રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને આવતીકાલે સેશન્સ કોર્ટમાં પડકારશે, કાલે ફરી સુરત આવશે


  • Published By :
  • Published Date : 2023-04-02 20:08:47

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તાજેતરમાં સુરત કોર્ટે માનહાનિના કેસમાં સજા ફટકારી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણયને પડકારતી અરજી તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે સુરતની સેશન્સ કોર્ટમાં સજાને પડકારશે. રાહુલ ગાંધી પણ આવતીકાલે કોર્ટમાં અપીલ દાખલ કરવા માટે સુરત આવશે. તેમની અરજીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે તેમની અરજીમાં સેશન્સ કોર્ટને માનહાનિના કેસમાં દોષિત ઠેરવતા મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવાની માંગ કરી છે. તેમણે કેસના નિકાલ સુધી દોષિત ઠેરવવા પર વચગાળાનો સ્ટે લગાવવાની માગ પણ અરજીમાં કરી છે.


30 દિવસનો સમય 


રાહુલ ગાંધી માનહાની કેસ માટે સોમવારે ફરીથી સુરતમાં આવશે. તેઓ સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવાના છે. સોમવારે સુરતમાં ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. બીજીબાજુ ચૂંટણી કેરળમાં ચૂંટણી આવવાની છે. ત્યારે ચૂંટણી પંચે પણ કેરળની વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરી નથી કારણ કે, કોર્ટ તરફથી રાહુલને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવેલો છે.


અગ્રણી નેતાઓ પણ સુરત આવશે


રાહુલ ગાંધી  આવતીકાલે સુરત કોર્ટમાં અપીલ કરવા માટે આવી રહ્યા છે, તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે તેમજ અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર રહેશે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે.


પૂર્ણેશ મોદીએ કર્યો હતો માનહાનિનો કેસ


ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે, રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી. રાહુલગાંધીએ PM મોદીને તેમના સરનેમને લઈ નિશાન બનાવ્યા હતા, આ દરમિયાન તેમણે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને લલિત મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે