હેમંત સોરેનની પત્ની સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત, કહ્યું 'એકજુથ થઈને ન્યાય માટેની લડાઈ લડીશું'


  • Published By :
  • Published Date : 2024-02-05 17:01:28

ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ઝારખંડ વિધાનસભામાં ચંપાઈ સોરેને વિશ્વાસ મત જીતી લીધો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના પ્રમુખ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સાથે મળીને ન્યાય માટેની લડાઈ ચાલુ રાખશે.


કોંગ્રેસે શેર કરી તસવીર


રાહુલ ગાંધીએ હેમંત સોરેનના પત્ની સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી હતી. હેમંત સોરેનની પાર્ટી પણ મહાગઠબંધનનો એક ભાગ છે. કોંગ્રેસે સોશિયિલ મીડિયા પર આ મુલાકાતની તસવીર શેર કરતા કહ્યું કે આપણે એકજુથ થઈને ન્યાય માટેની લડાઈ ચાલુ રાખીશું, જનતાનો અવાજ બુલંદ કરીશું, નફરત હારશે અને ઈન્ડિયા જીતશે. 


ચંપાઈ સોરેનને મળ્યા  47 મત


ઝારખંડ વિધાનસભામાં યોજાયેલા વિશ્વાસ મતમાં ચંપાઈના સમર્થનમાં 47 મત જ્યારે વિરોધમાં વિપક્ષના 29 મત પડ્યા હતા. ઉલ્લેખનિય છે કે JMM અને ગઠબંધનના ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગ ટાળવા માટે તેમને હૈદરાબાદ મોકલી દેવામાં આવ્યા હતા. આ ધારાસભ્યો શનિવારે સાંજે જ પરત ફર્યા હતા. બાદમાં તેમને રાંચીના સર્કિટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત  PMLA કોર્ટે પૂર્વ સીએમ હેમંત સોરેનને પણ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ માટે વિધાનસભામાં હાજર રહેલાની મંજુરી આપી હતી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.