ભારત જોડો યાત્રા દરમિયાન મોરબીમાં બનેલી દુર્ઘટનાને લઈ રાહુલ ગાંધીએ મૃતકોના પરિવાર માટે વ્યક્ત કરી સંવેદના


  • Published By :
  • Published Date : 2022-10-31 15:51:33

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ મોરબી હોનારતમાં મૃત્યુ પામનાર લોકો માટે બે મિનિટનું મૌન પાડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ રાહુલ ગાંધીએ દુર્ઘટનાને લઈ ટ્વિટ કરી હતી. ટ્વિટ કરતા તેમણે લખ્યું કે શોકાાગ્રસ્ત થયેલા પરિવાર સાથે તેમની સંવેદના છે. ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોને પણ મદદ કરવા અપિલ કરી હતી.

Image

દાદી ઈન્દિરાને રાહુલે કર્યા યાદ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી રહી છે. ત્યારે હાલ આ યાત્રા તેલંગાણામાં છે.

પોતાની યાત્રા દરમિયાન અનેક કાર્યક્રમો પણ રાખે છે. પોતાની યાત્રા દરમિયાન તેમણે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, સાથે સાથે દાદીને યાદ કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને પણ જન્મજયંતિના દિવસે તેમને યાદ કર્યા હતા.        




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.