Parliament Security Breachને લઈ Rahul Gandhiએ આપ્યું નિવેદન , કહ્યું પીએમ મોદીની નીતિઓને કારણે યુવાનોને રોજગાર નથી મળતો


  • Published By :
  • Published Date : 2023-12-16 14:56:27

થોડા દિવસો પહેલા સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીથી બે લોકો કૂદી પડ્યા હતા અને સ્પ્રે કરવા લાગ્યા. આ ઘટનાને લઈ એક્શન લેવામાં આવ્યા. એસઆઈટીની રચના કરવામાં આવી વગેરે વગેરે... સૂરક્ષા ચૂકને લઈ વિપક્ષી સાંસદો આક્રામક દેખાયા હતા. હુમલા બાદ જ્યારે સંસદની કાર્યવાહી થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ હંગામો કર્યો જે બાદ અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ અંગેની તપાસ ચાલી રહી છે આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે પીએમ મોદીની નીતિઓ આની પાછળ જવાબદાર છે. નીતિને કારણે યુવાનોને નોકરી નથી મળી રહી.


સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં કરે છે હંગામો!  

છેલ્લા ઘણા સમયથી સંસદમાં થયેલી સૂરક્ષા ચૂકને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. આ હુમલા પાછળના માસ્ટરમાઈન્ડે પોલીસ સામે સરેન્ડર કર્યું છે. 8 જેટલા કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહી છે. અનેક વખત આ મુદ્દાને લઈ સંસદમાં હંગામ થાય છે અને કાર્યવાહી સ્થગિત થાય છે. આ મામલે અલગ અલગ વિપક્ષી સાંસદોના નિવેદનો સામે આવ્યા છે. ત્યારે આ સુરક્ષા ચૂક મામલે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. 


શિક્ષિત લોકોએ કર્યો સંસદમાં હુમલો!

જે લોકોએ સાંસદોને હચમચાવી દીધા તે અશિક્ષિત ન હતા પરંતુ ભણેલા ગણેલા હતા. લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી કુદનારા યુવકનું નામ સાગર શર્મા  છે, સાગર શર્મા ઉપરાંત જે શખ્સે લોકસભામાં હોબાળો મચાવ્યો તેનું નામ મનોરંજન ડી છે. જો કે કર્ણાટકના મૈસુર શહેરનો વતની છે. તેણે બેંગ્લરૂની વિવેકાનંદ યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગ કર્યું છે. તે બંનેએ સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર સંસદમાં એન્ટ્રી મેળવી હતી. સંસદ બહાર જે મહિલા વિરોધ કરી રહી હતી તેનું નામ નીલમ હતું અને તે હરિયાણાની વતની છે. નીલમની ડિગ્રી વિશે પણ માહિતી સામે આવી હતી જે અનુસાર તેણે BA, MA, B.Ed, M.Ed, CTeT, M.Phil અને નીટ લાયકાત ધરાવે છે. 


પીએમ મોદીની નીતિઓ પર રાહુલ ગાંધીના પ્રહાર 

મહત્વનું છે કે બેરોજગારીને લઈ તેમણે આ કૃત્ય કર્યું હતું તેવી માહિતી સામે આવી હતી. ડિગ્રી હોવા છતાંય તેમની પાસે નોકરી ન હતી. ત્યારે બેરોજગારી અને મોંઘવારી મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી હતી. સુરક્ષા ચૂક બદલ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સુરક્ષા ચુક પાછળનું સૌથી મોટું કારણ છે બેરોજગારી અને મોંઘવારી. પીએમ મોદીની નીતિઓના કારણે યુવાનોને રોજગાર નથી મળી રહ્યો.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.