રાહુલ ગાંધીના મીડિયા પર પ્રહાર, "TV પર બેકારી, ગરીબી, મોંઘવારી અને અગ્નિવીરો જોવા નહીં મળે"


  • Published By :
  • Published Date : 2024-02-16 19:59:16

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારે સાંજે ચંદૌલી જિલ્લામાંથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધીએ નેશનલ ઈન્ટર કોલેજમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે રામ મંદિર અભિષેક સમારોહમાં અબજોપતિઓ માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી, ગરીબો માટે કોઈ સુવિધા નહોતી.


બે હિંદુસ્તાન બની રહ્યા છે


બે ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. એક છે એક ટકાવાળું જેમાં તેઓ ખાનગી વિમાનમાં ઉડે છે. તે ભારત તમે ટીવી પર જોશો. એક તરફ ઐશ્વર્યા રાય તેમાં ડાન્સ કરતી જોવા મળશે. તો બીજી તરફ અમિતાભ બચ્ચન ડાન્સ કરતા જોવા મળશે. જેમાં શાહરૂખ ખાન જોવા મળશે. વિરાટ કોહલી જોવા મળશે, ભારતીય ક્રિકેટ ટીમ જોવા મળશે. બેરોજગાર, ગરીબ, ભૂખ્યા અને કોઈ અગ્નિવીર ત્યાં જોવા નહીં મળે.


બેરોજગારી અને ગરીબી TV પર જોવા નહીં મળે


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારે યુપીના ચંદૌલી જિલ્લામાં પહોંચી હતી. પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધીએ જિલ્લાના સૈયદરાજા સ્થિત નેશનલ ઈન્ટર કોલેજમાં જાહેર સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન શરૂઆતથી જ ખેડૂતો, બેરોજગારો અને ગરીબોનો મુદ્દો ઉઠાવ્યો હતો. જનતાને કહ્યું કે મીડિયા આ બધા મુદ્દા નથી બતાવતું કારણ કે તે મોદી મીડિયા છે. તેમણે કહ્યું કે ભાજપ અબજોપતિઓ માટે કામ કરી રહી છે. ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે, ગરીબ લોકોની જમીન છીનવાઈ રહી છે, બેરોજગારી વધી રહી છે, જે ટીવીમાં જનતાને નહીં બતાવવામાં આવે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .