સંસદમાં PM Modiએ આપેલા ભાષણ પર Rahul Gandhiએ નારાજગી કરી વ્યક્ત, સાંભળો શું કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં...


  • Published By :
  • Published Date : 2023-08-11 16:17:36

સંસદમાં ચાલતા ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ હતો. ગઈકાલે સંસદમાં લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીએ જવાબ આપ્યો હતો. સંસદમાં પીએમ મોદીએ આપેલા ભાષણ પર અનેક સવાલો ઉઠવા સ્વભાવિક હતા. કારણ કે પોતાના બે કલાકથી પણ વધારેના ભાષણ દરમિયાન મણિપુર વિશે તેઓ માત્ર બે મિનીટ જ બોલ્યા હતા. બાકી સમય તેમણે વિપક્ષ પણ પ્રહારો કર્યા હતા અથવા તો પોતાની  સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.

મણિપુર મુદ્દે પીએમ મોદી માત્ર બે મિનીટ બોલ્યા

મણિપુર ઘણા સમયથી બળી રહ્યું છે. મહિનાઓથી ભડકી રહેલી હિંસા શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહી છે. સંસદમાં આ મામલે ચર્ચા થાય તેવી આશા હતી પરંતુ અનેક વખત હંગામો થયો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હતી. જેને લઈ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ત્રણ દિવસ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી ત્યારે કાલે ચર્ચાનો અંતિમ દિવસો હતો અને પીએમ મોદી જવાબ આપવા સંસદ આવ્યા હતા. 2 કલાકથી પણ વધારે પીએમ મોદીએ સંસદમાં ભાષણ આપ્યું હતું પરંતુ મણિપુરમાં ચાલી રહેતી હિંસા પર, જેને લઈ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો તે મુદ્દા પર તે માત્ર બે મિનીટ જ બોલ્યા હતા. 

પીએમ મોદી પર રાહુલ ગાંધીએ લગાવ્યા ગંભીર આરોપ!

ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે પીએમ મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે કાલે સંસદમાં જ્યારે પીએમ મોદીને હસતા જોયા, મજાક કરતા જોયા, હું સમજી શક્તો ન હતો કે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી આવું કેવી રીતે બોલી શકે? શું પ્રધાનમંત્રીને નથી ખબર કે આપણા દેશમાં શું થઈ રહ્યું છે? મણિપુર નથી જઈ શકતા, પરંતુ કમસે કમ તેના વિશે બોલી તો શકે છે. જો સેના ધારે તો મણિપુરની હિંસાને 2 દિવસમાં રોકી શકે છે, પરંતુ પીએમ મોદી મણિપુરની આગને ઓલવવા નથી માગતા. આ સત્ય છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.