Adani મુદ્દે ફરી એક વખત બોલ્યા Rahul Gandhi, 32 હજાર કરોડ અંગે વાત કરતા તેમણે જાણો શેની આપી ખાતરી? સાંભળો


  • Published By :
  • Published Date : 2023-10-18 12:19:37

અદાણીને લઈ કોંગ્રેસ એકદમ આક્રામક દેખાતી હોય છે. કેન્દ્ર સરકારને અનેક વખત અદાણી મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હોય છે જેમાં મોદી અને અદાણીને ભાઈ બતાવવામાં આવે છે. ત્યારે આજે અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અદાણીને લઈ મોટા આક્ષેપો કર્યા છે. કોલસા ખરીદી કોંગ્રેસના નેતાએ વાત કરી હતી.


અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કરી પ્રેસ કોન્ફરન્સ

2024માં લોકસભા ચૂંટણી આવવાની છે. અલગ અલગ મુદ્દાઓ ચૂંટણીમાં હોવાના છે. કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરશે જ્યારે ભાજપ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરશે. ચૂંટણી દરમિયાન અદાણી કોંગ્રેસ માટે એક મુદ્દો હોઈ શકે છે. અદાણીને લઈ સરકારને અનેક વખત કોંગ્રેસે ઘેરવાનો પ્રયાસ કર્યો છે. થોડા સમય પહેલા જ્યારે અદાણીને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો તે વખતે પણ કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. ત્યારે આજે ફરી એક વખત અદાણીને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.   



અદાણી ગરીબો પાસેથી પૈસા લે છે - રાહુલ ગાંધી 

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ન્યુઝ પેપર કટિંગ બતાવ્યું હતું અને કહ્યું હતું કે ઈન્ડોનેશીયાથી અદાણી કોલસાની ખરીદી કરે છે. પરંતુ જ્યારે તે કોલસો ભારત આવે છે ત્યારે તેનો ભાવ ડબલ થઈ ગયો હોય છે. અદાણી ગરબોથી પૈસા લે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.