સંસદમાં PM Modiએ આપેલા ભાષણ પર Rahul Gandhiએ નારાજગી કરી વ્યક્ત, સાંભળો શું કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં...


  • Published By :
  • Published Date : 2023-08-11 16:17:36

સંસદમાં ચાલતા ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ હતો. ગઈકાલે સંસદમાં લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીએ જવાબ આપ્યો હતો. સંસદમાં પીએમ મોદીએ આપેલા ભાષણ પર અનેક સવાલો ઉઠવા સ્વભાવિક હતા. કારણ કે પોતાના બે કલાકથી પણ વધારેના ભાષણ દરમિયાન મણિપુર વિશે તેઓ માત્ર બે મિનીટ જ બોલ્યા હતા. બાકી સમય તેમણે વિપક્ષ પણ પ્રહારો કર્યા હતા અથવા તો પોતાની  સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.

મણિપુર મુદ્દે પીએમ મોદી માત્ર બે મિનીટ બોલ્યા

મણિપુર ઘણા સમયથી બળી રહ્યું છે. મહિનાઓથી ભડકી રહેલી હિંસા શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહી છે. સંસદમાં આ મામલે ચર્ચા થાય તેવી આશા હતી પરંતુ અનેક વખત હંગામો થયો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હતી. જેને લઈ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ત્રણ દિવસ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી ત્યારે કાલે ચર્ચાનો અંતિમ દિવસો હતો અને પીએમ મોદી જવાબ આપવા સંસદ આવ્યા હતા. 2 કલાકથી પણ વધારે પીએમ મોદીએ સંસદમાં ભાષણ આપ્યું હતું પરંતુ મણિપુરમાં ચાલી રહેતી હિંસા પર, જેને લઈ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો તે મુદ્દા પર તે માત્ર બે મિનીટ જ બોલ્યા હતા. 

પીએમ મોદી પર રાહુલ ગાંધીએ લગાવ્યા ગંભીર આરોપ!

ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે પીએમ મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે કાલે સંસદમાં જ્યારે પીએમ મોદીને હસતા જોયા, મજાક કરતા જોયા, હું સમજી શક્તો ન હતો કે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી આવું કેવી રીતે બોલી શકે? શું પ્રધાનમંત્રીને નથી ખબર કે આપણા દેશમાં શું થઈ રહ્યું છે? મણિપુર નથી જઈ શકતા, પરંતુ કમસે કમ તેના વિશે બોલી તો શકે છે. જો સેના ધારે તો મણિપુરની હિંસાને 2 દિવસમાં રોકી શકે છે, પરંતુ પીએમ મોદી મણિપુરની આગને ઓલવવા નથી માગતા. આ સત્ય છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે