રાહુલ ગાંધી પહોંચ્યા છત્તીશગઢ, માથે ફાળિયું બાંધી ખેડૂતો સાથે પાકની કાપણીમાં જોડાયા, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-29 18:13:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે છત્તીસગઢ પ્રવાસે છે, તેઓ ચૂંટણી રેલી કરતા પહેલા રાયપુરની નજીક આવેલા કટિયા ગામના એક ખેતરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી અને  તેમની સાથે મળીને પાકની કાપણી પણ કરી હતી. રાહુલ ગાંધી સાથે છત્તીશગઢના સીએમ ભૂપેશ બધેલ, ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ, વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત અને ગૃહ મંત્રી તામ્રધ્વજ સાહુ પણ જોડાયા હતા.


અગાઉ કુલીઓ સાથે કરી હતી મુલાકાત 


ઉલ્લેખનિય છે કે અગાઉ રાહુલ ગાંધી રેલ્વે સ્ટેશન પર કુલીના પોષાકમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી આજે (ગુરુવાર) 21 સપ્ટેમ્બરે નવી દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને કુલીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી પણ સામાન લઈને જતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફોટા અને વીડિયો શેર કર્યો હતો.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.