રાહુલ ગાંધીએ દિલ્હીમાં કરી ગુજરાતના પ્રદેશ પ્રમુખને લઇને બેઠક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-10 18:49:56

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. 

Rahul Gandhi's Strategic Gujarat Visit: Congress Gears Up for 2027 Elections

ગુજરાતમાં થોડાક સમય પેહલા વિસાવદર અને કડીની પેટાચૂંટણી પછી , પ્રદેશપ્રમુખના પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપી દીધું છે. તો હવે શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર દાણીલીમડાના કોંગ્રેસના MLA શૈલેષ પરમારને સોંપ્યો  છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદને લઇને ઘમાસાણ શરુ થયું છે. કેમ કે , થોડાક સમય પેહલા કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનો પરેશ ધાનાણી ,  વીરજી ઠુમ્મર , MLA કિરીટ પટેલે ગુજરાત કોંગ્રેસનું પ્રમુખ પદ પાટીદાર સમાજને સોંપાય તેવી ઈચ્છા દર્શાવી છે. આ માટે તો અમરેલીના સાંસદ વીરજી ઠુમ્મરે , લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને તેમની પાસે રજુઆત કરવા માટે સમય માંગ્યો હતો . હવે બીજી તરફ , ગીર સોમનાથના કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની મુલાકાત કરી હતી. માટે , હવે કોંગ્રેસના હાઇકમાન્ડે ગુજરાત કોન્ગ્રેસ્સના નેતાઓને દિલ્હી બેઠક કરવા માટે બોલાવ્યા છે જેનાથી , ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદનું કોકડું ઉકેલાઈ શકે. આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી સાથે કે.સી વેણુગોપાલ , ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ મુકુલ વાસનિક પણ હાજર રહેશે. આ બેઠકમાં હાજર રહેવા  માટે બનાસકાંઠાના કોંગ્રેસના MP ગેનીબેન ઠાકોર અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શૈલેષ પરમાર દિલ્હી જવા રવાના થયા છે. આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ , અમિત ચાવડા , ભરત સિંહ સોલંકી , સિદ્ધાર્થ પટેલ , પરેશ ધાનાણી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. આ બેઠકમાં એ બાબતે નિર્ણય લેવામાં આવશે કે, શક્તિસિંહ ગોહિલને કન્ટિન્યુ રાખવા કે પછી પાટીદાર આગેવાન કે પછી OBC આગેવાનને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવી. 

Shri Rahul Gandhi's Gujarat Assembly Election Campaigning

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ અગાઉ વિદેશ પ્રવાસે હતા , તે પછી પરત ફરીને , બિહારના પ્રવાસે ગયા હતા અને હવે આજે ગુજરાત માટે સમય ફાળવ્યો છે. દિલ્હીની આ બેઠકમાં , તાજેતરમાં જે જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણુંક થઇ છે , તેને લઇને જે વિખવાદ છે તેની પર પણ ચર્ચા કરશે. હાલમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પદ માટે ,  લાલજી દેસાઈ અને અમિત ચાવડાનું નામ આગળ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધી આ મહિનાના અંતમાં ફરી એકવાર ગુજરાત આવી શકે છે. જેમાં તેઓ જિલ્લા અઘ્યક્ષોને ટ્રેનિંગ આપશે. આપણે જણાવી દયિકે ,થોડાક સમય પેહલા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત , ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણુંક થયેલી છે. હવે આવનારા સમયમાં , ગુજરાતમાં કોર્પોરેશન , જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે માટે , ગુજરાતમાં પ્રદેશ પ્રમુખના પદે  કોંગ્રેસ ઝડપથી નિમણુંક કરી શકે છે.  




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.