'થોડું દબાણ થતાં જ યૂ-ટર્ન લીધો....' રાહુલ ગાંધીએ રમૂજી ટુચકો સંભળાવી નીતીશ કુમાર પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2024-01-30 18:44:01

બિહારમાં રાજકીય ઘટનાક્રમથી INDIA એલાયન્સને મોટો ઝટકો લાગ્યા બાદ રાહુલ ગાંધીએ આજે પહેલી વખત નિતીશ કુમારને લઈ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી નિતિશ કુમારનું નામ આપ્યા વગર જ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાણ થતાં જ તેમણે (નિતિશ કુમારે) યૂ-ટર્ન લીધો છે. ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં પ્રવેશી ચુકી છે. આ દરમિયાન યાત્રામાં તેમના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાણ પડતા જ તેમણે પલટી ખાધી હતી. પરંતું દબાણ કેમ? અમારૂં ગઠબંધન તે મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે જે લોકોને અસર કરે છે. 


સામાજીક ન્યાય અમારી જવાબદારી


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તમે એક વાત સમજો કે નીતીશજી કેમ ફસાઈ ગયા, મેં તેમને સીધું કહ્યું હતું કે બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવી પડશે. અમે આરજેડી સાથે મળીને નિતીશજીને સર્વે કરાવવા પર ભાર મુક્યો હતો. પરંતું બિજેપી ડરી ગઈ હતી. તે આ યોજનાના વિરોધમાં હતી. નીતીશજી ફસાઈ ગયા અને બિજેપીએ તેમને ભાગવા માટે બેક ડોર આપ્યો હતો. લોકોને સામાજીક ન્યાય આપવો તે અમારા ગઠબંધનની જવાબદારી છે અને તે માટે અમારે નિતિશજીની જરૂર નથી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.