રાહુલ ગાંધી એકાંતવાસ માટે પહોંચ્યા કેદારનાથ ધામ, કોંગ્રેસ કહ્યું 'આ તેમની વ્યક્તિગત અને આધ્યાત્મિક યાત્રા'


  • Published By :
  • Published Date : 2023-11-05 18:21:43

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતે કેદારનાથ પહોંચ્યા છે. રાહુલ ગાંધી લગભગ 12:30 વાગે સ્પેશિયલ ચાર્ટર દ્વારા જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા હતા.અહીંથી રાહુલ ગાંધી સીધા હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ જવા રવાના થયા હતા. જ્યાં કેદારનાથ પહોંચીને તેમણે તીર્થયાત્રાનો પ્રારંભ કર્યો હતો.પૂજારીઓએ રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રાહુલ ગાંધીનો સંપૂર્ણ વ્યક્તિગત અને આધ્યાત્મિક કાર્યક્રમ છે.આ કાર્યક્રમમાં કોંગ્રેસના કોઈપણ નેતાઓને તેમને મળવા દેવાયા નથી. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોડિયાલે કેદારનાથમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પણ કોંગ્રેસનો કોઈ કાર્યકર તેમનું સ્વાગત કરવા આવ્યો ન હતો. રાહુલ ગાંધીએ કેદારનાથ આવતા પહેલા જ તમામ કાર્યકર્તાઓને તેમને ન મળવાની અપીલ કરી હતી, ત્યારબાદ કોઈ કાર્યકર તેમને મળવા ગયો ન હતો.


રાહુલ ગાંધીની અંગત અને આધ્યાત્મિક યાત્રા


વિધાનસભા ચૂંટણીના વ્યસ્ત પ્રચાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ત્રણ દિવસીય મુલાકાતના ભાગરૂપે કેદારનાથ પહોંચ્યા છે. રાહુલ ગાંધીની આ મુલાકાતને સંપૂર્ણ રીતે વ્યક્તિગત અને આધ્યાત્મિક મુલાકાત ગણાવવામાં આવી રહી છે, ઉત્તરાખંડ કોંગ્રેસ દ્વારા આ અંગે કોઈ ઔપચારિક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. ઉત્તરાખંડ કોંગ્રેસના અધિકારીએ કહ્યું કે આ રાહુલ ગાંધીની અંગત અને આધ્યાત્મિક યાત્રા છે અને કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ યાત્રાને રાહુલ ગાંધીની વ્યક્તિગત અને આધ્યાત્મિક યાત્રાનું સન્માન કરે. રાહુલ ગાંધી રવિવાર અને સોમવારની રાત કેદારનાથમાં વિતાવશે, મંગળવારે બપોરે રાહુલ ગાંધી કેદારનાથની યાત્રા પૂરી કરીને રવાના થશે.


રાહુલ ગાંધીનું સોફ્ટ હિંદુત્વ?


વિરોધી પક્ષ ભાજપ રાહુલની આ મુલાકાતને ચૂંટણી પ્રચારમાંથી પલાયન થવા તરીકે જોઈ રહ્યો છે. બીજી બાજુ ધાર્મિક સ્થળો પર રાહુલ ગાંધીના લાંબા રોકાણને સોફ્ટ હિંદુત્વના મોરચે નવું ચિત્ર ઊભું કરવાના પ્રયાસ તરીકે ગણવામાં આવે છે. ચૂંટણી રાજ્યોમાં આ કવાયતથી કોંગ્રેસને શું મળશે તે તો ચૂંટણી પરિણામો પરથી જ ખબર પડશે. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.