સંસદમાં PM Modiએ આપેલા ભાષણ પર Rahul Gandhiએ નારાજગી કરી વ્યક્ત, સાંભળો શું કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં...


  • Published By :
  • Published Date : 2023-08-11 16:17:36

સંસદમાં ચાલતા ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ હતો. ગઈકાલે સંસદમાં લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીએ જવાબ આપ્યો હતો. સંસદમાં પીએમ મોદીએ આપેલા ભાષણ પર અનેક સવાલો ઉઠવા સ્વભાવિક હતા. કારણ કે પોતાના બે કલાકથી પણ વધારેના ભાષણ દરમિયાન મણિપુર વિશે તેઓ માત્ર બે મિનીટ જ બોલ્યા હતા. બાકી સમય તેમણે વિપક્ષ પણ પ્રહારો કર્યા હતા અથવા તો પોતાની  સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.

મણિપુર મુદ્દે પીએમ મોદી માત્ર બે મિનીટ બોલ્યા

મણિપુર ઘણા સમયથી બળી રહ્યું છે. મહિનાઓથી ભડકી રહેલી હિંસા શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહી છે. સંસદમાં આ મામલે ચર્ચા થાય તેવી આશા હતી પરંતુ અનેક વખત હંગામો થયો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હતી. જેને લઈ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ત્રણ દિવસ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી ત્યારે કાલે ચર્ચાનો અંતિમ દિવસો હતો અને પીએમ મોદી જવાબ આપવા સંસદ આવ્યા હતા. 2 કલાકથી પણ વધારે પીએમ મોદીએ સંસદમાં ભાષણ આપ્યું હતું પરંતુ મણિપુરમાં ચાલી રહેતી હિંસા પર, જેને લઈ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો તે મુદ્દા પર તે માત્ર બે મિનીટ જ બોલ્યા હતા. 

પીએમ મોદી પર રાહુલ ગાંધીએ લગાવ્યા ગંભીર આરોપ!

ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે પીએમ મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે કાલે સંસદમાં જ્યારે પીએમ મોદીને હસતા જોયા, મજાક કરતા જોયા, હું સમજી શક્તો ન હતો કે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી આવું કેવી રીતે બોલી શકે? શું પ્રધાનમંત્રીને નથી ખબર કે આપણા દેશમાં શું થઈ રહ્યું છે? મણિપુર નથી જઈ શકતા, પરંતુ કમસે કમ તેના વિશે બોલી તો શકે છે. જો સેના ધારે તો મણિપુરની હિંસાને 2 દિવસમાં રોકી શકે છે, પરંતુ પીએમ મોદી મણિપુરની આગને ઓલવવા નથી માગતા. આ સત્ય છે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .