Rahul Gandhiએ સંસદમાંથી આપી BJPને ચેલેન્જ? કહ્યું આ વખતે ઈન્ડિયા ગઠબંધન ગુજરાતમાં.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-01 17:21:39

સંસદના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભાના બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. નીટનો મુદ્દો ઉઠાવવાની સાથે રાહુલ ગાંધીએ સંસદમાં પડકાર ફેંક્યો કે, લખીને લઈ લો, આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું..... 

સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે... 

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઈન્કમ ટેક્સ, ઈડી, મીડિયમ અને સ્મોલ સ્કેલ બિઝનેસ આજે નાબૂદ થઈ રહ્યાં છે. જેનાથી અરબપતિઓનો રસ્તો સાફ થઈ રહ્યો છે. હું ગુજરાતમાં ગયો હતો, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝવાળાઓએ જણાવ્યું કે, અરબપતિઓનો રસ્તો સાફ કરવા માટે જીએસટી લાવવામા આવ્યો છે. ત્યારે વચ્ચે સંસદમાં કોઈએ કહ્યું કે, શું તમે ગુજરાત પણ જાઓ છો. ત્યારે રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું કે, હું જતો હોઉ છું. આ વખતે ગુજરાતમાં તમને હરાવીશ. લખીને લઈ લો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. આ વખતે ઈન્ડિયા ગઠબંધન ચૂંટણીમાં તમને ગુજરાતમા હરાવશે.


ભાજપના હાથમાંથી ગઈ એક લોકસભા બેઠક 

રાહુલ ગાંધીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરતી વખતે આ નિવેદન આપ્યું છે..... લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ ક્લીન સ્વિપ નથી કરી શકી... કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં પોતાની વાપસી કરતા બનાસકાંઠાની બેઠક ભાજપ પાસેથી આંચકી લધી... 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપને તમામ 26 સીટ મળી હતી... પણ ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક મળ્યા પછી કોંગ્રેસનો ઉત્સાહ બમણો થઈ ગયો છે...



કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.

રાહુલ ગાંધી ગુજરાતમાં ઘણા સમયથી સક્રિય પણ છે. છેલ્લે ટીઆરપી ગેમઝોન આગકાંડના પીડિત પરિવારો સાથે પણ તેમણે વાત કરી હતી .. અને ન્યાય અપાવવાનો ભરોસો અપાવ્યો હતો... 2024માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા... કોંગ્રેસે રાજ્યની 26માંથી 24 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા... અને બે સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા... રાહુલ ગાંધીએ હવે ચેલેન્જ આપી છે. ત્યારે ગુજરાતની રાજનીતિ આવનાર સમયમાં ખુબ રસપ્રદ રહેવાની છે તેવું હાલ લાગી રહ્યું છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.