Gujarat આવ્યા Rahul Gandhi, કોંગ્રેસના કાર્યકર્તાઓને સમય પહેલા કોર્ટમાં રજૂ કર્યા| જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-07-06 15:04:55

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે છેલ્લે 2009માં આવ્યા હતા..... પણ હવે કાર્યક્રમ થોડો બદલાય શકે છે  કેમ કે ચર્ચા એવી છે કે કોંગ્રેસના કાર્યકરોને નહીં મળી શકે.... 


કોંગ્રેસના કાર્યાલય બહાર ગોઠવી દેવાયો પોલીસ કાફલો

લોકસભા ચૂંટણીમાં વિપક્ષના નેતા તરીકેની પસંદગી કરાયા બાદ આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. તાજેતરમાં જ ભાજપના કાર્યકર્તાઓ સાથે હિંસક ઝડપમાં પકડાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ રાજકોટ અગ્નિકાંડ, મોરબીકાંડના પીડિતોને મળશે. રાહુલ ગાંધીની મુલાકાત પહેલા 10 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમતુ થયું છે. અમદાવાદ કોંગ્રેસના કાર્યાલય બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો RAFની ટીમ પણ ગોઠવાઈ છે. તો બીજી તરફ કોંગ્રેસના જ કાર્યર્તાઓને અંદર ન જવા દેતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ... 

લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અગાઉ ધરપકડ કરાયેલ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા છે. પોલીસે આરોપીઓના ૬ જુલાઇ બપોરે ૩ વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પરંતુ રિમાન્ડ પુરા થાય એ પહેલાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓને કોર્ટમાં રજુ કરાયા છે. ત્યારે સમય કરતા પહેલા આરોપીઓને રજૂ કરાતા કોર્ટે પોલીસ પાસેથી આ અંગેનો ખુલાસો માંગ્યો. સમય કરતાં પૂર્વે વહેલા રજૂ કરવા મુદ્દે કોર્ટ દ્વારા ખુલાસો માંગવામા આવ્યો.


વાસણા પોલીસ કસ્ટડીમાં હતા કાર્યકર્તાઓ.. 

તો ફરજ પરના અધિકારીએ કહ્યું કે, રથયાત્રાનો સમય છે..રથયાત્રાના બંદોબસ્ત અને કાયદો અને વ્યવસ્થાને લઈને વહેલા રજૂ કરાયા... અમારી તપાસ પણ પૂર્ણ થઈ ગઈ હતી... એટલે હવે કાર્યકર્તાઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.. વાસણા પોલીસ સ્ટેશનમાં કસ્ટડી હતી..હવે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં થોડો ફેરફાર થઈ શકે છે...  બીજી બાજુ 


VHP દ્વારા કરવામાં આવ્યો વિરોધ 

રાહુલ ગાંધીની અમદાવાદની મુલાકાત પર VHPએ વિરોધ પ્રદર્શન કર્યું છે.. VHPના નેતાઓ કોંગ્રેસના કાર્યાલય ખાતે વિરોધ કર્યો.. આ માટે ‘હિન્દુ હિંસક નહિ પરાક્રમી હૈ’ નાં પોસ્ટર તૈયાર કરાયા છે. સાથે જ ‘ઇટાલિયન પીઝા નહિ ચાહીએ..’ નાં પોસ્ટર તૈયાર કરાયા છે. VHPનાં વિરોધને લઈને કોંગ્રેસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું છે...  વિહીપી દ્વારા રાહુલ ગાંધીને રાવણ ગાંધી દર્શાવતા ચિત્રો તૈયાર કરાયા છે. સ્થાનિક પોલીસ સાથે BSFનાં જવાનો તૈનાત કરાયા છે.... વિરોધ કરતા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે.... 


ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ભૂંકાશે!

પણ એક વાત નોંધવા જેવી છે કે, રાહુલ ગાંધીની આ મુલાકાતથી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે. 10 વર્ષથી ગુજરાતના રાજકીય ચિત્રમાંથી લગભગ ગાયબ થઈ ગયેલા કોંગ્રેસને હવે નવી આશા જાગી છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ સંસદમાં ગુજરાતમાં આગામી સમયમાં ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું, લેખિતમાં લઈ લો. રાહુલ ગાંધીની આ મુલાકાત ભાજપ માટે મોટો પડકાર બની રહેશે. 



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.