Parliament Security Breachને લઈ Rahul Gandhiએ આપ્યું નિવેદન , કહ્યું પીએમ મોદીની નીતિઓને કારણે યુવાનોને રોજગાર નથી મળતો


  • Published By :
  • Published Date : 2023-12-16 14:56:27

થોડા દિવસો પહેલા સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીથી બે લોકો કૂદી પડ્યા હતા અને સ્પ્રે કરવા લાગ્યા. આ ઘટનાને લઈ એક્શન લેવામાં આવ્યા. એસઆઈટીની રચના કરવામાં આવી વગેરે વગેરે... સૂરક્ષા ચૂકને લઈ વિપક્ષી સાંસદો આક્રામક દેખાયા હતા. હુમલા બાદ જ્યારે સંસદની કાર્યવાહી થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ હંગામો કર્યો જે બાદ અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ અંગેની તપાસ ચાલી રહી છે આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે પીએમ મોદીની નીતિઓ આની પાછળ જવાબદાર છે. નીતિને કારણે યુવાનોને નોકરી નથી મળી રહી.


સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં કરે છે હંગામો!  

છેલ્લા ઘણા સમયથી સંસદમાં થયેલી સૂરક્ષા ચૂકને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. આ હુમલા પાછળના માસ્ટરમાઈન્ડે પોલીસ સામે સરેન્ડર કર્યું છે. 8 જેટલા કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહી છે. અનેક વખત આ મુદ્દાને લઈ સંસદમાં હંગામ થાય છે અને કાર્યવાહી સ્થગિત થાય છે. આ મામલે અલગ અલગ વિપક્ષી સાંસદોના નિવેદનો સામે આવ્યા છે. ત્યારે આ સુરક્ષા ચૂક મામલે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. 


શિક્ષિત લોકોએ કર્યો સંસદમાં હુમલો!

જે લોકોએ સાંસદોને હચમચાવી દીધા તે અશિક્ષિત ન હતા પરંતુ ભણેલા ગણેલા હતા. લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી કુદનારા યુવકનું નામ સાગર શર્મા  છે, સાગર શર્મા ઉપરાંત જે શખ્સે લોકસભામાં હોબાળો મચાવ્યો તેનું નામ મનોરંજન ડી છે. જો કે કર્ણાટકના મૈસુર શહેરનો વતની છે. તેણે બેંગ્લરૂની વિવેકાનંદ યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગ કર્યું છે. તે બંનેએ સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર સંસદમાં એન્ટ્રી મેળવી હતી. સંસદ બહાર જે મહિલા વિરોધ કરી રહી હતી તેનું નામ નીલમ હતું અને તે હરિયાણાની વતની છે. નીલમની ડિગ્રી વિશે પણ માહિતી સામે આવી હતી જે અનુસાર તેણે BA, MA, B.Ed, M.Ed, CTeT, M.Phil અને નીટ લાયકાત ધરાવે છે. 


પીએમ મોદીની નીતિઓ પર રાહુલ ગાંધીના પ્રહાર 

મહત્વનું છે કે બેરોજગારીને લઈ તેમણે આ કૃત્ય કર્યું હતું તેવી માહિતી સામે આવી હતી. ડિગ્રી હોવા છતાંય તેમની પાસે નોકરી ન હતી. ત્યારે બેરોજગારી અને મોંઘવારી મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી હતી. સુરક્ષા ચૂક બદલ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સુરક્ષા ચુક પાછળનું સૌથી મોટું કારણ છે બેરોજગારી અને મોંઘવારી. પીએમ મોદીની નીતિઓના કારણે યુવાનોને રોજગાર નથી મળી રહ્યો.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે