હેમંત સોરેનની પત્ની સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત, કહ્યું 'એકજુથ થઈને ન્યાય માટેની લડાઈ લડીશું'


  • Published By :
  • Published Date : 2024-02-05 17:01:28

ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ઝારખંડ વિધાનસભામાં ચંપાઈ સોરેને વિશ્વાસ મત જીતી લીધો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના પ્રમુખ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સાથે મળીને ન્યાય માટેની લડાઈ ચાલુ રાખશે.


કોંગ્રેસે શેર કરી તસવીર


રાહુલ ગાંધીએ હેમંત સોરેનના પત્ની સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી હતી. હેમંત સોરેનની પાર્ટી પણ મહાગઠબંધનનો એક ભાગ છે. કોંગ્રેસે સોશિયિલ મીડિયા પર આ મુલાકાતની તસવીર શેર કરતા કહ્યું કે આપણે એકજુથ થઈને ન્યાય માટેની લડાઈ ચાલુ રાખીશું, જનતાનો અવાજ બુલંદ કરીશું, નફરત હારશે અને ઈન્ડિયા જીતશે. 


ચંપાઈ સોરેનને મળ્યા  47 મત


ઝારખંડ વિધાનસભામાં યોજાયેલા વિશ્વાસ મતમાં ચંપાઈના સમર્થનમાં 47 મત જ્યારે વિરોધમાં વિપક્ષના 29 મત પડ્યા હતા. ઉલ્લેખનિય છે કે JMM અને ગઠબંધનના ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગ ટાળવા માટે તેમને હૈદરાબાદ મોકલી દેવામાં આવ્યા હતા. આ ધારાસભ્યો શનિવારે સાંજે જ પરત ફર્યા હતા. બાદમાં તેમને રાંચીના સર્કિટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત  PMLA કોર્ટે પૂર્વ સીએમ હેમંત સોરેનને પણ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ માટે વિધાનસભામાં હાજર રહેલાની મંજુરી આપી હતી.  



મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..