Gujarat આવ્યા Rahul Gandhi, કોંગ્રેસના કાર્યકર્તાઓને સમય પહેલા કોર્ટમાં રજૂ કર્યા| જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-07-06 15:04:55

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે છેલ્લે 2009માં આવ્યા હતા..... પણ હવે કાર્યક્રમ થોડો બદલાય શકે છે  કેમ કે ચર્ચા એવી છે કે કોંગ્રેસના કાર્યકરોને નહીં મળી શકે.... 


કોંગ્રેસના કાર્યાલય બહાર ગોઠવી દેવાયો પોલીસ કાફલો

લોકસભા ચૂંટણીમાં વિપક્ષના નેતા તરીકેની પસંદગી કરાયા બાદ આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. તાજેતરમાં જ ભાજપના કાર્યકર્તાઓ સાથે હિંસક ઝડપમાં પકડાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ રાજકોટ અગ્નિકાંડ, મોરબીકાંડના પીડિતોને મળશે. રાહુલ ગાંધીની મુલાકાત પહેલા 10 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમતુ થયું છે. અમદાવાદ કોંગ્રેસના કાર્યાલય બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો RAFની ટીમ પણ ગોઠવાઈ છે. તો બીજી તરફ કોંગ્રેસના જ કાર્યર્તાઓને અંદર ન જવા દેતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ... 

લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અગાઉ ધરપકડ કરાયેલ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા છે. પોલીસે આરોપીઓના ૬ જુલાઇ બપોરે ૩ વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પરંતુ રિમાન્ડ પુરા થાય એ પહેલાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓને કોર્ટમાં રજુ કરાયા છે. ત્યારે સમય કરતા પહેલા આરોપીઓને રજૂ કરાતા કોર્ટે પોલીસ પાસેથી આ અંગેનો ખુલાસો માંગ્યો. સમય કરતાં પૂર્વે વહેલા રજૂ કરવા મુદ્દે કોર્ટ દ્વારા ખુલાસો માંગવામા આવ્યો.


વાસણા પોલીસ કસ્ટડીમાં હતા કાર્યકર્તાઓ.. 

તો ફરજ પરના અધિકારીએ કહ્યું કે, રથયાત્રાનો સમય છે..રથયાત્રાના બંદોબસ્ત અને કાયદો અને વ્યવસ્થાને લઈને વહેલા રજૂ કરાયા... અમારી તપાસ પણ પૂર્ણ થઈ ગઈ હતી... એટલે હવે કાર્યકર્તાઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.. વાસણા પોલીસ સ્ટેશનમાં કસ્ટડી હતી..હવે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં થોડો ફેરફાર થઈ શકે છે...  બીજી બાજુ 


VHP દ્વારા કરવામાં આવ્યો વિરોધ 

રાહુલ ગાંધીની અમદાવાદની મુલાકાત પર VHPએ વિરોધ પ્રદર્શન કર્યું છે.. VHPના નેતાઓ કોંગ્રેસના કાર્યાલય ખાતે વિરોધ કર્યો.. આ માટે ‘હિન્દુ હિંસક નહિ પરાક્રમી હૈ’ નાં પોસ્ટર તૈયાર કરાયા છે. સાથે જ ‘ઇટાલિયન પીઝા નહિ ચાહીએ..’ નાં પોસ્ટર તૈયાર કરાયા છે. VHPનાં વિરોધને લઈને કોંગ્રેસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું છે...  વિહીપી દ્વારા રાહુલ ગાંધીને રાવણ ગાંધી દર્શાવતા ચિત્રો તૈયાર કરાયા છે. સ્થાનિક પોલીસ સાથે BSFનાં જવાનો તૈનાત કરાયા છે.... વિરોધ કરતા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે.... 


ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ભૂંકાશે!

પણ એક વાત નોંધવા જેવી છે કે, રાહુલ ગાંધીની આ મુલાકાતથી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે. 10 વર્ષથી ગુજરાતના રાજકીય ચિત્રમાંથી લગભગ ગાયબ થઈ ગયેલા કોંગ્રેસને હવે નવી આશા જાગી છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ સંસદમાં ગુજરાતમાં આગામી સમયમાં ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું, લેખિતમાં લઈ લો. રાહુલ ગાંધીની આ મુલાકાત ભાજપ માટે મોટો પડકાર બની રહેશે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.