રાહુલ ગાંધીના મીડિયા પર પ્રહાર, "TV પર બેકારી, ગરીબી, મોંઘવારી અને અગ્નિવીરો જોવા નહીં મળે"


  • Published By :
  • Published Date : 2024-02-16 19:59:16

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારે સાંજે ચંદૌલી જિલ્લામાંથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધીએ નેશનલ ઈન્ટર કોલેજમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે રામ મંદિર અભિષેક સમારોહમાં અબજોપતિઓ માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી, ગરીબો માટે કોઈ સુવિધા નહોતી.


બે હિંદુસ્તાન બની રહ્યા છે


બે ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. એક છે એક ટકાવાળું જેમાં તેઓ ખાનગી વિમાનમાં ઉડે છે. તે ભારત તમે ટીવી પર જોશો. એક તરફ ઐશ્વર્યા રાય તેમાં ડાન્સ કરતી જોવા મળશે. તો બીજી તરફ અમિતાભ બચ્ચન ડાન્સ કરતા જોવા મળશે. જેમાં શાહરૂખ ખાન જોવા મળશે. વિરાટ કોહલી જોવા મળશે, ભારતીય ક્રિકેટ ટીમ જોવા મળશે. બેરોજગાર, ગરીબ, ભૂખ્યા અને કોઈ અગ્નિવીર ત્યાં જોવા નહીં મળે.


બેરોજગારી અને ગરીબી TV પર જોવા નહીં મળે


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારે યુપીના ચંદૌલી જિલ્લામાં પહોંચી હતી. પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધીએ જિલ્લાના સૈયદરાજા સ્થિત નેશનલ ઈન્ટર કોલેજમાં જાહેર સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન શરૂઆતથી જ ખેડૂતો, બેરોજગારો અને ગરીબોનો મુદ્દો ઉઠાવ્યો હતો. જનતાને કહ્યું કે મીડિયા આ બધા મુદ્દા નથી બતાવતું કારણ કે તે મોદી મીડિયા છે. તેમણે કહ્યું કે ભાજપ અબજોપતિઓ માટે કામ કરી રહી છે. ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે, ગરીબ લોકોની જમીન છીનવાઈ રહી છે, બેરોજગારી વધી રહી છે, જે ટીવીમાં જનતાને નહીં બતાવવામાં આવે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.