Rahul Gandhiએ સંસદમાંથી આપી BJPને ચેલેન્જ? કહ્યું આ વખતે ઈન્ડિયા ગઠબંધન ગુજરાતમાં.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-01 17:21:39

સંસદના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભાના બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. નીટનો મુદ્દો ઉઠાવવાની સાથે રાહુલ ગાંધીએ સંસદમાં પડકાર ફેંક્યો કે, લખીને લઈ લો, આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું..... 

સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે... 

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઈન્કમ ટેક્સ, ઈડી, મીડિયમ અને સ્મોલ સ્કેલ બિઝનેસ આજે નાબૂદ થઈ રહ્યાં છે. જેનાથી અરબપતિઓનો રસ્તો સાફ થઈ રહ્યો છે. હું ગુજરાતમાં ગયો હતો, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝવાળાઓએ જણાવ્યું કે, અરબપતિઓનો રસ્તો સાફ કરવા માટે જીએસટી લાવવામા આવ્યો છે. ત્યારે વચ્ચે સંસદમાં કોઈએ કહ્યું કે, શું તમે ગુજરાત પણ જાઓ છો. ત્યારે રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું કે, હું જતો હોઉ છું. આ વખતે ગુજરાતમાં તમને હરાવીશ. લખીને લઈ લો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. આ વખતે ઈન્ડિયા ગઠબંધન ચૂંટણીમાં તમને ગુજરાતમા હરાવશે.


ભાજપના હાથમાંથી ગઈ એક લોકસભા બેઠક 

રાહુલ ગાંધીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરતી વખતે આ નિવેદન આપ્યું છે..... લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ ક્લીન સ્વિપ નથી કરી શકી... કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં પોતાની વાપસી કરતા બનાસકાંઠાની બેઠક ભાજપ પાસેથી આંચકી લધી... 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપને તમામ 26 સીટ મળી હતી... પણ ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક મળ્યા પછી કોંગ્રેસનો ઉત્સાહ બમણો થઈ ગયો છે...



કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.

રાહુલ ગાંધી ગુજરાતમાં ઘણા સમયથી સક્રિય પણ છે. છેલ્લે ટીઆરપી ગેમઝોન આગકાંડના પીડિત પરિવારો સાથે પણ તેમણે વાત કરી હતી .. અને ન્યાય અપાવવાનો ભરોસો અપાવ્યો હતો... 2024માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા... કોંગ્રેસે રાજ્યની 26માંથી 24 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા... અને બે સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા... રાહુલ ગાંધીએ હવે ચેલેન્જ આપી છે. ત્યારે ગુજરાતની રાજનીતિ આવનાર સમયમાં ખુબ રસપ્રદ રહેવાની છે તેવું હાલ લાગી રહ્યું છે.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.