રાહુલ ગાંધી પહોંચ્યા છત્તીશગઢ, માથે ફાળિયું બાંધી ખેડૂતો સાથે પાકની કાપણીમાં જોડાયા, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-29 18:13:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે છત્તીસગઢ પ્રવાસે છે, તેઓ ચૂંટણી રેલી કરતા પહેલા રાયપુરની નજીક આવેલા કટિયા ગામના એક ખેતરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી અને  તેમની સાથે મળીને પાકની કાપણી પણ કરી હતી. રાહુલ ગાંધી સાથે છત્તીશગઢના સીએમ ભૂપેશ બધેલ, ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ, વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત અને ગૃહ મંત્રી તામ્રધ્વજ સાહુ પણ જોડાયા હતા.


અગાઉ કુલીઓ સાથે કરી હતી મુલાકાત 


ઉલ્લેખનિય છે કે અગાઉ રાહુલ ગાંધી રેલ્વે સ્ટેશન પર કુલીના પોષાકમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી આજે (ગુરુવાર) 21 સપ્ટેમ્બરે નવી દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને કુલીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી પણ સામાન લઈને જતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફોટા અને વીડિયો શેર કર્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .