ભારત જોડો યાત્રા દરમિયાન મોરબીમાં બનેલી દુર્ઘટનાને લઈ રાહુલ ગાંધીએ મૃતકોના પરિવાર માટે વ્યક્ત કરી સંવેદના


  • Published By :
  • Published Date : 2022-10-31 15:51:33

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ મોરબી હોનારતમાં મૃત્યુ પામનાર લોકો માટે બે મિનિટનું મૌન પાડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ રાહુલ ગાંધીએ દુર્ઘટનાને લઈ ટ્વિટ કરી હતી. ટ્વિટ કરતા તેમણે લખ્યું કે શોકાાગ્રસ્ત થયેલા પરિવાર સાથે તેમની સંવેદના છે. ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોને પણ મદદ કરવા અપિલ કરી હતી.

Image

દાદી ઈન્દિરાને રાહુલે કર્યા યાદ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી રહી છે. ત્યારે હાલ આ યાત્રા તેલંગાણામાં છે.

પોતાની યાત્રા દરમિયાન અનેક કાર્યક્રમો પણ રાખે છે. પોતાની યાત્રા દરમિયાન તેમણે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, સાથે સાથે દાદીને યાદ કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને પણ જન્મજયંતિના દિવસે તેમને યાદ કર્યા હતા.        




અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.