મોદી સરનેમને લઈ અપાયેલા ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-15 17:27:51

મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને કારણે રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. જે બાદ તેમની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ ગઈ હતી. ત્યારે સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદનને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીને સંભળાવવામાં આવેલી સજાને યથાવત રાખી હતી. ત્યારે આજે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો છે. હાઈકોર્ટે આપેલા ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.   

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન 

વર્ષ 2019માં એક જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર'નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 'બધા ચોરોનાં ઉપનામ 'મોદી' કેમ હોય છે ?' આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. 


સુપ્રીમ કોર્ટના દ્વાર રાહુલ ગાંધીએ ખખડાવ્યા 

સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદાને રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઉનાળા વેકેશનને કારણે હાઈકોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો ન હતો. પરંતુ આ મામલે 7 જુલાઈના રોજ ચૂકાદો સંભળાવ્યો હતો અને બે વર્ષની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. તેમની સજા યથાવત રહી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .