Adani મુદ્દે ફરી એક વખત બોલ્યા Rahul Gandhi, 32 હજાર કરોડ અંગે વાત કરતા તેમણે જાણો શેની આપી ખાતરી? સાંભળો


  • Published By :
  • Published Date : 2023-10-18 12:19:37

અદાણીને લઈ કોંગ્રેસ એકદમ આક્રામક દેખાતી હોય છે. કેન્દ્ર સરકારને અનેક વખત અદાણી મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હોય છે જેમાં મોદી અને અદાણીને ભાઈ બતાવવામાં આવે છે. ત્યારે આજે અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અદાણીને લઈ મોટા આક્ષેપો કર્યા છે. કોલસા ખરીદી કોંગ્રેસના નેતાએ વાત કરી હતી.


અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કરી પ્રેસ કોન્ફરન્સ

2024માં લોકસભા ચૂંટણી આવવાની છે. અલગ અલગ મુદ્દાઓ ચૂંટણીમાં હોવાના છે. કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરશે જ્યારે ભાજપ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરશે. ચૂંટણી દરમિયાન અદાણી કોંગ્રેસ માટે એક મુદ્દો હોઈ શકે છે. અદાણીને લઈ સરકારને અનેક વખત કોંગ્રેસે ઘેરવાનો પ્રયાસ કર્યો છે. થોડા સમય પહેલા જ્યારે અદાણીને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો તે વખતે પણ કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. ત્યારે આજે ફરી એક વખત અદાણીને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.   



અદાણી ગરીબો પાસેથી પૈસા લે છે - રાહુલ ગાંધી 

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ન્યુઝ પેપર કટિંગ બતાવ્યું હતું અને કહ્યું હતું કે ઈન્ડોનેશીયાથી અદાણી કોલસાની ખરીદી કરે છે. પરંતુ જ્યારે તે કોલસો ભારત આવે છે ત્યારે તેનો ભાવ ડબલ થઈ ગયો હોય છે. અદાણી ગરબોથી પૈસા લે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.