વિદેશની ધરતી પર Rahul Gandhiએ ઉઠાવ્યા દેશના મુદ્દા! Modi સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ, સાંભળો કયા મુુદ્દાઓ પર કરી ચર્ચા?


  • Published By :
  • Published Date : 2023-09-09 10:56:12

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ વિદેશના પ્રવાસ પર છે. 5 સપ્ટેમ્બરના રોજ તેઓ યુરોપ જવા માટે રવાના થઈ ગયા હતા. વિદેશના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી અનેક વખત દેશના અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરતા હોય છે. ત્યારે ફરી એક વખત દેશના મુદ્દાની ચર્ચા રાહુલ ગાંધીએ કરી છે. શુક્રવારે બ્રસેલ્સમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે INDIA Allianceને લઈ સરકાર ગભરાઈ ગયેલી છે. અમે ભારતનો અવાજ છીએ. આને લઈ પ્રધાનમંત્રી ડરી ગયા છે અને દેશનું નામ બદલવા માગે છે. આ પૂરો મુદ્દો અદાણી પર મારા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ થયું છે. જેને લઈ દેશનું ધ્યાન ભટકી જાય. 

રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગરમાય છે દેશનું રાજકારણ 

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી અનેક વખત ચર્ચામાં રહી રહ્યા છે. વિદેશની ધરતી પર રાહુલ ગાંધી અનેક વખત દેશમાં જે મુદ્દાઓ ચાલતા હોય તેની ચર્ચા કરતા હોય છે. વિદેશમાં આપવામાં આવતા નિવેદનને લઈ ભારતનું રાજકારણ ગરમાતું હોય છે. થોડા સમય પહેલા પણ રાહુલ ગાંધીના ભાષણને લઈ ભારતમાં વિવાદ છેડાઈ ગયો હતો. ત્યારે આજે ફરી એક વખત રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે જેમાં ભારત અને ઈન્ડિયા નામને લઈ ચર્ચા કરી હતી. સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ગરીબીને લઈ, જી-20માં મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નથી આપવામાં આવ્યું તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

દેશના નામને લઈ રાહુલ ગાંધીએ કહી આ વાત     

યુરોપના પ્રવાસે હાલ રાહુલ ગાંધી ગયા છે. બેલ્જિયમમાં રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં ભારતમાં વર્તમાનમાં ચાલતા મુદ્દાઓને લઈ ચર્ચા કરી હતી. હમણાં સૌથી વધારે જો કોઈ મુદ્દાની ચર્ચા થતી હોય તો તે મુદ્દો છે દેશના નામની : ભારતની કે ઈન્ડિયાની... આ મુદ્દાને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે  INDIA Allianceને લઈ સરકાર ગભરાઈ ગયેલી છે. અમે ભારતનો અવાજ છીએ. આને લઈ પ્રધાનમંત્રી ડરી ગયા છે અને દેશનું નામ બદલવા માગે છે. આ પૂરો મુદ્દો અદાણી પર મારા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ થયું છે. જેને લઈ દેશનું ધ્યાન ભટકી જાય.

કાશ્મીર મુદ્દે આ વાત કહી રાહુલ ગાંધીએ 

તે સિવાય જી-20ને લઈ પણ તેમણે વાત કરી હતી.જી-20ના શિખર સંમેલનના ડિનરમાં રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નથી આપવામાં આવ્યું. આ મુદ્દે જ્યારે રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ સાબિત કરે છે કે 60 ટકા જનતાનું નેતૃત્વ કરવાવાળાને મહત્વ નથી આપી રહ્યા. તે સિવાય કાશ્મીરને લઈ તેમણે નિવેદન આપ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અમારા સિવાય આનાથી કોઈ બીજાને કોઈ લેવા-દેવા નથી. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.