રાહુલ ગાંધી એકાંતવાસ માટે પહોંચ્યા કેદારનાથ ધામ, કોંગ્રેસ કહ્યું 'આ તેમની વ્યક્તિગત અને આધ્યાત્મિક યાત્રા'


  • Published By :
  • Published Date : 2023-11-05 18:21:43

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતે કેદારનાથ પહોંચ્યા છે. રાહુલ ગાંધી લગભગ 12:30 વાગે સ્પેશિયલ ચાર્ટર દ્વારા જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા હતા.અહીંથી રાહુલ ગાંધી સીધા હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ જવા રવાના થયા હતા. જ્યાં કેદારનાથ પહોંચીને તેમણે તીર્થયાત્રાનો પ્રારંભ કર્યો હતો.પૂજારીઓએ રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રાહુલ ગાંધીનો સંપૂર્ણ વ્યક્તિગત અને આધ્યાત્મિક કાર્યક્રમ છે.આ કાર્યક્રમમાં કોંગ્રેસના કોઈપણ નેતાઓને તેમને મળવા દેવાયા નથી. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોડિયાલે કેદારનાથમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પણ કોંગ્રેસનો કોઈ કાર્યકર તેમનું સ્વાગત કરવા આવ્યો ન હતો. રાહુલ ગાંધીએ કેદારનાથ આવતા પહેલા જ તમામ કાર્યકર્તાઓને તેમને ન મળવાની અપીલ કરી હતી, ત્યારબાદ કોઈ કાર્યકર તેમને મળવા ગયો ન હતો.


રાહુલ ગાંધીની અંગત અને આધ્યાત્મિક યાત્રા


વિધાનસભા ચૂંટણીના વ્યસ્ત પ્રચાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ત્રણ દિવસીય મુલાકાતના ભાગરૂપે કેદારનાથ પહોંચ્યા છે. રાહુલ ગાંધીની આ મુલાકાતને સંપૂર્ણ રીતે વ્યક્તિગત અને આધ્યાત્મિક મુલાકાત ગણાવવામાં આવી રહી છે, ઉત્તરાખંડ કોંગ્રેસ દ્વારા આ અંગે કોઈ ઔપચારિક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. ઉત્તરાખંડ કોંગ્રેસના અધિકારીએ કહ્યું કે આ રાહુલ ગાંધીની અંગત અને આધ્યાત્મિક યાત્રા છે અને કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ યાત્રાને રાહુલ ગાંધીની વ્યક્તિગત અને આધ્યાત્મિક યાત્રાનું સન્માન કરે. રાહુલ ગાંધી રવિવાર અને સોમવારની રાત કેદારનાથમાં વિતાવશે, મંગળવારે બપોરે રાહુલ ગાંધી કેદારનાથની યાત્રા પૂરી કરીને રવાના થશે.


રાહુલ ગાંધીનું સોફ્ટ હિંદુત્વ?


વિરોધી પક્ષ ભાજપ રાહુલની આ મુલાકાતને ચૂંટણી પ્રચારમાંથી પલાયન થવા તરીકે જોઈ રહ્યો છે. બીજી બાજુ ધાર્મિક સ્થળો પર રાહુલ ગાંધીના લાંબા રોકાણને સોફ્ટ હિંદુત્વના મોરચે નવું ચિત્ર ઊભું કરવાના પ્રયાસ તરીકે ગણવામાં આવે છે. ચૂંટણી રાજ્યોમાં આ કવાયતથી કોંગ્રેસને શું મળશે તે તો ચૂંટણી પરિણામો પરથી જ ખબર પડશે. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.