ભારત જોડો યાત્રા દરમિયાન મોરબીમાં બનેલી દુર્ઘટનાને લઈ રાહુલ ગાંધીએ મૃતકોના પરિવાર માટે વ્યક્ત કરી સંવેદના


  • Published By :
  • Published Date : 2022-10-31 15:51:33

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ મોરબી હોનારતમાં મૃત્યુ પામનાર લોકો માટે બે મિનિટનું મૌન પાડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ રાહુલ ગાંધીએ દુર્ઘટનાને લઈ ટ્વિટ કરી હતી. ટ્વિટ કરતા તેમણે લખ્યું કે શોકાાગ્રસ્ત થયેલા પરિવાર સાથે તેમની સંવેદના છે. ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોને પણ મદદ કરવા અપિલ કરી હતી.

Image

દાદી ઈન્દિરાને રાહુલે કર્યા યાદ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી રહી છે. ત્યારે હાલ આ યાત્રા તેલંગાણામાં છે.

પોતાની યાત્રા દરમિયાન અનેક કાર્યક્રમો પણ રાખે છે. પોતાની યાત્રા દરમિયાન તેમણે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, સાથે સાથે દાદીને યાદ કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને પણ જન્મજયંતિના દિવસે તેમને યાદ કર્યા હતા.        




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.