રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને આવતીકાલે સેશન્સ કોર્ટમાં પડકારશે, કાલે ફરી સુરત આવશે


  • Published By :
  • Published Date : 2023-04-02 20:08:47

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તાજેતરમાં સુરત કોર્ટે માનહાનિના કેસમાં સજા ફટકારી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણયને પડકારતી અરજી તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે સુરતની સેશન્સ કોર્ટમાં સજાને પડકારશે. રાહુલ ગાંધી પણ આવતીકાલે કોર્ટમાં અપીલ દાખલ કરવા માટે સુરત આવશે. તેમની અરજીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે તેમની અરજીમાં સેશન્સ કોર્ટને માનહાનિના કેસમાં દોષિત ઠેરવતા મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવાની માંગ કરી છે. તેમણે કેસના નિકાલ સુધી દોષિત ઠેરવવા પર વચગાળાનો સ્ટે લગાવવાની માગ પણ અરજીમાં કરી છે.


30 દિવસનો સમય 


રાહુલ ગાંધી માનહાની કેસ માટે સોમવારે ફરીથી સુરતમાં આવશે. તેઓ સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવાના છે. સોમવારે સુરતમાં ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. બીજીબાજુ ચૂંટણી કેરળમાં ચૂંટણી આવવાની છે. ત્યારે ચૂંટણી પંચે પણ કેરળની વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરી નથી કારણ કે, કોર્ટ તરફથી રાહુલને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવેલો છે.


અગ્રણી નેતાઓ પણ સુરત આવશે


રાહુલ ગાંધી  આવતીકાલે સુરત કોર્ટમાં અપીલ કરવા માટે આવી રહ્યા છે, તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે તેમજ અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર રહેશે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે.


પૂર્ણેશ મોદીએ કર્યો હતો માનહાનિનો કેસ


ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે, રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી. રાહુલગાંધીએ PM મોદીને તેમના સરનેમને લઈ નિશાન બનાવ્યા હતા, આ દરમિયાન તેમણે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને લલિત મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.




અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર સામે આચાર સંહિતાની ભંગની ફરિયાદ કરી છે. તો બીજી તરફ એવી માહિતી સામે આવી છે કે સુરત કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદાવરી ફોર્મ રદ્દ થઈ શકે છે..

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!