રાહુલ ગાંધીના મીડિયા પર પ્રહાર, "TV પર બેકારી, ગરીબી, મોંઘવારી અને અગ્નિવીરો જોવા નહીં મળે"


  • Published By :
  • Published Date : 2024-02-16 19:59:16

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારે સાંજે ચંદૌલી જિલ્લામાંથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધીએ નેશનલ ઈન્ટર કોલેજમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે રામ મંદિર અભિષેક સમારોહમાં અબજોપતિઓ માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી, ગરીબો માટે કોઈ સુવિધા નહોતી.


બે હિંદુસ્તાન બની રહ્યા છે


બે ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. એક છે એક ટકાવાળું જેમાં તેઓ ખાનગી વિમાનમાં ઉડે છે. તે ભારત તમે ટીવી પર જોશો. એક તરફ ઐશ્વર્યા રાય તેમાં ડાન્સ કરતી જોવા મળશે. તો બીજી તરફ અમિતાભ બચ્ચન ડાન્સ કરતા જોવા મળશે. જેમાં શાહરૂખ ખાન જોવા મળશે. વિરાટ કોહલી જોવા મળશે, ભારતીય ક્રિકેટ ટીમ જોવા મળશે. બેરોજગાર, ગરીબ, ભૂખ્યા અને કોઈ અગ્નિવીર ત્યાં જોવા નહીં મળે.


બેરોજગારી અને ગરીબી TV પર જોવા નહીં મળે


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારે યુપીના ચંદૌલી જિલ્લામાં પહોંચી હતી. પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધીએ જિલ્લાના સૈયદરાજા સ્થિત નેશનલ ઈન્ટર કોલેજમાં જાહેર સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન શરૂઆતથી જ ખેડૂતો, બેરોજગારો અને ગરીબોનો મુદ્દો ઉઠાવ્યો હતો. જનતાને કહ્યું કે મીડિયા આ બધા મુદ્દા નથી બતાવતું કારણ કે તે મોદી મીડિયા છે. તેમણે કહ્યું કે ભાજપ અબજોપતિઓ માટે કામ કરી રહી છે. ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે, ગરીબ લોકોની જમીન છીનવાઈ રહી છે, બેરોજગારી વધી રહી છે, જે ટીવીમાં જનતાને નહીં બતાવવામાં આવે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.