NEET પરીક્ષાને લઈ Rahul Gandhiએ કરી પ્રેસ કોન્ફરન્સ, સરકાર પર સાધ્યું નિશાન, સાંભળો શું કહ્યું રાહુલ ગાંધીએ?


  • Published By :
  • Published Date : 2024-06-20 18:53:55

સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે શાળાના પેપરો હોય તે ફૂટવા જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે.  અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં પેપર ફૂટવાને કારણે વિદ્યાર્થીઓના ભાવિ ખતરામાં પડી જાય છે. એક તરફ નીટની પરીક્ષાનો વિરોધ ચાલી રહ્યો છે તો બીજી તરફ યુજીસી નેટની પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. પેપર લીક થવાની ઘટના રોકવા માટે પ્રયાસો કરવામાં આવતા હોય તેવું લાગતું નથી.. આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ સરકાર પર પરીક્ષાને લઈ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદી પર તેમણે નિશાન સાધ્યું હતું. 

રાહુલ ગાંધીએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ 

NEET પેપર લીકનો મુદ્દો હજી સુધી શમ્યો નથી ત્યાં તો UGC NETની પરીક્ષા ચર્ચામાં આવી. પરીક્ષાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બંને પરીક્ષાઓને લઈ સરકાર પર કોંગ્રેસ દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે. સરકારને સવાલ કરવામાં આવી રહ્યા છે. પરીક્ષાને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સરકાર પર નિશાન સાધ્યું હતું. તે સિવાય તેમણે કહ્યું કે હિંદુસ્તાનમાં બહુ બધા ઈમાનદાર લોકો છે. તમે કોઈ ઈમાનદારોને કામ આપશો તો પેપર લીક નહીં થાય. પરંતુ જો તમે પોતાની વિચારધારાથી જોડાયેલા લોકોને સોંપશો તો પેપર લીક થશે. 

શું કહ્યું રાહુલ ગાંધીએ? 

સરકાર પર નિશાન સાઘતા રાહુલ ગાંધીએ કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હતું. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ પણ બંધ કરાવ્યું હતું. પરંતુ નરેન્દ્ર મોદી ભારતમાં પેપર લીક થતા અટકાવી શક્યા નથી અથવા અટકાવવા માગતા નથી.. તે સિવાય તેમણે કહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન હજારો વિદ્યાર્થીઓએ પેપર લીક થવાની ફરિયાદ કરી હતી. હવે દેશમાં NEET અને UGC-NET પેપર લીક થયા છે. એવો દાવો કરવામાં આવે છે કે નરેન્દ્ર મોદી યુદ્ધ બંધ કરે છે, પરંતુ તેઓ પેપર લીક રોકવામાં સક્ષમ નથી અથવા તેઓ પેપર લીક રોકવા માંગતા નથી.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.