મારા ઘરે નોટિસ મોકલવામાં આવશે તો હું પરેશાન થઈશ.


અદાણી મુદ્દે PM મોદી ચૂપ રહ્યા


અદાણી મુદ્દે રાહુલે કહ્યું, 'મેં શું કર્યું? મેં સંસદમાં ગૌતમ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં મીડિયા રિપોર્ટ્સનો ઉપયોગ કરીને બતાવ્યું કે કેવી રીતે અદાણી વિશ્વનો બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બન્યા....મેં બતાવ્યું કે ઈઝરાયેલ સાથે સંરક્ષણ સંબંધ કેવી રીતે બદલાયો, વિદેશ નીતિ કેવી રીતે બદલાઈ? મેં પૂછ્યું અદાણી સાથે તારો શું સંબંધ છે? વડાપ્રધાને જવાબ આપ્યો ન હતો. સરકાર મારા પ્રશ્નોથી અસ્વસ્થ થઈ ગઈ અને મને સંસદમાંથી બહાર કાઢી મૂક્યો. તેનાથી મને કોઈ ફરક પડતો નથી. તેણે મને બહુ મોટી ભેટ આપી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.