Rahul Gandhiએ સંસદમાંથી આપી BJPને ચેલેન્જ? કહ્યું આ વખતે ઈન્ડિયા ગઠબંધન ગુજરાતમાં.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-01 17:21:39

સંસદના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભાના બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. નીટનો મુદ્દો ઉઠાવવાની સાથે રાહુલ ગાંધીએ સંસદમાં પડકાર ફેંક્યો કે, લખીને લઈ લો, આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું..... 

સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે... 

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઈન્કમ ટેક્સ, ઈડી, મીડિયમ અને સ્મોલ સ્કેલ બિઝનેસ આજે નાબૂદ થઈ રહ્યાં છે. જેનાથી અરબપતિઓનો રસ્તો સાફ થઈ રહ્યો છે. હું ગુજરાતમાં ગયો હતો, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝવાળાઓએ જણાવ્યું કે, અરબપતિઓનો રસ્તો સાફ કરવા માટે જીએસટી લાવવામા આવ્યો છે. ત્યારે વચ્ચે સંસદમાં કોઈએ કહ્યું કે, શું તમે ગુજરાત પણ જાઓ છો. ત્યારે રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું કે, હું જતો હોઉ છું. આ વખતે ગુજરાતમાં તમને હરાવીશ. લખીને લઈ લો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. આ વખતે ઈન્ડિયા ગઠબંધન ચૂંટણીમાં તમને ગુજરાતમા હરાવશે.


ભાજપના હાથમાંથી ગઈ એક લોકસભા બેઠક 

રાહુલ ગાંધીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરતી વખતે આ નિવેદન આપ્યું છે..... લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ ક્લીન સ્વિપ નથી કરી શકી... કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં પોતાની વાપસી કરતા બનાસકાંઠાની બેઠક ભાજપ પાસેથી આંચકી લધી... 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપને તમામ 26 સીટ મળી હતી... પણ ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક મળ્યા પછી કોંગ્રેસનો ઉત્સાહ બમણો થઈ ગયો છે...



કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.

રાહુલ ગાંધી ગુજરાતમાં ઘણા સમયથી સક્રિય પણ છે. છેલ્લે ટીઆરપી ગેમઝોન આગકાંડના પીડિત પરિવારો સાથે પણ તેમણે વાત કરી હતી .. અને ન્યાય અપાવવાનો ભરોસો અપાવ્યો હતો... 2024માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા... કોંગ્રેસે રાજ્યની 26માંથી 24 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા... અને બે સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા... રાહુલ ગાંધીએ હવે ચેલેન્જ આપી છે. ત્યારે ગુજરાતની રાજનીતિ આવનાર સમયમાં ખુબ રસપ્રદ રહેવાની છે તેવું હાલ લાગી રહ્યું છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી