રાહુલ ગાંધીએ દિલ્હીમાં કરી ગુજરાતના પ્રદેશ પ્રમુખને લઇને બેઠક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-10 18:49:56

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. 

Rahul Gandhi's Strategic Gujarat Visit: Congress Gears Up for 2027 Elections

ગુજરાતમાં થોડાક સમય પેહલા વિસાવદર અને કડીની પેટાચૂંટણી પછી , પ્રદેશપ્રમુખના પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપી દીધું છે. તો હવે શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર દાણીલીમડાના કોંગ્રેસના MLA શૈલેષ પરમારને સોંપ્યો  છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદને લઇને ઘમાસાણ શરુ થયું છે. કેમ કે , થોડાક સમય પેહલા કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનો પરેશ ધાનાણી ,  વીરજી ઠુમ્મર , MLA કિરીટ પટેલે ગુજરાત કોંગ્રેસનું પ્રમુખ પદ પાટીદાર સમાજને સોંપાય તેવી ઈચ્છા દર્શાવી છે. આ માટે તો અમરેલીના સાંસદ વીરજી ઠુમ્મરે , લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને તેમની પાસે રજુઆત કરવા માટે સમય માંગ્યો હતો . હવે બીજી તરફ , ગીર સોમનાથના કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની મુલાકાત કરી હતી. માટે , હવે કોંગ્રેસના હાઇકમાન્ડે ગુજરાત કોન્ગ્રેસ્સના નેતાઓને દિલ્હી બેઠક કરવા માટે બોલાવ્યા છે જેનાથી , ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદનું કોકડું ઉકેલાઈ શકે. આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી સાથે કે.સી વેણુગોપાલ , ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ મુકુલ વાસનિક પણ હાજર રહેશે. આ બેઠકમાં હાજર રહેવા  માટે બનાસકાંઠાના કોંગ્રેસના MP ગેનીબેન ઠાકોર અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શૈલેષ પરમાર દિલ્હી જવા રવાના થયા છે. આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ , અમિત ચાવડા , ભરત સિંહ સોલંકી , સિદ્ધાર્થ પટેલ , પરેશ ધાનાણી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. આ બેઠકમાં એ બાબતે નિર્ણય લેવામાં આવશે કે, શક્તિસિંહ ગોહિલને કન્ટિન્યુ રાખવા કે પછી પાટીદાર આગેવાન કે પછી OBC આગેવાનને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવી. 

Shri Rahul Gandhi's Gujarat Assembly Election Campaigning

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ અગાઉ વિદેશ પ્રવાસે હતા , તે પછી પરત ફરીને , બિહારના પ્રવાસે ગયા હતા અને હવે આજે ગુજરાત માટે સમય ફાળવ્યો છે. દિલ્હીની આ બેઠકમાં , તાજેતરમાં જે જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણુંક થઇ છે , તેને લઇને જે વિખવાદ છે તેની પર પણ ચર્ચા કરશે. હાલમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પદ માટે ,  લાલજી દેસાઈ અને અમિત ચાવડાનું નામ આગળ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધી આ મહિનાના અંતમાં ફરી એકવાર ગુજરાત આવી શકે છે. જેમાં તેઓ જિલ્લા અઘ્યક્ષોને ટ્રેનિંગ આપશે. આપણે જણાવી દયિકે ,થોડાક સમય પેહલા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત , ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણુંક થયેલી છે. હવે આવનારા સમયમાં , ગુજરાતમાં કોર્પોરેશન , જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે માટે , ગુજરાતમાં પ્રદેશ પ્રમુખના પદે  કોંગ્રેસ ઝડપથી નિમણુંક કરી શકે છે.  




નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.