હેમંત સોરેનની પત્ની સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત, કહ્યું 'એકજુથ થઈને ન્યાય માટેની લડાઈ લડીશું'


  • Published By :
  • Published Date : 2024-02-05 17:01:28

ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ઝારખંડ વિધાનસભામાં ચંપાઈ સોરેને વિશ્વાસ મત જીતી લીધો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના પ્રમુખ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સાથે મળીને ન્યાય માટેની લડાઈ ચાલુ રાખશે.


કોંગ્રેસે શેર કરી તસવીર


રાહુલ ગાંધીએ હેમંત સોરેનના પત્ની સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી હતી. હેમંત સોરેનની પાર્ટી પણ મહાગઠબંધનનો એક ભાગ છે. કોંગ્રેસે સોશિયિલ મીડિયા પર આ મુલાકાતની તસવીર શેર કરતા કહ્યું કે આપણે એકજુથ થઈને ન્યાય માટેની લડાઈ ચાલુ રાખીશું, જનતાનો અવાજ બુલંદ કરીશું, નફરત હારશે અને ઈન્ડિયા જીતશે. 


ચંપાઈ સોરેનને મળ્યા  47 મત


ઝારખંડ વિધાનસભામાં યોજાયેલા વિશ્વાસ મતમાં ચંપાઈના સમર્થનમાં 47 મત જ્યારે વિરોધમાં વિપક્ષના 29 મત પડ્યા હતા. ઉલ્લેખનિય છે કે JMM અને ગઠબંધનના ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગ ટાળવા માટે તેમને હૈદરાબાદ મોકલી દેવામાં આવ્યા હતા. આ ધારાસભ્યો શનિવારે સાંજે જ પરત ફર્યા હતા. બાદમાં તેમને રાંચીના સર્કિટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત  PMLA કોર્ટે પૂર્વ સીએમ હેમંત સોરેનને પણ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ માટે વિધાનસભામાં હાજર રહેલાની મંજુરી આપી હતી.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.