વિદેશની ધરતી પર Rahul Gandhiએ ઉઠાવ્યા દેશના મુદ્દા! Modi સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ, સાંભળો કયા મુુદ્દાઓ પર કરી ચર્ચા?


  • Published By :
  • Published Date : 2023-09-09 10:56:12

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ વિદેશના પ્રવાસ પર છે. 5 સપ્ટેમ્બરના રોજ તેઓ યુરોપ જવા માટે રવાના થઈ ગયા હતા. વિદેશના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી અનેક વખત દેશના અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરતા હોય છે. ત્યારે ફરી એક વખત દેશના મુદ્દાની ચર્ચા રાહુલ ગાંધીએ કરી છે. શુક્રવારે બ્રસેલ્સમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે INDIA Allianceને લઈ સરકાર ગભરાઈ ગયેલી છે. અમે ભારતનો અવાજ છીએ. આને લઈ પ્રધાનમંત્રી ડરી ગયા છે અને દેશનું નામ બદલવા માગે છે. આ પૂરો મુદ્દો અદાણી પર મારા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ થયું છે. જેને લઈ દેશનું ધ્યાન ભટકી જાય. 

રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગરમાય છે દેશનું રાજકારણ 

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી અનેક વખત ચર્ચામાં રહી રહ્યા છે. વિદેશની ધરતી પર રાહુલ ગાંધી અનેક વખત દેશમાં જે મુદ્દાઓ ચાલતા હોય તેની ચર્ચા કરતા હોય છે. વિદેશમાં આપવામાં આવતા નિવેદનને લઈ ભારતનું રાજકારણ ગરમાતું હોય છે. થોડા સમય પહેલા પણ રાહુલ ગાંધીના ભાષણને લઈ ભારતમાં વિવાદ છેડાઈ ગયો હતો. ત્યારે આજે ફરી એક વખત રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે જેમાં ભારત અને ઈન્ડિયા નામને લઈ ચર્ચા કરી હતી. સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ગરીબીને લઈ, જી-20માં મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નથી આપવામાં આવ્યું તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

દેશના નામને લઈ રાહુલ ગાંધીએ કહી આ વાત     

યુરોપના પ્રવાસે હાલ રાહુલ ગાંધી ગયા છે. બેલ્જિયમમાં રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં ભારતમાં વર્તમાનમાં ચાલતા મુદ્દાઓને લઈ ચર્ચા કરી હતી. હમણાં સૌથી વધારે જો કોઈ મુદ્દાની ચર્ચા થતી હોય તો તે મુદ્દો છે દેશના નામની : ભારતની કે ઈન્ડિયાની... આ મુદ્દાને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે  INDIA Allianceને લઈ સરકાર ગભરાઈ ગયેલી છે. અમે ભારતનો અવાજ છીએ. આને લઈ પ્રધાનમંત્રી ડરી ગયા છે અને દેશનું નામ બદલવા માગે છે. આ પૂરો મુદ્દો અદાણી પર મારા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ થયું છે. જેને લઈ દેશનું ધ્યાન ભટકી જાય.

કાશ્મીર મુદ્દે આ વાત કહી રાહુલ ગાંધીએ 

તે સિવાય જી-20ને લઈ પણ તેમણે વાત કરી હતી.જી-20ના શિખર સંમેલનના ડિનરમાં રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નથી આપવામાં આવ્યું. આ મુદ્દે જ્યારે રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ સાબિત કરે છે કે 60 ટકા જનતાનું નેતૃત્વ કરવાવાળાને મહત્વ નથી આપી રહ્યા. તે સિવાય કાશ્મીરને લઈ તેમણે નિવેદન આપ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અમારા સિવાય આનાથી કોઈ બીજાને કોઈ લેવા-દેવા નથી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .