Adani મુદ્દે ફરી એક વખત બોલ્યા Rahul Gandhi, 32 હજાર કરોડ અંગે વાત કરતા તેમણે જાણો શેની આપી ખાતરી? સાંભળો


  • Published By :
  • Published Date : 2023-10-18 12:19:37

અદાણીને લઈ કોંગ્રેસ એકદમ આક્રામક દેખાતી હોય છે. કેન્દ્ર સરકારને અનેક વખત અદાણી મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હોય છે જેમાં મોદી અને અદાણીને ભાઈ બતાવવામાં આવે છે. ત્યારે આજે અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અદાણીને લઈ મોટા આક્ષેપો કર્યા છે. કોલસા ખરીદી કોંગ્રેસના નેતાએ વાત કરી હતી.


અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કરી પ્રેસ કોન્ફરન્સ

2024માં લોકસભા ચૂંટણી આવવાની છે. અલગ અલગ મુદ્દાઓ ચૂંટણીમાં હોવાના છે. કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરશે જ્યારે ભાજપ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરશે. ચૂંટણી દરમિયાન અદાણી કોંગ્રેસ માટે એક મુદ્દો હોઈ શકે છે. અદાણીને લઈ સરકારને અનેક વખત કોંગ્રેસે ઘેરવાનો પ્રયાસ કર્યો છે. થોડા સમય પહેલા જ્યારે અદાણીને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો તે વખતે પણ કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. ત્યારે આજે ફરી એક વખત અદાણીને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.   



અદાણી ગરીબો પાસેથી પૈસા લે છે - રાહુલ ગાંધી 

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ન્યુઝ પેપર કટિંગ બતાવ્યું હતું અને કહ્યું હતું કે ઈન્ડોનેશીયાથી અદાણી કોલસાની ખરીદી કરે છે. પરંતુ જ્યારે તે કોલસો ભારત આવે છે ત્યારે તેનો ભાવ ડબલ થઈ ગયો હોય છે. અદાણી ગરબોથી પૈસા લે છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.