નવેમ્બર મહિનામાં ગુજરાત આવી રાહુલ ગાંધી કરી શકે છે કોંગ્રેસનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-04 10:00:55

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસે પણ પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી પણ ગુજરાત આવી શકે છે. નવેમ્બરના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં તેઓ ગુજરાતનો પ્રવાસ કરી શકે છે. 

MP Minister Compares Rahul Gandhi To Specially Abled Performer; Cong Slams  BJP For Insensitivity

ગુજરાતમાં આવી ગજવી શકે છે અનેક જનસભા 

ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. કોંગ્રેસે પણ ગુજરાતમાં પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ ગામે ગામે જઈ પ્રચાર કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં આવી પ્રચારની કમાન સંભાળી હતી તે ઉપરાંત અનેક દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતમાં આવ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી જનસભાને સંબોધી શકે છે. રાહુલ ગાંધી ચૂંટણી પહેલા ત્રણ દિવસ માટે ગુજરાત આવી શકે છે. તેમના આગમનને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે. 

UP elections: Central government policies benefit its 'industrialist  friends', says Priyanka Gandhi, UP Polls 2022, Priyanka Gandhi UP elections

પ્રિયંકા ગાંધી પણ આવી શકે છે ગુજરાતના પ્રવાસે

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને કારણે તેમણે હજી સુધી ગુજરાતમાં ચૂંટણી લક્ષી કાર્યક્રમો નથી કર્યા. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાહુલ ગુજરાત આવી શકે છે તેવી વાત સામે આવી છે. ગુજરાત આવી અનેક જનસભાને સંબોધી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી શકે છે. ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી શકે છે.         



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.