રાહુલ ગાંધી સાથે પાદરીની ચર્ચાથી થયો હોબાળો, પાદરી એવું તે શું બોલ્યા હતા જાણો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:48:05

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી હાલ 150 દિવસની ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, તેમણે શુક્રવારે તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં એક વિવાદાસ્પદ કેથોલિક ચર્ચના પાદરી જ્યોર્જ પોનૈયા સાથે મુલાકાત કરી હતી. રાહુલ અને પાદરી વચ્ચે થયેલી ચર્ચા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વીડિયો અંગે જબરદસ્ત વિવાદ થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસને નિશાન બનાવીને આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. 


શા માટે થયો વિવાદ?


મુટ્ટીડિયન પરાઈ ચર્ચમાં રાહુલ ગાંધી અને  પાદરી વચ્ચે વાતચીતનો જે વીડિયો વાયરલ થયો હતો, તેમાં રાહુલ ગાંધીને એ પૂછતા સાંભળી શકાય છે કે, "ઈસુ ખ્રિસ્ત ભગવાનનું સ્વરૂપ છે? શું આ સાચું છે?" તેમના પ્રશ્નના જવાબમાં, પાદરી જ્યોર્જ પોનૈયાએ કહ્યું, "ના, તે ખરેખર ભગવાન છે."


ભાજપના કોંગ્રેસ પર પ્રહાર


ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આ નિવેદન અંગે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે અને આ યાત્રાને 'ભારત તોડો' યાત્રા ગણાવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'જ્યોર્જ પોનૈયા રાહુલ ગાંધીને મળ્યા હતા. તેઓ કહે છે કે ઈસુ એકમાત્ર ઈશ્વર છે. આ વ્યક્તિની અગાઉ પણ હિંદુ ધર્મ વિરુદ્ધ નફરતભર્યા નિવેદનો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પૂછ્યું- શું ભારત તોડો આઈકોન સાથે ભારત જોડો યાત્રા ચાલી રહી છે?


કોંગ્રેસે કર્યો રાહુલ ગાંધીનો બચાવ 


કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના બચાવમાં આવી ગઈ છે. જયરામ રમેશે કહ્યું, 'ભાજપની હેટ ફેક્ટરીનું એક ઘૃણાસ્પદ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. ઓડિયોમાં જે પણ રેકોર્ડ કરવામાં આવ્યું છે તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. આ ભાજપનું ષડયંત્ર છે, ભારત જોડો યાત્રાના સફળ પ્રારંભ પછી ભાજપ ખુબ હતાશ થઈ ગઈ છે. આ યાત્રાને લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .