વિદેશની ધરતી પર Rahul Gandhiએ ઉઠાવ્યા દેશના મુદ્દા! Modi સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ, સાંભળો કયા મુુદ્દાઓ પર કરી ચર્ચા?


  • Published By :
  • Published Date : 2023-09-09 10:56:12

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ વિદેશના પ્રવાસ પર છે. 5 સપ્ટેમ્બરના રોજ તેઓ યુરોપ જવા માટે રવાના થઈ ગયા હતા. વિદેશના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી અનેક વખત દેશના અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરતા હોય છે. ત્યારે ફરી એક વખત દેશના મુદ્દાની ચર્ચા રાહુલ ગાંધીએ કરી છે. શુક્રવારે બ્રસેલ્સમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે INDIA Allianceને લઈ સરકાર ગભરાઈ ગયેલી છે. અમે ભારતનો અવાજ છીએ. આને લઈ પ્રધાનમંત્રી ડરી ગયા છે અને દેશનું નામ બદલવા માગે છે. આ પૂરો મુદ્દો અદાણી પર મારા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ થયું છે. જેને લઈ દેશનું ધ્યાન ભટકી જાય. 

રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગરમાય છે દેશનું રાજકારણ 

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી અનેક વખત ચર્ચામાં રહી રહ્યા છે. વિદેશની ધરતી પર રાહુલ ગાંધી અનેક વખત દેશમાં જે મુદ્દાઓ ચાલતા હોય તેની ચર્ચા કરતા હોય છે. વિદેશમાં આપવામાં આવતા નિવેદનને લઈ ભારતનું રાજકારણ ગરમાતું હોય છે. થોડા સમય પહેલા પણ રાહુલ ગાંધીના ભાષણને લઈ ભારતમાં વિવાદ છેડાઈ ગયો હતો. ત્યારે આજે ફરી એક વખત રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે જેમાં ભારત અને ઈન્ડિયા નામને લઈ ચર્ચા કરી હતી. સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ગરીબીને લઈ, જી-20માં મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નથી આપવામાં આવ્યું તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

દેશના નામને લઈ રાહુલ ગાંધીએ કહી આ વાત     

યુરોપના પ્રવાસે હાલ રાહુલ ગાંધી ગયા છે. બેલ્જિયમમાં રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં ભારતમાં વર્તમાનમાં ચાલતા મુદ્દાઓને લઈ ચર્ચા કરી હતી. હમણાં સૌથી વધારે જો કોઈ મુદ્દાની ચર્ચા થતી હોય તો તે મુદ્દો છે દેશના નામની : ભારતની કે ઈન્ડિયાની... આ મુદ્દાને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે  INDIA Allianceને લઈ સરકાર ગભરાઈ ગયેલી છે. અમે ભારતનો અવાજ છીએ. આને લઈ પ્રધાનમંત્રી ડરી ગયા છે અને દેશનું નામ બદલવા માગે છે. આ પૂરો મુદ્દો અદાણી પર મારા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ થયું છે. જેને લઈ દેશનું ધ્યાન ભટકી જાય.

કાશ્મીર મુદ્દે આ વાત કહી રાહુલ ગાંધીએ 

તે સિવાય જી-20ને લઈ પણ તેમણે વાત કરી હતી.જી-20ના શિખર સંમેલનના ડિનરમાં રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નથી આપવામાં આવ્યું. આ મુદ્દે જ્યારે રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ સાબિત કરે છે કે 60 ટકા જનતાનું નેતૃત્વ કરવાવાળાને મહત્વ નથી આપી રહ્યા. તે સિવાય કાશ્મીરને લઈ તેમણે નિવેદન આપ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અમારા સિવાય આનાથી કોઈ બીજાને કોઈ લેવા-દેવા નથી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.