નવેમ્બર મહિનામાં ગુજરાત આવી રાહુલ ગાંધી કરી શકે છે કોંગ્રેસનો પ્રચાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-04 10:00:55

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસે પણ પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી પણ ગુજરાત આવી શકે છે. નવેમ્બરના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં તેઓ ગુજરાતનો પ્રવાસ કરી શકે છે. 

MP Minister Compares Rahul Gandhi To Specially Abled Performer; Cong Slams  BJP For Insensitivity

ગુજરાતમાં આવી ગજવી શકે છે અનેક જનસભા 

ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. કોંગ્રેસે પણ ગુજરાતમાં પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ ગામે ગામે જઈ પ્રચાર કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં આવી પ્રચારની કમાન સંભાળી હતી તે ઉપરાંત અનેક દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતમાં આવ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી જનસભાને સંબોધી શકે છે. રાહુલ ગાંધી ચૂંટણી પહેલા ત્રણ દિવસ માટે ગુજરાત આવી શકે છે. તેમના આગમનને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે. 

UP elections: Central government policies benefit its 'industrialist  friends', says Priyanka Gandhi, UP Polls 2022, Priyanka Gandhi UP elections

પ્રિયંકા ગાંધી પણ આવી શકે છે ગુજરાતના પ્રવાસે

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને કારણે તેમણે હજી સુધી ગુજરાતમાં ચૂંટણી લક્ષી કાર્યક્રમો નથી કર્યા. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાહુલ ગુજરાત આવી શકે છે તેવી વાત સામે આવી છે. ગુજરાત આવી અનેક જનસભાને સંબોધી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી શકે છે. ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી શકે છે.         



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.