'થોડું દબાણ થતાં જ યૂ-ટર્ન લીધો....' રાહુલ ગાંધીએ રમૂજી ટુચકો સંભળાવી નીતીશ કુમાર પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2024-01-30 18:44:01

બિહારમાં રાજકીય ઘટનાક્રમથી INDIA એલાયન્સને મોટો ઝટકો લાગ્યા બાદ રાહુલ ગાંધીએ આજે પહેલી વખત નિતીશ કુમારને લઈ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી નિતિશ કુમારનું નામ આપ્યા વગર જ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાણ થતાં જ તેમણે (નિતિશ કુમારે) યૂ-ટર્ન લીધો છે. ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં પ્રવેશી ચુકી છે. આ દરમિયાન યાત્રામાં તેમના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે થોડું દબાણ પડતા જ તેમણે પલટી ખાધી હતી. પરંતું દબાણ કેમ? અમારૂં ગઠબંધન તે મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે જે લોકોને અસર કરે છે. 


સામાજીક ન્યાય અમારી જવાબદારી


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તમે એક વાત સમજો કે નીતીશજી કેમ ફસાઈ ગયા, મેં તેમને સીધું કહ્યું હતું કે બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવવી પડશે. અમે આરજેડી સાથે મળીને નિતીશજીને સર્વે કરાવવા પર ભાર મુક્યો હતો. પરંતું બિજેપી ડરી ગઈ હતી. તે આ યોજનાના વિરોધમાં હતી. નીતીશજી ફસાઈ ગયા અને બિજેપીએ તેમને ભાગવા માટે બેક ડોર આપ્યો હતો. લોકોને સામાજીક ન્યાય આપવો તે અમારા ગઠબંધનની જવાબદારી છે અને તે માટે અમારે નિતિશજીની જરૂર નથી.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે