નવેમ્બર મહિનામાં ગુજરાત આવી રાહુલ ગાંધી કરી શકે છે કોંગ્રેસનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-04 10:00:55

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસે પણ પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી પણ ગુજરાત આવી શકે છે. નવેમ્બરના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં તેઓ ગુજરાતનો પ્રવાસ કરી શકે છે. 

MP Minister Compares Rahul Gandhi To Specially Abled Performer; Cong Slams  BJP For Insensitivity

ગુજરાતમાં આવી ગજવી શકે છે અનેક જનસભા 

ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. કોંગ્રેસે પણ ગુજરાતમાં પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ ગામે ગામે જઈ પ્રચાર કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં આવી પ્રચારની કમાન સંભાળી હતી તે ઉપરાંત અનેક દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતમાં આવ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી જનસભાને સંબોધી શકે છે. રાહુલ ગાંધી ચૂંટણી પહેલા ત્રણ દિવસ માટે ગુજરાત આવી શકે છે. તેમના આગમનને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે. 

UP elections: Central government policies benefit its 'industrialist  friends', says Priyanka Gandhi, UP Polls 2022, Priyanka Gandhi UP elections

પ્રિયંકા ગાંધી પણ આવી શકે છે ગુજરાતના પ્રવાસે

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને કારણે તેમણે હજી સુધી ગુજરાતમાં ચૂંટણી લક્ષી કાર્યક્રમો નથી કર્યા. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાહુલ ગુજરાત આવી શકે છે તેવી વાત સામે આવી છે. ગુજરાત આવી અનેક જનસભાને સંબોધી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી શકે છે. ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી શકે છે.         



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.